વન વિભાગના પાપે એશિયાનું સૌથી મોટું ટીમ્બર ઉદ્યોગ ઠપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:55:50

કચ્છના ગાંધીધામનો ટીમ્બર ઉદ્યોગ એશિયાનો સૌથી મોટો ટીમ્બર ઉદ્યોગ છે. પરંતુ આ ઉદ્યોગના અત્યારે પડતીના દિવસો ચાલી રહ્યા છે. વાત એવી છે કે વન વિભાગના અધિકારીઓના કારણે ટીમ્બરના ઉદ્યોગને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. 


કેવી રીતે થયો ટીમ્બર ઉદ્યોગ ઠપ 

કચ્છમાં વિદેશથી આવતા ટીમ્બર માટેની જે વર્ષો જૂની પ્રથા હતી તે રાતોરાત બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓને ટ્રાન્ઝીટ પાસ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝીટ સિસ્ટમ માટે ઘણી અરજીઓ આવી છે પરંતુ હાલ થોડી જ અરજીઓ પાસ થઈ છે જેના કારણે કરોડોનો વેપાર ઠપ પડી ગયો છે. 


અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાનો ઉદ્યોગપતિઓનો આક્ષેપ

ટીમ્બર વેપારીઓના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છના સ્થાનિક વન વિભાગની કચેરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે ટ્રાન્ઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ 20 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ વન વિભાગ 280 રૂપિયા ઉઘરાવે છે. ટીમ્બર મીલની નોંધણી માટે પણ હજારો રૂપિયા ગેરકાયદેસર રીતે લેવામાં આવે છે તેવો ટીમ્બરના ઉદ્યોગપતિઓ આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે વન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.  


ભારત ડિજિટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યું છે અને સિસ્ટમ અપડેટ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ક્ષેત્રોમાં તેની અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.