સિક્કિમના પર્યટક સ્થળ ગંગટોકમાં થયું હિમસ્ખલન, ઘટનામાં 6 જેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:09:41

મંગળવારે સિક્કિમના ગંગટોકમાં હિમસ્ખલન થયા હોવાની ઘટના સામે આવી છે. સિક્કિમના પર્યટક સ્થળે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો આ હિમસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મરનારમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ હોઈ શકે છે.   


150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાની આશંકા 

અનેક વખત હિમસ્ખલન થવાના સમાચાર આવતા હોય છે. ત્યારે હિમસ્ખલનની ઘટના સિક્કિમના ગંગોટકથી સામે આવી છે. સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ગંગોટકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરૂ માર્ગ પર આ દુર્ઘટના બની છે. મંગળવાર બપોરે હિમસ્ખલન થતા 6 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. આ ઘટના 12.20 વાગ્યાની આસપાસ બની હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે.  
 Sikkim Avalanche: सिक्किम में नाथुला के पास हिमस्खलन, 6 पर्यटकों की मौत; 80 से ज्‍यादा के फंसे होने की आशंका

આ અગાઉ પણ બની છે હિમસ્ખલનની ઘટના 

મહત્વનું છે કે અનેક વખત હિમસ્ખલન થવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જાન્યુઆરી 2022માં હિમસ્ખલન થયું હતું. તિબેટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. ઉપરાંત નવેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીરમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો હિમસ્ખલનનો શિકાર બન્યા હતા. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી પરંતુ 3 લોકોના મોત થઈ ગયા હતા. તે સિવાય ફેબ્રુઆરી 2022માં પણ હિમપ્રપાતને કારણે સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં 7 જેટલા જવાનોના મોત થઈ ગયા હતા.   



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.