બ્રેકિંગ ન્યૂઝ: કોલંબોમાં યોજાનારી ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચો આ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવશે! જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-09-03 18:55:19

એશિયા કપ 2023માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂર્નામેન્ટની વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મોટો નિર્ણય લઈ શકે છે. તે શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી સુપર-4 સ્ટેજની તમામ મેચોને પલ્લેકેલે શિફ્ટ કરી શકે છે. મેચોને શિફ્ટ કરવા માટે દાંબુલા શહેર અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પલ્લેકેલમાં શિફ્ટ થવાની શક્યતા વધુ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે આ સમયે કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી અહીં સતત વરસાદ રહેશે. આ જ કારણ છે કે ACCએ તમામ મેચો કોલંબોમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.


ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચો કોલંબોમાં યોજાવાની છે


 આ વખતે એશિયા કપ હાઈબ્રિડ મોડલ હેઠળ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત યજમાન પાકિસ્તાનમાં 4 મેચ યોજાવાની છે. જ્યારે ફાઈનલ સહિતની 9 મેચ શ્રીલંકામાં રમાશે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમાઈ છે. આ રાઉન્ડમાં હજુ 2 મેચ રમવાની બાકી છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગ્રુપ સ્ટેજની કોઈપણ મેચ રમાવાની નથી. જ્યારે ફાઈનલ સહિત સુપર-4 તબક્કાની તમામ મેચો માત્ર કોલંબોમાં જ રમવાની છે. પરંતુ શ્રીલંકાની રાજધાનીમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદના કારણે મેચ ધોવાઈ જવાની પ્રબળ સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ACC તમામ સુપર-4 મેચોને રાજધાની કોલંબોથી પલ્લેકેલે અથવા દાંબુલામાં શિફ્ટ કરી શકે છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.