Asia Cup 2023: ભારત-પાકિસ્તાન સુપર-4 મુકાબલા માટે રિઝર્વ ડે, ACCએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-09-08 15:48:43

શ્રીલંકામાં યોજાઈ રહેલી એશિયા કપની મેચોમાં વરસાદ સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. વરસાદના વિઘ્નથી  ચિંતિંત એશિયન ક્રિકેટ કાઉન્સિલે  (ACC)આજે મહત્વનો નિર્ણય લીધો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ સુપર-4ના મુકાબલા માટે નિયમો બદલ્યા છે. રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચમાં વરસાદ વિઘ્નરૂપ બનશે  તો રિઝર્વ દિવસે બંને દેશો વચ્ચે મુકાબલો થશે. એશિયા કપમાં અગાઉ નિયમો મુજબ એક પણ મેચ રિઝર્વ દિવસે રાખવામાં આવી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ રવિવારે  યોજાશે. મહત્વની બાબત એ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર મેચ-4માં એક માત્ર એવો મુકાબલો છે  જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. સુપર-4ની કોઈ અન્ય મેચ માટે આ સુવિધા રાખવામાં આવી નથી.  એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફાઈનલ માટે કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. જો વરસાદને કારણે ફાઈનલ મેચ પૂર્ણ નહીં થાય તો બંને ટીમોને વિજેતા જાહેર કરવામાં આવશે અને ટ્રોફી શેર કરવામાં આવશે.


કોલંબોમાં વરસાદની આશંકા


ભારત અને પાકિસ્તાન વચ્ચે આ મુકાબલો શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલા આર પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાશે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. સ્થિતિ એટલી ચિંતાજનક બની છે કે કોલંબો પાસેથી મેચની યજમાની પાછી ખેંચવાની વાત થઈ રહી હતી. એવું માનવામાં આવી રહ્યું હતું કે મેચોને હંબનટોટા કે દાંબુલામાં શિફ્ટ કરવા અંગે વિચાર ચાલી રહ્યો હતો. પરંતું એવું થયું નથી, હવે એશિયા કપ માટે બચેલા તમામ મુકાબલા કોલંબોમાં જ યોજાશે.  


આ  છે હવામાનની આગાહી?


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદની સંભાવના 90 ટકા સુધી છે. રાત્રે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. દિવસ કરતાં રાત્રે ભારે વરસાદ પડવાની   શક્યતા 96 ટકા સુધી છે. રાત્રે વાદળછાયેલા રહેવાની આશંકા 98 ટકા છે. કોલંબોમાં રવિવારે 10 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 90 ટકા સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.