Ayodhya : દેશભરમાં રામ નવમીની ઉજવણી, રામ લલ્લના દર્શન કરવા ઉમટી ભાવિકોની ભીડ, Surya Tilak પહેલા કરાયો અભિષેક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-17 11:32:11

દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.. રામ ભગવાનની સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભક્તો માટે આ વર્ષની રામ નવમી અનેરી રહેવાની છે. ભગવાન રામના મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે. રામ ભગવાનના દર્શન કરવા સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની મેદની ઉમટતી હોય છે ત્યારે આજે રામ નવમીનો પર્વ છે.. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. રામ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો છે અને બપોરે સૂર્ય તિલક કરવામાં આવશે... 

ભગવાન રામ છે અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર

રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના નવ નિર્મિત મંદિરમાં કરવામાં આવી છે. થોડા સમય પહેલા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ જોવામાં મળ્યા હતા. પ્રતિક્ષા અને સંઘર્ષનો અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલીવાર રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન રામની ઝાંખી કરવા લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. 

ભગવાન રામ પર કરવામાં આવ્યો અભિષેક 

રામનવમીના પાવન પર્વની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ રામ મંદિરમાં ઉજવવામાં આવશે.. સૂર્યવંશમાં જન્મેલા ભગવાન શ્રીરામની પ્રતિમા પર આજે સૂર્ય તિલક કરવામાં આવશે. રામ નવમીની ઉજવણી અયોધ્યામાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં રામનવમીની ઉજવણી થતી હોય તે અવસર કોઈ પણ રામ ભક્ત માટે નાનો ના હોઈ શકે.. સૂર્ય તિલક થાય તે પહેલા ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગે સૂર્ય તિલક ભગવાન રામના લલાટ પર કરાશે. 3થી 4 મિનીટ સુધી સૂર્યના કિરણોથી પ્રભુ રામનો અભિષેક કરવામાં આવશે.. ત્યારે જમાવટ તરફથી આપ સૌને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ...    



સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .