Asia Cup 2023: આજે ફરી ટકરાશે ભારત-પાકિસ્તાન, રાહુલ અને વરસાદ પર રહેશે નજર, બુમરાહ પણ ટીમ સાથે જોડાશે


  • Published By :
  • Published Date : 2023-09-10 11:11:41

એશિયા કપ 2023માં આજે બીજી વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. સુપર-4 રાઉન્ડની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી રમાશે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બેટ્સમેનો માટે લિટમસ ટેસ્ટ બની રહી છે. ખાસ કરીને ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ અને નસીમ શાહ મુશ્કેલી ઊભી કરી શકે છે. કોહલી અને રોહિત હંમેશા શાહીન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે પરંતુ કોલંબોની આ પીચ આજે કોહલી અને રોહિતની ખરી પરીક્ષા લેશે. વાસ્તવમાં, કોલંબોની આ પિચ બોલિંગ માટે મદદગાર સાબિત થઈ શકે છે. જો આકાશ વાદળછાયું હોય તો ઝડપી બોલરો પોતાની સ્વિંગથી હાહાકાર મચાવી શકે છે. કોલંબોમાં હવામાન પર નજર કરીએ તો મેચ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના વધુ છે.


ટીમમાંથી કોનું પત્તું કપાશે?

 

પાકિસ્તાને એક દિવસ પહેલા જ પોતાના પ્લેઈંગ XI અંગેની જાહેરાત કરી દીધી છે. જોકે, ભારતે હજુ સુધી જાહેરાત કરી નથી. સૌથી મોટી સમસ્યા ઈશાન કિશન અને કેએલ રાહુલના નામની છે. એક બદલાવ પાક્કો છે કે જે જસપ્રીત બુમરાહના કમબેકના કારણે થશે. પોતાના ઘરે પારણું બંધાવાનું હતું જેના કારણે બુમરાહ શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો હતો. પરંતુ હવે તેની પાકિસ્તાન સામેની મેચમાં એન્ટ્રી લગભગ નક્કી જ માનવામાં આવી રહી છે. આવામાંથી ટીમમાંથી કોનું પત્તું કપાશે તે સૌથી મોટો મુદ્દો બનેલો છે. મહત્વનું છે કે કેએલ રાહુલ લાંબા સમય પછી ટીમમાં પરત ફર્યો છે જ્યારે ઈશાન કિશને અગાઉની પાકિસ્તાન સામેની રદ્દ થયેલી મેચમાં મહત્વની ઈનિંગ્સ રમી હતી.


પાકિસ્તાને બોલિંગ તાકાત વધારી


પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે એક દિવસ પહેલા જ આ મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપ હેઠળ પાકિસ્તાની પ્લેઈંગ-11માં એક ફેરફાર થયો છે. મોહમ્મદ નવાઝ ભારત સામે ગ્રુપ સ્ટેજની મેચમાં રમતા જોવા મળ્યો હતો. હવે બીજી મેચમાં નવાઝની જગ્યાએ ફહીમ અશરફને જગ્યા મળી છે. આ રીતે, પાકિસ્તાને તેની ઝડપી બોલિંગની ધાર વધુ તેજ કરી છે. જસપ્રીદ બુમરાહનું કમબેક લગભગ નિશ્ચિત છે. તેને મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરનો સાથ મળશે. ઓલરાઉન્ડર અને વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ સાથ મળી શકે છે. સ્પિનમાં કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાની ફિરકી નજરે પડશે.


શુભમન ગિલ કેવો કમાલ કરશે?


ઓપનિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડી પર નજર રહેશે. પાકિસ્તાન સામે મહત્વની મેચમાં અહીં બદલાવ થવાની સંભાવનાઓ ઓછી છે. વિરાટ કોહલી, શ્રેયસ ઐયરની જગ્યા પણ પાક્કી માનવામાં આવી રહી છે. સવાલ ઈશાન કિશન અને કેએલ રાહુલને લઈને થઈ રહ્યો છે, આ બન્નેમાંથી એકે બહાર બેસવું પડી શકે છે. જાણકારોનું માનવું છે કે ટોપ ફોર્મમાં ચાલી રહેલા ઈશાન માટે કેએલ રાહુલે હમણાં રાહ જોવી પડશે.


ભારતની સંભવિત પ્લેઈંગ-11 


રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ/ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી/મોહમ્મદ સિરાજ.


પાકિસ્તાનના પ્લેઈંગ-11


બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઈમામ ઉલ હક, સલમાન અલી આગા, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), શાદાબ ખાન (વાઈસ-કેપ્ટન), ફહીમ અશરફ, હારીસ રઉફ, નસીમ શાહ અને શાહીન. શાહ આફ્રિદી.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી