રાજકીય પક્ષો 70 ટકા ફંડ ક્યાંથી લાવ્યા તે કોઈને નથી ખબર!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:37:10

રાજકીય પક્ષોને મળતા કુલ ફંડમાંથી 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી આવ્યું હોવાનો ઘટસ્ફોટ ADR રિપોર્ટમાં થયો છે. વર્ષ 2019-20માં તમામ રાજકીય પાર્ટીઓ કુલ મળેલા કુલ ફંડમાંથી 3,377.41 કરોડ જેટલી રકમ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળી હોવાનો ખુલાસો થયો છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ રાજકીય પાર્ટીઓએ રજૂ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નનું એનાલિસીસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.


ADR દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર 2004-05 થી 2020-21 સુધીમાં રાજકીય પક્ષો ને 15,977.97કરોડ જેટલી માતબર  આવક ગુપ્ત (અજ્ઞાત) સ્ત્રોતથી મળેલ છે. એટલે કે આ આવક કયા સ્રોતમાંથી થઈ છે? કોણે આપી છે વગેરે વિગતો  ગુપ્ત છે.

 

વર્ષ 2020-21 દરમ્યાન 8 રાષ્ટ્રીય પક્ષોને થયેલ કુલ આવકમાંથી 426.742 (31%) જેટલી આવક ગુપ્ત સ્ત્રોત માંથી થયેલ છે, જ્યારે 27 ક્ષેત્રીય પક્ષોની કુલ આવકમાં થી 263.928 કરોડ (49.73%) અજ્ઞાત સ્ત્રોત માંથી આવેલા છે. અજ્ઞાત સ્ત્રોત માં ચૂંટણી બોન્ડ, કુપનનું વેચાણ, સ્વૈચ્છીક ફાળો, 20 હજારથી નીચેની રકમનું  દાન,મોર્ચા અને મિટિંગમાંથી ભેગો થયેલ ફાળો,રાહત ફંડ અને અન્ય આવકો નો સમાવેશ થાય છે.


દેશની તમામ મોટી રાજકીય પાર્ટી ઈલેક્ટ્રોરલ બોન્ડ, લોકોના દાન સ્વરૂપે મેળવે છે. ADRના રિપોર્ટ મુજબ રાજકિય પક્ષો 20 હજારથી ઓછી રકમમાં ફંડ આપનારની વિગત જાહેર કરતી નથી. જેથી તેમને ડોનેશન આપનાર વ્યક્તિની જાણકારી ગુપ્ત રહે છે.


નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ભાજપે 2,642.63 કરોડ જેટલુ ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળ્યાનું જાહેર કર્યું હતું. આ રકમ કુલ ફંડની 78.24 ટકા જેટલી થાય છે. તે જ પ્રકારે કોંગ્રેસે પણ 526 કરોડ  અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યાનું ઈન્કમ ટેક્સ રિટર્નમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું કે તમામ 6 રાષ્ટ્રિય પાર્ટીની તુલનામાં ભાજપે જાહેર કરેલી અજ્ઞાત સ્ત્રોતની આવક 3.5 ગણી છે. અન્ય 6 રાજકીય પક્ષોએ કુલ મળીને 734.78 કરોડ જેટલું અજ્ઞાત ફંડ જાહેર કર્યું છે.


તમામ રાજકિય પાર્ટીઓએ રજુ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નમાં  3,377.41 કરોડ જેટલું ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફંડમાંથી ઈલેક્ટ્રોરલ બોન્ડના વેચાણ સ્વરૂપે 2,993.826 કરોડ જે કુલ 88.643 ટકા જેટલી રકમ થાય છે.  


વિશ્નના અન્ય દેશો ભુટાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, બ્રાઝીલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાનમાં રાજકીય પક્ષોએ તેમના આવકના સ્ત્રોત જાહેર કરવા અનિવાર્ય છે. જ્યારે ભારતમાં રાજકિય પાર્ટીઓને મળતા કુલ ફંડની 70 ટકા રકમ અજ્ઞાત હોય તે લોકશાહી માટે ચિંતાજનક કહીં શકાય. લોકશાહીના હિતમાં રાજ્કીય પક્ષોના મળતાં નાણાંમાં પારદર્શિતા લાવવા માટે કોઈક નિયમનની જરૂર છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.