વન વિભાગના પાપે એશિયાનું સૌથી મોટું ટીમ્બર ઉદ્યોગ ઠપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 20:55:50

કચ્છના ગાંધીધામનો ટીમ્બર ઉદ્યોગ એશિયાનો સૌથી મોટો ટીમ્બર ઉદ્યોગ છે. પરંતુ આ ઉદ્યોગના અત્યારે પડતીના દિવસો ચાલી રહ્યા છે. વાત એવી છે કે વન વિભાગના અધિકારીઓના કારણે ટીમ્બરના ઉદ્યોગને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. 


કેવી રીતે થયો ટીમ્બર ઉદ્યોગ ઠપ 

કચ્છમાં વિદેશથી આવતા ટીમ્બર માટેની જે વર્ષો જૂની પ્રથા હતી તે રાતોરાત બંધ કરી દેવામાં આવતા ઉદ્યોગપતિઓને ટ્રાન્ઝીટ પાસ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાન્ઝીટ સિસ્ટમ માટે ઘણી અરજીઓ આવી છે પરંતુ હાલ થોડી જ અરજીઓ પાસ થઈ છે જેના કારણે કરોડોનો વેપાર ઠપ પડી ગયો છે. 


અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યાનો ઉદ્યોગપતિઓનો આક્ષેપ

ટીમ્બર વેપારીઓના જણાવ્યા મુજબ પૂર્વ કચ્છના સ્થાનિક વન વિભાગની કચેરી ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે. તેમનો આક્ષેપ છે કે ટ્રાન્ઝીટ પાસ માટે સરકારી નિયમ મુજબ 20 રૂપિયા લેવામાં આવતા હતા પરંતુ વન વિભાગ 280 રૂપિયા ઉઘરાવે છે. ટીમ્બર મીલની નોંધણી માટે પણ હજારો રૂપિયા ગેરકાયદેસર રીતે લેવામાં આવે છે તેવો ટીમ્બરના ઉદ્યોગપતિઓ આક્ષેપ લગાવી રહ્યા છે. જોકે સમગ્ર મામલે વન વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આપવામાં આવી.  


ભારત ડિજિટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યું છે અને સિસ્ટમ અપડેટ કરી રહ્યું છે પરંતુ સ્થાનિક ક્ષેત્રોમાં તેની અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"