નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવવાના કેસમાં આઝમ ખાનને દોષિત જાહેર કરાયા


  • Published By :
  • Published Date : 2022-10-27 15:04:01

ઉત્તર પ્રદેશની રામપુર કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ મામલામાં દોષી જાહેર કરી દીધા છે. સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને કોર્ટની કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. વર્ષ 2019માં ચૂંટણી દરમિયાન આઝમ ખાને મિલક તાલુકામાં ભડકાઉ ભાષણ આપ્યું હતું જેમાં કોર્ટે તેમને દોષી જાહેર કર્યા છે. 

2019માં શું ઘટના થઈ હતી?

7 એપ્રિલ 2019માં રામપુરના સમાજવાદી પાર્ટીના નેતા અને બહુજન સમાજ પાર્ટીના સંયુક્ત ઉમેદવાર મોહમ્મદ આઝમ ખાને પોતીની ચૂંટણી સભામાં ભાષણ દરમિયાન રામપુરના અધિકારીઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર શાબ્દીક પ્રહારો કર્યા હતા. સમગ્ર મામલે ચૂંટણી પંચે નોંધ લીધી હતી અને કાર્યવાહીના આદેશ આપ્યા હતા. ચૂંટણી પંચના વીડિયો ટીમના ઈન્ચાર્જે ફરિયાદ દાખલ કરી હતી જે મામલે સુનાવણી કરવામાં આવશે. આઝમ ખાન સામે ચૂંટણી દરમિયાન ભડકાઉં ભાષણ અને નફરત ફેલાવવા જેવા ગુના નોંધવામાં આવ્યા છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.