Asia Cup 2023: આજે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, રાહુલ અને વરસાદ પર રહેશે નજર, બુમરાહ પણ ટીમ સાથે જોડાશે


  • Published By :
  • Published Date : 2023-09-10 11:11:41

એશિયા કપ 2023માં આજે બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. સુપર-4 રાઉન્ડની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બેટ્સમેનો માટે લિટમસ ટેસ્ટ બની રહી છે. ખાસ કરીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ મુશ્કેલી ઊભી કરી શકે છે. કોહલી અને રોહિત હંમેશા શાહીન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે પરંતુ કોલંબોની આ પીચ આજે કોહલી અને રોહિતની ખરી પરીક્ષા લેશે. વાસ્તવમાં, કોલંબોની આ પિચ બોલિંગ માટે મદદગાર સાબિત થઈ શકે છે. જો આકાશ વાદળછાયું હોય તો ઝડપી બોલરો પોતાની સ્વિંગથી હાહાકાર મચાવી શકે છે. કોલંબોમાં હવામાન પર નજર કરીએ તો મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વધુ છે.


ટીમમાંથી કોનું પત્તું કપાશે?

 

પાકિસ્તાને એક દિવસ પહેલા જ પોતાના પ્લેઈંગ XI અંગેની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. સૌથી મોટી સમસ્યા ઈશાન કિશન અને કેએલ રાહુલના નામની છે. એક બદલાવ પાક્કો છે કે જે જસપ્રીત બુમરાહના કમબેકના કારણે થશે. પોતાના ઘરે પારણું બંધાવાનું હતું જેના કારણે બુમરાહ શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો. પરંતુ હવે તેની પાકિસ્તાન સામેની મેચમાં એન્ટ્રી લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે. આવામાંથી ટીમમાંથી કોનું પત્તું કપાશે તે સૌથી મોટો મુદ્દો બનેલો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ લાંબા સમય પછી ટીમમાં પરત ફર્યો છે જ્યારે ઈશાન કિશને અગાઉની પાકિસ્તાન સામેની રદ્દ થયેલી મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી.


પાકિસ્તાને બોલિંગ તાકાત વધારી


પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે એક દિવસ પહેલા જ આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. મોહમ્મદ નવાઝ ભારત સામે ગ્રુપ સ્ટેજની મેચમાં રમતા જોવા મળ્યો હતો. હવે બીજી મેચમાં નવાઝની જગ્યાએ ફહીમ અશરફને જગ્યા મળી છે. આ રીતે, પાકિસ્તાને તેની ઝડપી બોલિંગની ધાર વધુ તેજ કરી છે. જસપ્રીદ બુમરાહનું કમબેક લગભગ નિશ્ચિત છે. તેને મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સાથ મળશે. ઓલરાઉન્ડર અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સાથ મળી શકે છે. સ્પિનમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની ફિરકી નજરે પડશે.


શુભમન ગિલ કેવો કમાલ કરશે?


ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પર નજર રહેશે. પાકિસ્તાન સામે મહત્વની મેચમાં અહીં બદલાવ થવાની સંભાવનાઓ ઓછી છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐયરની જગ્યા પણ પાક્કી માનવામાં આવી રહી છે. સવાલ ઈશાન કિશન અને કેએલ રાહુલને લઈને થઈ રહ્યો છે, આ બન્નેમાંથી એકે બહાર બેસવું પડી શકે છે. જાણકારોનું માનવું છે કે ટોપ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન માટે કેએલ રાહુલે હમણાં રાહ જોવી પડશે.


ભારતની સંભવિત પ્લેઈંગ-11 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી/મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાનના પ્લેઈંગ-11


બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફહીમ અશરફ, હારીસ રઉફ, નસીમ શાહ અને શાહીન. શાહ આફ્રિદી.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.