સિક્કિમના પર્યટક સ્થળ ગંગટોકમાં થયું હિમસ્ખલન, ઘટનામાં 6 જેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:09:41

મંગળવારે સિક્કિમના ગંગટોકમાં હિમસ્ખલન થયા હોવાની ઘટના સામે આવી છે. સિક્કિમના પર્યટક સ્થળે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો આ હિમસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મરનારમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ હોઈ શકે છે.   


150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાની આશંકા 

અનેક વખત હિમસ્ખલન થવાના સમાચાર આવતા હોય છે. ત્યારે હિમસ્ખલનની ઘટના સિક્કિમના ગંગોટકથી સામે આવી છે. સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ગંગોટકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરૂ માર્ગ પર આ દુર્ઘટના બની છે. મંગળવાર બપોરે હિમસ્ખલન થતા 6 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. આ ઘટના 12.20 વાગ્યાની આસપાસ બની હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે.  
 Sikkim Avalanche: सिक्किम में नाथुला के पास हिमस्खलन, 6 पर्यटकों की मौत; 80 से ज्‍यादा के फंसे होने की आशंका

આ અગાઉ પણ બની છે હિમસ્ખલનની ઘટના 

મહત્વનું છે કે અનેક વખત હિમસ્ખલન થવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જાન્યુઆરી 2022માં હિમસ્ખલન થયું હતું. તિબેટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. ઉપરાંત નવેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીરમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો હિમસ્ખલનનો શિકાર બન્યા હતા. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી પરંતુ 3 લોકોના મોત થઈ ગયા હતા. તે સિવાય ફેબ્રુઆરી 2022માં પણ હિમપ્રપાતને કારણે સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં 7 જેટલા જવાનોના મોત થઈ ગયા હતા.   



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.