ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એરોન ફિન્ચે ODIમાં સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 20:00:03


ન્યૂઝીલેન્ડ સાથેની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ બાદ એરોન ફિન્ચે સન્યાસની જાહેરાત કરી દીધી છે. 8 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ એરોન ફિન્ચેની છેલ્લી ODI હતી. 


એરોન ફિન્ચે રિટાયર્મેન્ટ પર શું કહ્યું?

એરોન ફિન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક યાદગાર સફર હતી જે આજે પૂરી થઈ છે. મને ઓડીઆઈમાં જોડાવાનો મોકો મળ્યો તેથી હું મને ભાગ્યશાળી સમજું છું. તે તમામ મિત્રનો આભાર જેણે મને મારી કારકિર્દીમાં મદદ કરી છે."


એરોન ફિન્ચની ODI સફર 

જાન્યુઆરી 2013માં એરોન ફિન્ચે વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવામાં ડેબ્યૂ કર્યું હતું. ઓડીઆઈમાં 145 મેચમાં તેમણે 141 ઈનિંગમાં 5,401 રન નોંધાવ્યા હતા. જ્યારે 145 મેચમાં તેમણે 21 ઈનિંગ રમી 4 વિકેટ પણ લીધી છે. તેમણે વર્ષ 2019માં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 153 રન નોંધાવ્યા હતા. 

 




ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.