બ્રેકિંગ ન્યૂઝ: કોલંબોમાં યોજાનારી ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચો આ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવશે! જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-09-03 18:55:19

એશિયા કપ 2023માંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટૂર્નામેન્ટની વચ્ચે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મોટો નિર્ણય લઈ શકે છે. તે શ્રીલંકાના કોલંબોમાં યોજાનારી સુપર-4 સ્ટેજની તમામ મેચોને પલ્લેકેલે શિફ્ટ કરી શકે છે. મેચોને શિફ્ટ કરવા માટે દાંબુલા શહેર અંગે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ પલ્લેકેલમાં શિફ્ટ થવાની શક્યતા વધુ હોવાનું કહેવાય છે. ઉલ્લેખનિય છે કે આ સમયે કોલંબોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી અહીં સતત વરસાદ રહેશે. આ જ કારણ છે કે ACCએ તમામ મેચો કોલંબોમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.


ફાઈનલ સહિત સુપર-4ની તમામ મેચો કોલંબોમાં યોજાવાની છે


 આ વખતે એશિયા કપ હાઈબ્રિડ મોડલ હેઠળ ODI ફોર્મેટમાં રમાઈ રહ્યો છે. આ અંતર્ગત યજમાન પાકિસ્તાનમાં 4 મેચ યોજાવાની છે. જ્યારે ફાઈનલ સહિતની 9 મેચ શ્રીલંકામાં રમાશે. અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં 4 મેચ રમાઈ છે. આ રાઉન્ડમાં હજુ 2 મેચ રમવાની બાકી છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ગ્રુપ સ્ટેજની કોઈપણ મેચ રમાવાની નથી. જ્યારે ફાઈનલ સહિત સુપર-4 તબક્કાની તમામ મેચો માત્ર કોલંબોમાં જ રમવાની છે. પરંતુ શ્રીલંકાની રાજધાનીમાં વરસાદ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદના કારણે મેચ ધોવાઈ જવાની પ્રબળ સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને, ACC તમામ સુપર-4 મેચોને રાજધાની કોલંબોથી પલ્લેકેલે અથવા દાંબુલામાં શિફ્ટ કરી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.