બાબા બાગેશ્વરે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું કર્યું સમર્થન, હિંદુ બહેનોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-21 17:25:52

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પટણાથી મધ્યપ્રદેશ પરત આવી ગયા છે. અહીં આવતા જ તેમનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. બાબા બાગેશ્વરે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે ફિલ્મને સત્ય ઘટના પર આધારીત જણાવી અને કહ્યું કે આ દેશની વર્તમાન સ્થિતી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાબા બાગેશ્વર આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. 


ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે શું કહ્યું? 

 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બૉલિવૂડ ફિલ્મ " ધ કેરાલા સ્ટોરી"ને લઈને મોટું નિવેદન આપ્યું છે.' ધ કેરાલા સ્ટોરી' પર બાબા બાગેશ્વરે જણાવ્યું કે, આ એક સત્યઘટના પર આધારિત સ્ટોરી છે. આજ દેશની વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે હિંદુઓ સૂઈ રહ્યાં છીએ. લોકો સમજી નથી રહ્યા અને મને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો આપો છો. મારી વાતો ભડકાઉ નથી, પરંતુ હિન્દુઓને જગાડવા માટે છે. જે થયું છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમામ હિન્દુઓનું આ દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને શિક્ષણ નહીં આપીએ કે, સનાતન ધર્મ શું છે, હિન્દુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ ફિલ્મથી સમજી જવું જોઈએ કે, આપણે જાગવુ પડશે. ખાસ કરીને આપણી બહેનોએ તો સમજી જવું જોઈએ. બાબાએ વધુમાં જણાવ્યું કે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં સ્વધર્મમાં મરવું સારૂં છે. આથી બીજા ધર્મના વ્યક્તિ પર એટલો જ ભરોસો કરવો જોઈએ, જેટલો દરિયામાં નાંખેલા સિક્કા પર આપણે કરીએ છીએ.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.