અવધેશ રાય હત્યા કેસમાં માફિયા મુખ્તાર અંસારીને આજીવન કેદ, એક લાખનો દંડ; કોર્ટે 32 વર્ષ બાદ ફટકારી સજા


  • Published By :
  • Published Date : 2023-06-05 15:56:29

ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ બાહુબલી મુખ્તાર અન્સારીને વારાણસીની MP/MLA કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તે ઉપરાંત ડોન મુખ્તાર અન્સારીને કોર્ટે એક લાખથી વધુનો દંડ પણ લગાવ્યો છે. વારાણસીની MP/MLA કોર્ટના સ્પેશિયલ જજ અવનીશ ગૌતમે 32 વર્ષ જુના અવધેશ રાય હત્યા કેસમાં આ ચુકાદો સંભળાવ્યો છે. આજે સોમવારે ચુકાદો આપતા વારાણસી કોર્ટે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારીને દોષિત જાહેર કર્યો હતો. પૂર્વાચલમાં તમામ લોકોની નજર કોર્ટ પર હતી કે અદાલત મુખ્તાર અંસારીને શું સજા સંભળાવે છે.  


કોર્ટની બહાર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા


છેલ્લા એક વર્ષમાં મુખ્તાર અંસારીને ચાર કેસમાં સજા થઈ છે. પરંતુ આ તમામ કેસમાં તેને અવધેશ રાય હત્યા કેસમાં પહેલીવાર આજીવન કેદની સજા થઈ છે. કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને સિવિલ કોર્ટ સંકુલ તેમજ નવ માળની બિલ્ડીંગ સ્થિત કોર્ટ રૂમની સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનીય છે કે, 3 ઓગસ્ટ 1991ના રોજ વારાણસીમાં અજય રાયના ઘરની બહાર અવધેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અવધેશ રાય કોંગ્રેસના નેતા અજય રાયના ભાઈ હતા. આ હત્યાકાંડ પછી પૂર્વ ધારાસભ્ય અજય રાયે પૂર્વ ધારાસભ્ય અબ્દુલ કલામ સહિત મુખ્તાર અંસારી, ભીમ સિંહ, કમલેશ સિંહ, રાકેશ વિરુદ્ધ ચેતગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. જોકે, 5 આરોપીઓ પૈકી અબ્દુલ અને કમલેશના મોત થયા છે. કોર્ટનો નિર્ણય આવતા પહેલા અજય રાયે કહ્યું કે, "તેમની 32 વર્ષની રાહ આજે પૂરી થઈ રહી છે અને તેમને આશા છે કે તેમને ન્યાય મળશે." દરમિયાન, નિર્ણયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્ર દ્વારા સમગ્ર કોર્ટ સંકુલને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.