AstraZeneca Vaccine : બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસીની સાઇડ ઇફેક્ટથી લોહીમાં ગાંઠો પડે છે? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-30 12:44:44

થોડા વર્ષો પહેલા આપણે કોરોના મહામારી જેવી મહામારીનો સામનો કર્યો.. અનક લોકોના મોત આ કોરોનાને કારણે થયા, અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા... કોરોના સામે લડવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી... કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

અનેક લોકો પર થઈ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટ!

કોરોનાથી બચવા માટે અનેક કંપની દ્વારા કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી. અલગ અલગ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી.. AstraZenecaએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી જેને આપણે કોવિશિલ્ડ નામથી ઓળખીએ છીએ.. આ વેક્સિન અલગ અલગ નામોથી વિશ્વભરમાં લોકોને આપવામાં આવી... આ બધા વચ્ચે અનેક પરિવારો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યા કે રસની સાઈડ ઈફેક્ટ થઈ છે... AstraZeneca રસી લીધા પછી મૃત્યુ, લોહી ગંઠાઈ જવા અને અન્ય ગંભીર સમસ્યાઓના કારણે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે.


આ વ્યક્તિએ કર્યો હતો કેસ 

આ મામલે મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેઝેનેકા સામે પહેલો કેસ જેમી સ્કોટ નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી તેમને મગજની કાયમી ઈજા થઈ હતી. રસી લીધા પછી તે કામ કરી શક્યો નહીં. જેમીની હાલત ખરાબ થવા લાગી.. જેમીને ટીટીએસ નામની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ. આ બિમારીને કારણે દિમાગમાં લોહીની ગાંઠો પડી શકે છે... ત્યારે આને લઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો.. જે દરમિયાન કંપની દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે...  


કોર્ટમાં કંપનીએ રિપોર્ટ રજૂ કર્યો... 

રિપોર્ટ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ કોર્ટમાં દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની કોવિડ રસી કેટલાક કેસોમાં TTSનું કારણ બની શકે છે. યુકે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ 51 કેસ નોંધાયેલા છે. આની પહેલા મે 2023 માં, એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે રસીને કારણે TTS થવાની સંભાવનાને સ્વીકારતું નથી. જો કે, હવે કંપની કહી રહી છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં આવું થઈ શકે છે. અને તેને ખબર નથી કે આવું કેમ થયું. કંપનીનું એમ પણ કહેવું છે કે ટીટીએસ રસી વિના પણ થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે લોહીની ગાંઠો જામવા જેવી સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે આવા સાઈડ ઇફેક્ટ્સના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.