ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એરોન ફિન્ચે ODIમાં સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 20:00:03


ન્યૂઝીલેન્ડ સાથેની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ બાદ એરોન ફિન્ચે સન્યાસની જાહેરાત કરી દીધી છે. 8 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ એરોન ફિન્ચેની છેલ્લી ODI હતી. 


એરોન ફિન્ચે રિટાયર્મેન્ટ પર શું કહ્યું?

એરોન ફિન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક યાદગાર સફર હતી જે આજે પૂરી થઈ છે. મને ઓડીઆઈમાં જોડાવાનો મોકો મળ્યો તેથી હું મને ભાગ્યશાળી સમજું છું. તે તમામ મિત્રનો આભાર જેણે મને મારી કારકિર્દીમાં મદદ કરી છે."


એરોન ફિન્ચની ODI સફર 

જાન્યુઆરી 2013માં એરોન ફિન્ચે વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવામાં ડેબ્યૂ કર્યું હતું. ઓડીઆઈમાં 145 મેચમાં તેમણે 141 ઈનિંગમાં 5,401 રન નોંધાવ્યા હતા. જ્યારે 145 મેચમાં તેમણે 21 ઈનિંગ રમી 4 વિકેટ પણ લીધી છે. તેમણે વર્ષ 2019માં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 153 રન નોંધાવ્યા હતા. 

 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.