ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એરોન ફિન્ચે ODIમાં સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 20:00:03


ન્યૂઝીલેન્ડ સાથેની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ બાદ એરોન ફિન્ચે સન્યાસની જાહેરાત કરી દીધી છે. 8 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ એરોન ફિન્ચેની છેલ્લી ODI હતી. 


એરોન ફિન્ચે રિટાયર્મેન્ટ પર શું કહ્યું?

એરોન ફિન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક યાદગાર સફર હતી જે આજે પૂરી થઈ છે. મને ઓડીઆઈમાં જોડાવાનો મોકો મળ્યો તેથી હું મને ભાગ્યશાળી સમજું છું. તે તમામ મિત્રનો આભાર જેણે મને મારી કારકિર્દીમાં મદદ કરી છે."


એરોન ફિન્ચની ODI સફર 

જાન્યુઆરી 2013માં એરોન ફિન્ચે વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવામાં ડેબ્યૂ કર્યું હતું. ઓડીઆઈમાં 145 મેચમાં તેમણે 141 ઈનિંગમાં 5,401 રન નોંધાવ્યા હતા. જ્યારે 145 મેચમાં તેમણે 21 ઈનિંગ રમી 4 વિકેટ પણ લીધી છે. તેમણે વર્ષ 2019માં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 153 રન નોંધાવ્યા હતા. 

 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.