ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર એરોન ફિન્ચે ODIમાં સન્યાસની જાહેરાત કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 20:00:03


ન્યૂઝીલેન્ડ સાથેની વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ બાદ એરોન ફિન્ચે સન્યાસની જાહેરાત કરી દીધી છે. 8 સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સામેની મેચ એરોન ફિન્ચેની છેલ્લી ODI હતી. 


એરોન ફિન્ચે રિટાયર્મેન્ટ પર શું કહ્યું?

એરોન ફિન્ચે પત્રકારોને જણાવ્યું હતું કે, "આ એક યાદગાર સફર હતી જે આજે પૂરી થઈ છે. મને ઓડીઆઈમાં જોડાવાનો મોકો મળ્યો તેથી હું મને ભાગ્યશાળી સમજું છું. તે તમામ મિત્રનો આભાર જેણે મને મારી કારકિર્દીમાં મદદ કરી છે."


એરોન ફિન્ચની ODI સફર 

જાન્યુઆરી 2013માં એરોન ફિન્ચે વન ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવામાં ડેબ્યૂ કર્યું હતું. ઓડીઆઈમાં 145 મેચમાં તેમણે 141 ઈનિંગમાં 5,401 રન નોંધાવ્યા હતા. જ્યારે 145 મેચમાં તેમણે 21 ઈનિંગ રમી 4 વિકેટ પણ લીધી છે. તેમણે વર્ષ 2019માં શારજાંહ ક્રિકેટ સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે 153 રન નોંધાવ્યા હતા. 

 




હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.