ગેંગસ્ટર અતીક અને અશરફની હત્યા, હવે યુપી પોલીસ સુપ્રીમ કોર્ટને શું જવાબ આપશે?


  • Published By :
  • Published Date : 2023-04-16 12:31:09

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દુ:સાહસી ઘટનાને કારણે ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. યુપી પોલીસે આ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ જવાબ આપવો પડશે. અતીકને બી વોરંટ પર પ્રયાગરાજ લાવવા માટે યુપી પોલીસે સુપ્રીમ કોર્ટને તેની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી.


સાબરમતી જેલમાં મોકલવાની સુપ્રીમે આપી હતી મંજુરી


દેવરિયા જેલકાંડ કેસમાં અતીક અહેમદને સુપ્રીમ કોર્ટના આદેશ પર જ ગુજરાતની સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસો પહેલા ઉમેશ પાલ અપહરણ કેસમાં તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. ચાર કલાક સુધી નૈની જેલમાં રાખ્યા બાદ તેને પરત મોકલી દેવામાં આવ્યો હતો. તાજેતરમાં તેને કોર્ટની પરવાનગી બાદ જ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોર્ટે અતીકની સુરક્ષાને લઈને ઘણી મહત્વપૂર્ણ ગાઈડલાઈન પણ આપી હતી.


પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


માફિયા અતીક અને તેના ભાઈની હત્યા બાદ યુપી પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સારી હોવાના દાવાઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા પર પણઆંગળી ચીંધવામાં આવી રહી છે. માફિયા અતીક અને તેના ભાઈની પોલીસ કસ્ટડીમાં જ જે રીતે હત્યા કરવામાં આવી છે તે જોઈને બધા ચોંકી ગયા છે. રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની ગયા મહિને જ પ્રયાગરાજમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓ પણ શહીદ થયા હતા. ત્યારે પણ પોલીસની ભારે બેઈજ્જતી થઈ હતી.


17 પોલીસકર્મીઓ સસ્પેન્ડ  


પ્રયાગરાજ હત્યાકાંડથી નારાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ક્ષણે ક્ષણના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.આ હત્યા કેસમાં મોડી રાત્રે 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે ન્યાયિક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.