અટલ બિહારી વાજપેયી પર બનનારી બાયોપિક 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ


  • Published By :
  • Published Date : 2022-12-25 13:13:58

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે જન્મજયંતી છે. અટલ બિહારી વાજપેયી પ્રભાવશાળી નેતાઓમાંથી એક છે. જન્મદિવસ પર અનેક લોકો અટલજીને યાદ કરી રહ્યા છે. આ અવસર પર અટલજી પર બની રહેલી ફિલ્મ 'મેં અટલ હું'નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં અટલજીનું પાત્ર ભજવનાર અભિનેતા પંકજ ત્રિપાઠીએ પોસ્ટર રિલીઝ કર્યું છે.

  

મોશન પોસ્ટર રિલીઝ કર્યું 

અટલ બિહારી વાજપેયી એક એવા નેતા હતા જેમને બીજી પાર્ટીના નેતાઓ પણ સન્માનની દ્રષ્ટ્રિએ જોવે છે. એવું માનવામાં આવે છે કે અટલ બિહારી વાજપેયીના કોઈ પણ શત્રુ ન હતા. વાજપેયીજીના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ અટલજી પર બાયોપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અટલજીની ભૂમિકા નિભાવી રહ્યા છે. અટલજીના જન્મદિવસે અભિનેતાએ ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક રવિ જાધવ આ ફિલ્મનું દિગ્દર્શન  કરી રહ્યા છે.



2023માં રિલીઝ થશે ફિલ્મ 

મોશન પોસ્ટર શેર કરતા પંકજ ત્રિપાઠીએ લખ્યું કે અટલજીના વ્યક્તિત્વને પડદા પર સાકાર કરવા માટે મારા વ્યક્તિત્વ પર કામ કરવું જરૂરી બન્યું છે. હું ઉર્જા અને મનોબળનૈ આધારે મારી નવી ભૂમિકા સાથે ન્યાય કરી શકીશ. અટલ બિહારી વાજપૈયીની બાયોપિક મેં અટલ હું ડિસેમ્બર 2023માં રિલીઝ થવાની છે. આ ફિલ્મ રાજકીય જીવનને રજૂ કરશે. રાજનેતા હોવાની સાથે સાથે તેઓ ઉચ્ચકોટીના કવિ, લોકપ્રિય નેતા હતા. આ ફિલ્મ પુસ્તક 'ધ અનટોલ્ડ વાજપૈયી: પોલિટિક્સ એન્ડ પેરાડોક્સ' પર આધારીત છે.                  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .