વન વિભાગના પાપે એશિયાનું સૌથી મોટું ટીમ્બર ઉદ્યોગ ઠપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:55:50

કચ્છના ગાંધીધામનો ટીમ્બર ઉદ્યોગ એશિયાનો સૌથી મોટો ટીમ્બર ઉદ્યોગ છે. પરંતુ આ ઉદ્યોગના અત્યારે પડતીના દિવસો ચાલી રહ્યા છે. વાત એવી છે કે વન વિભાગના અધિકારીઓના કારણે ટીમ્બરના ઉદ્યોગને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. 


કેવી રીતે થયો ટીમ્બર ઉદ્યોગ ઠપ 

કચ્છમાં વિદેશથી આવતા ટીમ્બર માટેની જે વર્ષો જૂની પ્રથા હતી તે રાતોરાત બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓને ટ્રાન્ઝીટ પાસ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝીટ સિસ્ટમ માટે ઘણી અરજીઓ આવી છે પરંતુ હાલ થોડી જ અરજીઓ પાસ થઈ છે જેના કારણે કરોડોનો વેપાર ઠપ પડી ગયો છે. 


અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાનો ઉદ્યોગપતિઓનો આક્ષેપ

ટીમ્બર વેપારીઓના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છના સ્થાનિક વન વિભાગની કચેરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે ટ્રાન્ઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ 20 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ વન વિભાગ 280 રૂપિયા ઉઘરાવે છે. ટીમ્બર મીલની નોંધણી માટે પણ હજારો રૂપિયા ગેરકાયદેસર રીતે લેવામાં આવે છે તેવો ટીમ્બરના ઉદ્યોગપતિઓ આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે વન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.  


ભારત ડિજિટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યું છે અને સિસ્ટમ અપડેટ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ક્ષેત્રોમાં તેની અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.