અટલ બિહારી વાજપેયી પર બનનારી બાયોપિક 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-12-25 13:13:58

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. અટલ બિહારી વાજપેયી પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. જન્મદિવસ પર અનેક લોકો અટલજીને યાદ કરી રહ્યા છે. આ અવસર પર અટલજી પર બની રહેલી ફિલ્મ 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અટલજીનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોસ્ટર રિલીઝ કર્યું છે.

  

મોશન પોસ્ટર રિલીઝ કર્યું 

અટલ બિહારી વાજપેયી એક એવા નેતા હતા જેમને બીજી પાર્ટીના નેતાઓ પણ સન્માનની દ્રષ્ટ્રિએ જોવે છે. એવું માનવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીના કોઈ પણ શત્રુ ન હતા. વાજપેયીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અટલજી પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અટલજીના જન્મદિવસે અભિનેતાએ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન  કરી રહ્યા છે.



2023માં રિલીઝ થશે ફિલ્મ 

મોશન પોસ્ટર શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું કે અટલજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારા વ્યક્તિત્વ પર કામ કરવું જરૂરી બન્યું છે. હું ઉર્જા અને મનોબળનૈ આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ. અટલ બિહારી વાજપૈયીની બાયોપિક મેં અટલ હું ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ રાજકીય જીવનને રજૂ કરશે. રાજનેતા હોવાની સાથે સાથે તેઓ ઉચ્ચકોટીના કવિ, લોકપ્રિય નેતા હતા. આ ફિલ્મ પુસ્તક 'ધ અનટોલ્ડ વાજપૈયી: પોલિટિક્સ એન્ડ પેરાડોક્સ' પર આધારીત છે.                  




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી