ગેંગસ્ટર અતીક અને અશરફની હત્યા, હવે યુપી પોલીસ સુપ્રીમ કોર્ટને શું જવાબ આપશે?


  • Published By :
  • Published Date : 2023-04-16 12:31:09

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુ:સાહસી ઘટનાને કારણે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. યુપી પોલીસે આ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. અતીકને બી વોરંટ પર પ્રયાગરાજ લાવવા માટે યુપી પોલીસે સુપ્રીમ કોર્ટને તેની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.


સાબરમતી જેલમાં મોકલવાની સુપ્રીમે આપી હતી મંજુરી


દેવરિયા જેલકાંડ કેસમાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ પર જ ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ચાર કલાક સુધી નૈની જેલમાં રાખ્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં તેને કોર્ટની પરવાનગી બાદ જ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે અતીકની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ ગાઈડલાઈન પણ આપી હતી.


પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


માફિયા અતીક અને તેના ભાઈની હત્યા બાદ યુપી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સારી હોવાના દાવાઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણઆંગળી ચીંધવામાં આવી રહી છે. માફિયા અતીક અને તેના ભાઈની પોલીસ કસ્ટડીમાં જ જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોઈને બધા ચોંકી ગયા છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગયા મહિને જ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. ત્યારે પણ પોલીસની ભારે બેઈજ્જતી થઈ હતી.


17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ  


પ્રયાગરાજ હત્યાકાંડથી નારાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્ષણે ક્ષણના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ હત્યા કેસમાં મોડી રાત્રે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.