AstraZeneca Vaccine : બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસીની સાઇડ ઇફેક્ટથી લોહીમાં ગાંઠો પડે છે? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-30 12:44:44

થોડા વર્ષો પહેલા આપણે કોરોના મહામારી જેવી મહામારીનો સામનો કર્યો.. અનક લોકોના મોત આ કોરોનાને કારણે થયા, અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા... કોરોના સામે લડવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી... કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

અનેક લોકો પર થઈ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટ!

કોરોનાથી બચવા માટે અનેક કંપની દ્વારા કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી. અલગ અલગ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી.. AstraZenecaએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી જેને આપણે કોવિશિલ્ડ નામથી ઓળખીએ છીએ.. આ વેક્સિન અલગ અલગ નામોથી વિશ્વભરમાં લોકોને આપવામાં આવી... આ બધા વચ્ચે અનેક પરિવારો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યા કે રસની સાઈડ ઈફેક્ટ થઈ છે... AstraZeneca રસી લીધા પછી મૃત્યુ, લોહી ગંઠાઈ જવા અને અન્ય ગંભીર સમસ્યાઓના કારણે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે.


આ વ્યક્તિએ કર્યો હતો કેસ 

આ મામલે મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેઝેનેકા સામે પહેલો કેસ જેમી સ્કોટ નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી તેમને મગજની કાયમી ઈજા થઈ હતી. રસી લીધા પછી તે કામ કરી શક્યો નહીં. જેમીની હાલત ખરાબ થવા લાગી.. જેમીને ટીટીએસ નામની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ. આ બિમારીને કારણે દિમાગમાં લોહીની ગાંઠો પડી શકે છે... ત્યારે આને લઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો.. જે દરમિયાન કંપની દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે...  


કોર્ટમાં કંપનીએ રિપોર્ટ રજૂ કર્યો... 

રિપોર્ટ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ કોર્ટમાં દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની કોવિડ રસી કેટલાક કેસોમાં TTSનું કારણ બની શકે છે. યુકે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ 51 કેસ નોંધાયેલા છે. આની પહેલા મે 2023 માં, એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે રસીને કારણે TTS થવાની સંભાવનાને સ્વીકારતું નથી. જો કે, હવે કંપની કહી રહી છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં આવું થઈ શકે છે. અને તેને ખબર નથી કે આવું કેમ થયું. કંપનીનું એમ પણ કહેવું છે કે ટીટીએસ રસી વિના પણ થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે લોહીની ગાંઠો જામવા જેવી સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે આવા સાઈડ ઇફેક્ટ્સના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે.  



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?