Asia Cup 2023: ભારત-પાકિસ્તાન સુપર-4 મુકાબલા માટે રિઝર્વ ડે, ACCએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:48:43

શ્રીલંકામાં યોજાઈ રહેલી એશિયા કપની મેચોમાં વરસાદ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. વરસાદના વિઘ્નથી  ચિંતિંત એશિયન ક્રિકેટ કાઉન્સિલે  (ACC)આજે મહત્વનો નિર્ણય લીધો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ સુપર-4ના મુકાબલા માટે નિયમો બદલ્યા છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે  તો રિઝર્વ દિવસે બંને દેશો વચ્ચે મુકાબલો થશે. એશિયા કપમાં અગાઉ નિયમો મુજબ એક પણ મેચ રિઝર્વ દિવસે રાખવામાં આવી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રવિવારે  યોજાશે. મહત્વની બાબત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર મેચ-4માં એક માત્ર એવો મુકાબલો છે  જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4ની કોઈ અન્ય મેચ માટે આ સુવિધા રાખવામાં આવી નથી.  એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી શેર કરવામાં આવશે.


કોલંબોમાં વરસાદની આશંકા


ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલા આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે કોલંબો પાસેથી મેચની યજમાની પાછી ખેંચવાની વાત થઈ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે મેચોને હંબનટોટા કે દાંબુલામાં શિફ્ટ કરવા અંગે વિચાર ચાલી રહ્યો હતો. પરંતું એવું થયું નથી, હવે એશિયા કપ માટે બચેલા તમામ મુકાબલા કોલંબોમાં જ યોજાશે.  


આ  છે હવામાનની આગાહી?


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદની સંભાવના 90 ટકા સુધી છે. રાત્રે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દિવસ કરતાં રાત્રે ભારે વરસાદ પડવાની   શક્યતા 96 ટકા સુધી છે. રાત્રે વાદળછાયેલા રહેવાની આશંકા 98 ટકા છે. કોલંબોમાં રવિવારે 10 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 90 ટકા સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.