Ayodhya : દેશભરમાં રામ નવમીની ઉજવણી, રામ લલ્લના દર્શન કરવા ઉમટી ભાવિકોની ભીડ, Surya Tilak પહેલા કરાયો અભિષેક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-17 11:32:11

દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.. રામ ભગવાનની સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભક્તો માટે આ વર્ષની રામ નવમી અનેરી રહેવાની છે. ભગવાન રામના મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે. રામ ભગવાનના દર્શન કરવા સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની મેદની ઉમટતી હોય છે ત્યારે આજે રામ નવમીનો પર્વ છે.. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. રામ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો છે અને બપોરે સૂર્ય તિલક કરવામાં આવશે... 

ભગવાન રામ છે અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર

રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના નવ નિર્મિત મંદિરમાં કરવામાં આવી છે. થોડા સમય પહેલા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ જોવામાં મળ્યા હતા. પ્રતિક્ષા અને સંઘર્ષનો અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલીવાર રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન રામની ઝાંખી કરવા લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. 

ભગવાન રામ પર કરવામાં આવ્યો અભિષેક 

રામનવમીના પાવન પર્વની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ રામ મંદિરમાં ઉજવવામાં આવશે.. સૂર્યવંશમાં જન્મેલા ભગવાન શ્રીરામની પ્રતિમા પર આજે સૂર્ય તિલક કરવામાં આવશે. રામ નવમીની ઉજવણી અયોધ્યામાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં રામનવમીની ઉજવણી થતી હોય તે અવસર કોઈ પણ રામ ભક્ત માટે નાનો ના હોઈ શકે.. સૂર્ય તિલક થાય તે પહેલા ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગે સૂર્ય તિલક ભગવાન રામના લલાટ પર કરાશે. 3થી 4 મિનીટ સુધી સૂર્યના કિરણોથી પ્રભુ રામનો અભિષેક કરવામાં આવશે.. ત્યારે જમાવટ તરફથી આપ સૌને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ...    



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .