લોનાવલા તળાવની નીચે બંધાઇ રહી છે એશિયાની સૌથી પહોળી ભૂગર્ભ ટનલ


  • Published By :
  • Published Date : 2022-11-11 12:31:21

ડિસેમ્બર, ૨૦૨૩ સુધીમાં પૂૂર્ણ થનારા મુંબઇ-પુણે એક્સપ્રેસ વેના મિસિંગ -લિન્ક પ્રોજેક્ટનું અવલોકન કરવા ગયેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિદેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ દેશનો પથમદર્શી પ્રોજેક્ટ છે અને તેનાથી લાખો પ્રવાસીઓનેે ફાયદો થશે. તેમણે એવી માહિતી આપી હતી કે તેઓ જ્યાં ઊભા છે તે લોનાવલા તળાવની નીચેની જગ્યા છે જ્યાં ટનલનું કામ પૂર્ણ થયું છે.


મુખ્ય પ્રધાન શિંદેએ મુંબઇ-પુણે એક્સપ્રેસ વે ઉપર ખોપોલીથી કુસગાંવ દરમિયાન મુંબઇ-પુણે એક્સપ્રેસ વે (મિસિંગ-લિન્ક) પ્રોજેક્ટની મુલાકાત લઇને લોનાવલા (સિંહગઢ) ખાતે શરૂ કરાયેલા ભૂગર્ભ ટનલના કામનું નિરિક્ષણ કર્યું હતું. આ અંગે તેમણે પ્રસારમાધ્યમો સાથે વાત કરી હતી. આ સમયે સંસદસભ્ય શ્રીરંગ બારણે, મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળના (એમએસઆરડીએ) મહા સંચાલક રાધેશ્યામ મોપલવાર, જિલ્લાધિકારી ડો. રાજેશ દેશમુખ, પિંપરી-ચિંચવડના પોલીસ આયુક્ત અંકુશ શિંદે, એમએસઆરડીસીના અધીક્ષક અભિયંતા રાહુલ વસઇકર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

By end of 2023, travel to Lonavala via longest tunnel

મિસિંગ-લિન્ક પ્રોજેક્ટમાં વિશ્ર્વની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કામ અતિશય પડકારજનક છે. લોનાવલા તળાવની ૫૦૦થી ૬૦૦ ફૂટ નીચે આ દુનિયાની અનોખી ભૂગર્ભ ટનલ છે. ભૂગર્ભ ટનલની લંબાઇ ૮ કિલોમીટર છે અનેે વિશ્ર્વની અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ ટનલ બાંધવામાં આવશે. ભૂગર્ભ ટનલની પહોળાઇ ૨૩.૭૫ મીટર હોવાનું અને તે દેશમાં જ નહીં વિશ્ર્વમાં સૌથી વધારે પહોળાઇ ધરાવતી ટનલ હોવાનુંં કહેવાય છે. મિસિંગ-લીન્ક પ્રોજેક્ટ અંતર્ગત મુંબઇ-પુણે પ્રવાસમાં અડધા કલાકનો ઘટાડો થશે. ભૂગર્ભ ટનલને પગલે ઘાટનો સંપૂર્ણ ભાગટાળવામાં આવશે અને અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થશે એવો વિશ્ર્વાસ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએે વ્યક્ત કર્યો હતો.

At 7.7 Km, State's Longest Tunnel Linking Igatpuri To Kasara On Verge Of  Completion | Nashik News - Times of India

ભૂગર્ભ ટનલની આ છે ખાસિયત 

અંતરમાં ઘટાડો: ૫.૭ કિલોમીટર

સમયનો બચાવ : ૨૦-૨૫ મિનિટ

ટનલની લંબાઇ : ૮ કિલોમીટર

૨.૫ કિલોમીટર લાંબી આ ટનલ લોનાવલા તળાવની નીચેથી ૧૧૪ મીટરથી ૧૭૫ મીટર ઊંડાઇથી પસાર થશે

કેબલ-સ્ટે બિીજ : ૦.૬૫૦ લાંબો અને ૮૨ મીટર

આઠ લેનના એક્સપ્રેસ વેનો ભાગ : ૫.૮૬ કિલોમીટર

ટનલની પહોળાઇ : ૨૩.૭૫ મીટર, એશિયામાં સૌથી વધુ પહોળી




રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.