સિક્કિમના પર્યટક સ્થળ ગંગટોકમાં થયું હિમસ્ખલન, ઘટનામાં 6 જેટલા લોકોના થયા મોત


  • Published By :
  • Published Date : 2023-04-04 17:09:41

મંગળવારે સિક્કિમના ગંગટોકમાં હિમસ્ખલન થયા હોવાની ઘટના સામે આવી છે. સિક્કિમના પર્યટક સ્થળે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો આ હિમસ્ખલનમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. મરનારમાં ચાર પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અનેક ગુજરાતીઓનો પણ સમાવેશ હોઈ શકે છે.   


150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાની આશંકા 

અનેક વખત હિમસ્ખલન થવાના સમાચાર આવતા હોય છે. ત્યારે હિમસ્ખલનની ઘટના સિક્કિમના ગંગોટકથી સામે આવી છે. સિક્કિમના નાથુ લાના સરહદી વિસ્તારમાં આ દુર્ઘટના બની હતી. ગંગોટકથી નાથુલા પાસને જોડતા જવાહરલાલ નહેરૂ માર્ગ પર આ દુર્ઘટના બની છે. મંગળવાર બપોરે હિમસ્ખલન થતા 6 જેટલા લોકોના મોત થયા છે જ્યારે 150 જેટલા લોકો બરફમાં ફસાયા હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે. આ ઘટના 12.20 વાગ્યાની આસપાસ બની હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યાં અકસ્માત થયો છે ત્યાં જવા માટે પાસ આપવામાં આવે છે. આ પાસ 13મા માઈલ માટે જારી કરવામાં આવે છે.  
 Sikkim Avalanche: सिक्किम में नाथुला के पास हिमस्खलन, 6 पर्यटकों की मौत; 80 से ज्‍यादा के फंसे होने की आशंका

આ અગાઉ પણ બની છે હિમસ્ખલનની ઘટના 

મહત્વનું છે કે અનેક વખત હિમસ્ખલન થવાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. જાન્યુઆરી 2022માં હિમસ્ખલન થયું હતું. તિબેટમાં આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. ઉપરાંત નવેમ્બર 2022માં જમ્મુ-કાશ્મીરમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનામાં 56 રાષ્ટ્રીય રાઈફલ્સના પાંચ જવાનો હિમસ્ખલનનો શિકાર બન્યા હતા. રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી પરંતુ 3 લોકોના મોત થઈ ગયા હતા. તે સિવાય ફેબ્રુઆરી 2022માં પણ હિમપ્રપાતને કારણે સૈન્ય કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનામાં 7 જેટલા જવાનોના મોત થઈ ગયા હતા.   



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.