Asia Cup 2023: આજે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, રાહુલ અને વરસાદ પર રહેશે નજર, બુમરાહ પણ ટીમ સાથે જોડાશે


  • Published By :
  • Published Date : 2023-09-10 11:11:41

એશિયા કપ 2023માં આજે બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. સુપર-4 રાઉન્ડની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બેટ્સમેનો માટે લિટમસ ટેસ્ટ બની રહી છે. ખાસ કરીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ મુશ્કેલી ઊભી કરી શકે છે. કોહલી અને રોહિત હંમેશા શાહીન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે પરંતુ કોલંબોની આ પીચ આજે કોહલી અને રોહિતની ખરી પરીક્ષા લેશે. વાસ્તવમાં, કોલંબોની આ પિચ બોલિંગ માટે મદદગાર સાબિત થઈ શકે છે. જો આકાશ વાદળછાયું હોય તો ઝડપી બોલરો પોતાની સ્વિંગથી હાહાકાર મચાવી શકે છે. કોલંબોમાં હવામાન પર નજર કરીએ તો મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વધુ છે.


ટીમમાંથી કોનું પત્તું કપાશે?

 

પાકિસ્તાને એક દિવસ પહેલા જ પોતાના પ્લેઈંગ XI અંગેની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. સૌથી મોટી સમસ્યા ઈશાન કિશન અને કેએલ રાહુલના નામની છે. એક બદલાવ પાક્કો છે કે જે જસપ્રીત બુમરાહના કમબેકના કારણે થશે. પોતાના ઘરે પારણું બંધાવાનું હતું જેના કારણે બુમરાહ શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો. પરંતુ હવે તેની પાકિસ્તાન સામેની મેચમાં એન્ટ્રી લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે. આવામાંથી ટીમમાંથી કોનું પત્તું કપાશે તે સૌથી મોટો મુદ્દો બનેલો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ લાંબા સમય પછી ટીમમાં પરત ફર્યો છે જ્યારે ઈશાન કિશને અગાઉની પાકિસ્તાન સામેની રદ્દ થયેલી મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી.


પાકિસ્તાને બોલિંગ તાકાત વધારી


પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે એક દિવસ પહેલા જ આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. મોહમ્મદ નવાઝ ભારત સામે ગ્રુપ સ્ટેજની મેચમાં રમતા જોવા મળ્યો હતો. હવે બીજી મેચમાં નવાઝની જગ્યાએ ફહીમ અશરફને જગ્યા મળી છે. આ રીતે, પાકિસ્તાને તેની ઝડપી બોલિંગની ધાર વધુ તેજ કરી છે. જસપ્રીદ બુમરાહનું કમબેક લગભગ નિશ્ચિત છે. તેને મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સાથ મળશે. ઓલરાઉન્ડર અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સાથ મળી શકે છે. સ્પિનમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની ફિરકી નજરે પડશે.


શુભમન ગિલ કેવો કમાલ કરશે?


ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પર નજર રહેશે. પાકિસ્તાન સામે મહત્વની મેચમાં અહીં બદલાવ થવાની સંભાવનાઓ ઓછી છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐયરની જગ્યા પણ પાક્કી માનવામાં આવી રહી છે. સવાલ ઈશાન કિશન અને કેએલ રાહુલને લઈને થઈ રહ્યો છે, આ બન્નેમાંથી એકે બહાર બેસવું પડી શકે છે. જાણકારોનું માનવું છે કે ટોપ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન માટે કેએલ રાહુલે હમણાં રાહ જોવી પડશે.


ભારતની સંભવિત પ્લેઈંગ-11 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી/મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાનના પ્લેઈંગ-11


બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફહીમ અશરફ, હારીસ રઉફ, નસીમ શાહ અને શાહીન. શાહ આફ્રિદી.




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.