લોનાવલા તળાવની નીચે બંધાઇ રહી છે એશિયાની સૌથી પહોળી ભૂગર્ભ ટનલ


  • Published By :
  • Published Date : 2022-11-11 12:31:21

ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં પૂૂર્ણ થનારા મુંબઇ-પુણે એક્સપ્રેસ વેના મિસિંગ -લિન્ક પ્રોજેક્ટનું અવલોકન કરવા ગયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિદેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દેશનો પથમદર્શી પ્રોજેક્ટ છે અને તેનાથી લાખો પ્રવાસીઓનેે ફાયદો થશે. તેમણે એવી માહિતી આપી હતી કે તેઓ જ્યાં ઊભા છે તે લોનાવલા તળાવની નીચેની જગ્યા છે જ્યાં ટનલનું કામ પૂર્ણ થયું છે.


મુખ્ય પ્રધાન શિંદેએ મુંબઇ-પુણે એક્સપ્રેસ વે ઉપર ખોપોલીથી કુસગાંવ દરમિયાન મુંબઇ-પુણે એક્સપ્રેસ વે (મિસિંગ-લિન્ક) પ્રોજેક્ટની મુલાકાત લઇને લોનાવલા (સિંહગઢ) ખાતે શરૂ કરાયેલા ભૂગર્ભ ટનલના કામનું નિરિક્ષણ કર્યું હતું. આ અંગે તેમણે પ્રસારમાધ્યમો સાથે વાત કરી હતી. આ સમયે સંસદસભ્ય શ્રીરંગ બારણે, મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના (એમએસઆરડીએ) મહા સંચાલક રાધેશ્યામ મોપલવાર, જિલ્લાધિકારી ડો. રાજેશ દેશમુખ, પિંપરી-ચિંચવડના પોલીસ આયુક્ત અંકુશ શિંદે, એમએસઆરડીસીના અધીક્ષક અભિયંતા રાહુલ વસઇકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

By end of 2023, travel to Lonavala via longest tunnel

મિસિંગ-લિન્ક પ્રોજેક્ટમાં વિશ્ર્વની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામ અતિશય પડકારજનક છે. લોનાવલા તળાવની ૫૦૦થી ૬૦૦ ફૂટ નીચે આ દુનિયાની અનોખી ભૂગર્ભ ટનલ છે. ભૂગર્ભ ટનલની લંબાઇ ૮ કિલોમીટર છે અનેે વિશ્ર્વની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટનલ બાંધવામાં આવશે. ભૂગર્ભ ટનલની પહોળાઇ ૨૩.૭૫ મીટર હોવાનું અને તે દેશમાં જ નહીં વિશ્ર્વમાં સૌથી વધારે પહોળાઇ ધરાવતી ટનલ હોવાનુંં કહેવાય છે. મિસિંગ-લીન્ક પ્રોજેક્ટ અંતર્ગત મુંબઇ-પુણે પ્રવાસમાં અડધા કલાકનો ઘટાડો થશે. ભૂગર્ભ ટનલને પગલે ઘાટનો સંપૂર્ણ ભાગટાળવામાં આવશે અને અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થશે એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએે વ્યક્ત કર્યો હતો.

At 7.7 Km, State's Longest Tunnel Linking Igatpuri To Kasara On Verge Of  Completion | Nashik News - Times of India

ભૂગર્ભ ટનલની આ છે ખાસિયત 

અંતરમાં ઘટાડો: ૫.૭ કિલોમીટર

સમયનો બચાવ : ૨૦-૨૫ મિનિટ

ટનલની લંબાઇ : ૮ કિલોમીટર

૨.૫ કિલોમીટર લાંબી આ ટનલ લોનાવલા તળાવની નીચેથી ૧૧૪ મીટરથી ૧૭૫ મીટર ઊંડાઇથી પસાર થશે

કેબલ-સ્ટે બિીજ : ૦.૬૫૦ લાંબો અને ૮૨ મીટર

આઠ લેનના એક્સપ્રેસ વેનો ભાગ : ૫.૮૬ કિલોમીટર

ટનલની પહોળાઇ : ૨૩.૭૫ મીટર, એશિયામાં સૌથી વધુ પહોળી




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.