રાજકીય પક્ષો 70 ટકા ફંડ ક્યાંથી લાવ્યા તે કોઈને નથી ખબર!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:37:10

રાજકીય પક્ષોને મળતા કુલ ફંડમાંથી 70 ટકા રકમ અજ્ઞાત સ્ત્રોતમાંથી આવ્યું હોવાનો ઘટસ્ફોટ ADR રિપોર્ટમાં થયો છે. વર્ષ 2019-20માં તમામ રાજકીય પાર્ટીઓ કુલ મળેલા કુલ ફંડમાંથી 3,377.41 કરોડ જેટલી રકમ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળી હોવાનો ખુલાસો થયો છે. એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)એ રાજકીય પાર્ટીઓએ રજૂ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નનું એનાલિસીસ કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.


ADR દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણ અનુસાર 2004-05 થી 2020-21 સુધીમાં રાજકીય પક્ષો ને 15,977.97કરોડ જેટલી માતબર  આવક ગુપ્ત (અજ્ઞાત) સ્ત્રોતથી મળેલ છે. એટલે કે આ આવક કયા સ્રોતમાંથી થઈ છે? કોણે આપી છે વગેરે વિગતો  ગુપ્ત છે.

 

વર્ષ 2020-21 દરમ્યાન 8 રાષ્ટ્રીય પક્ષોને થયેલ કુલ આવકમાંથી 426.742 (31%) જેટલી આવક ગુપ્ત સ્ત્રોત માંથી થયેલ છે, જ્યારે 27 ક્ષેત્રીય પક્ષોની કુલ આવકમાં થી 263.928 કરોડ (49.73%) અજ્ઞાત સ્ત્રોત માંથી આવેલા છે. અજ્ઞાત સ્ત્રોત માં ચૂંટણી બોન્ડ, કુપનનું વેચાણ, સ્વૈચ્છીક ફાળો, 20 હજારથી નીચેની રકમનું  દાન,મોર્ચા અને મિટિંગમાંથી ભેગો થયેલ ફાળો,રાહત ફંડ અને અન્ય આવકો નો સમાવેશ થાય છે.


દેશની તમામ મોટી રાજકીય પાર્ટી ઈલેક્ટ્રોરલ બોન્ડ, લોકોના દાન સ્વરૂપે મેળવે છે. ADRના રિપોર્ટ મુજબ રાજકિય પક્ષો 20 હજારથી ઓછી રકમમાં ફંડ આપનારની વિગત જાહેર કરતી નથી. જેથી તેમને ડોનેશન આપનાર વ્યક્તિની જાણકારી ગુપ્ત રહે છે.


નાણાકિય વર્ષ 2019-20 દરમિયાન ભાજપે 2,642.63 કરોડ જેટલુ ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મળ્યાનું જાહેર કર્યું હતું. આ રકમ કુલ ફંડની 78.24 ટકા જેટલી થાય છે. તે જ પ્રકારે કોંગ્રેસે પણ 526 કરોડ  અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યાનું ઈન્કમ ટેક્સ રિટર્નમાં જણાવ્યું હતું.


ADR રિપોર્ટમાં તે પણ જાણવા મળ્યું કે તમામ 6 રાષ્ટ્રિય પાર્ટીની તુલનામાં ભાજપે જાહેર કરેલી અજ્ઞાત સ્ત્રોતની આવક 3.5 ગણી છે. અન્ય 6 રાજકીય પક્ષોએ કુલ મળીને 734.78 કરોડ જેટલું અજ્ઞાત ફંડ જાહેર કર્યું છે.


તમામ રાજકિય પાર્ટીઓએ રજુ કરેલા ઈન્કમ ટેક્સ રિટર્નમાં  3,377.41 કરોડ જેટલું ફંડ અજ્ઞાત સ્ત્રોત પાસેથી મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ફંડમાંથી ઈલેક્ટ્રોરલ બોન્ડના વેચાણ સ્વરૂપે 2,993.826 કરોડ જે કુલ 88.643 ટકા જેટલી રકમ થાય છે.  


વિશ્નના અન્ય દેશો ભુટાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઈટાલી, બ્રાઝીલ, બલ્ગેરિયા, અમેરિકા અને જાપાનમાં રાજકીય પક્ષોએ તેમના આવકના સ્ત્રોત જાહેર કરવા અનિવાર્ય છે. જ્યારે ભારતમાં રાજકિય પાર્ટીઓને મળતા કુલ ફંડની 70 ટકા રકમ અજ્ઞાત હોય તે લોકશાહી માટે ચિંતાજનક કહીં શકાય. લોકશાહીના હિતમાં રાજ્કીય પક્ષોના મળતાં નાણાંમાં પારદર્શિતા લાવવા માટે કોઈક નિયમનની જરૂર છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે