AstraZeneca Vaccine : બ્રિટિશ કોર્ટમાં કંપનીએ સ્વીકાર્યું કે રસીની સાઇડ ઇફેક્ટથી લોહીમાં ગાંઠો પડે છે? જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2024-04-30 12:44:44

થોડા વર્ષો પહેલા આપણે કોરોના મહામારી જેવી મહામારીનો સામનો કર્યો.. અનક લોકોના મોત આ કોરોનાને કારણે થયા, અનેક પરિવારે પોતાના સભ્યોને ગુમાવ્યા... કોરોના સામે લડવા માટે વેક્સિન તૈયાર કરવામાં આવી... કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થયો..નાની નાની વયના લોકોના મોત હાર્ટ એટેકને કારણે થવા લાગ્યા. ત્યારે એવું માનવામાં આવતું કે કોરોના વેક્સિનની સાઈડ ઈફેક્ટને કારણે આ કિસ્સાઓમાં વધારો થયો છે. ત્યારે કોરોના વેક્સિન કોવિશિલ્ડ બનાવતી કંપની એસ્ટ્રજેનેકા દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. 

અનેક લોકો પર થઈ રસીની ગંભીર સાઈડ ઈફેક્ટ!

કોરોનાથી બચવા માટે અનેક કંપની દ્વારા કોરોના વેક્સિન તૈયાર કરવામાં આવી. અલગ અલગ કંપનીઓએ વેક્સિન તૈયાર કરી.. AstraZenecaએ પણ કોરોના વેક્સિન તૈયાર કરી જેને આપણે કોવિશિલ્ડ નામથી ઓળખીએ છીએ.. આ વેક્સિન અલગ અલગ નામોથી વિશ્વભરમાં લોકોને આપવામાં આવી... આ બધા વચ્ચે અનેક પરિવારો દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યા કે રસની સાઈડ ઈફેક્ટ થઈ છે... AstraZeneca રસી લીધા પછી મૃત્યુ, લોહી ગંઠાઈ જવા અને અન્ય ગંભીર સમસ્યાઓના કારણે કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘણા પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે રસીના કારણે ગંભીર આડઅસર થઈ છે.


આ વ્યક્તિએ કર્યો હતો કેસ 

આ મામલે મળતી માહિતી અનુસાર, મીડિયા રિપોર્ટ અનુસાર સ્ટ્રેઝેનેકા સામે પહેલો કેસ જેમી સ્કોટ નામના વ્યક્તિએ નોંધાવ્યો હતો. એપ્રિલ 2021માં એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી તેમને મગજની કાયમી ઈજા થઈ હતી. રસી લીધા પછી તે કામ કરી શક્યો નહીં. જેમીની હાલત ખરાબ થવા લાગી.. જેમીને ટીટીએસ નામની ગંભીર સાઈડ ઈફેક્ટ થઈ. આ બિમારીને કારણે દિમાગમાં લોહીની ગાંઠો પડી શકે છે... ત્યારે આને લઈ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો.. જે દરમિયાન કંપની દ્વારા એ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વેક્સિનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે...  


કોર્ટમાં કંપનીએ રિપોર્ટ રજૂ કર્યો... 

રિપોર્ટ અનુસાર એસ્ટ્રાઝેનેકાએ આ વર્ષે જ ફેબ્રુઆરીમાં જ કોર્ટમાં દસ્તાવેજો જમા કરાવ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું હતું કે તેની કોવિડ રસી કેટલાક કેસોમાં TTSનું કારણ બની શકે છે. યુકે હાઈકોર્ટમાં કંપની વિરુદ્ધ 51 કેસ નોંધાયેલા છે. આની પહેલા મે 2023 માં, એસ્ટ્રાઝેનેકાએ કહ્યું હતું કે તે સામાન્ય રીતે રસીને કારણે TTS થવાની સંભાવનાને સ્વીકારતું નથી. જો કે, હવે કંપની કહી રહી છે કે કેટલાક દુર્લભ કિસ્સાઓમાં આવું થઈ શકે છે. અને તેને ખબર નથી કે આવું કેમ થયું. કંપનીનું એમ પણ કહેવું છે કે ટીટીએસ રસી વિના પણ થઈ શકે છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે, કોવિડ-19 વેક્સિનના કારણે લોહીની ગાંઠો જામવા જેવી સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. જોકે, કંપનીએ દાવો કર્યો હતો કે આવા સાઈડ ઇફેક્ટ્સના કેસોની સંખ્યા ખૂબ ઓછી છે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.