Ayodhya : દેશભરમાં રામ નવમીની ઉજવણી, રામ લલ્લના દર્શન કરવા ઉમટી ભાવિકોની ભીડ, Surya Tilak પહેલા કરાયો અભિષેક, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-17 11:32:11

દેશભરમાં રામનવમીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે.. રામ ભગવાનની સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભક્તો માટે આ વર્ષની રામ નવમી અનેરી રહેવાની છે. ભગવાન રામના મૂર્તિની સ્થાપના નવ નિર્મિત ભવ્ય મંદિરમાં થઈ ગઈ છે. રામ ભગવાનના દર્શન કરવા સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભક્તોની મેદની ઉમટતી હોય છે ત્યારે આજે રામ નવમીનો પર્વ છે.. રામ લલ્લાના દર્શન કરવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. રામ ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો છે અને બપોરે સૂર્ય તિલક કરવામાં આવશે... 

ભગવાન રામ છે અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર

રામ ભગવાનની પ્રતિમાની સ્થાપના નવ નિર્મિત મંદિરમાં કરવામાં આવી છે. થોડા સમય પહેલા અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ચાલી રહ્યો હતો ત્યારે અનેક ભક્તોની આંખોમાં આંસુ જોવામાં મળ્યા હતા. પ્રતિક્ષા અને સંઘર્ષનો અંત આવ્યો હોય તેવું લાગતું હતું, ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલીવાર રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. ભગવાન રામની ઝાંખી કરવા લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. 

ભગવાન રામ પર કરવામાં આવ્યો અભિષેક 

રામનવમીના પાવન પર્વની ઉજવણી દેશભરમાં અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. આ વર્ષે રામ જન્મોત્સવ રામ મંદિરમાં ઉજવવામાં આવશે.. સૂર્યવંશમાં જન્મેલા ભગવાન શ્રીરામની પ્રતિમા પર આજે સૂર્ય તિલક કરવામાં આવશે. રામ નવમીની ઉજવણી અયોધ્યામાં ધામધૂમથી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં રામનવમીની ઉજવણી થતી હોય તે અવસર કોઈ પણ રામ ભક્ત માટે નાનો ના હોઈ શકે.. સૂર્ય તિલક થાય તે પહેલા ભગવાન રામ પર અભિષેક કરવામાં આવ્યો છે. બપોરે 12 વાગે સૂર્ય તિલક ભગવાન રામના લલાટ પર કરાશે. 3થી 4 મિનીટ સુધી સૂર્યના કિરણોથી પ્રભુ રામનો અભિષેક કરવામાં આવશે.. ત્યારે જમાવટ તરફથી આપ સૌને રામ નવમીની હાર્દિક શુભકામનાઓ...    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.