બાબા બાગેશ્વરે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું કર્યું સમર્થન, હિંદુ બહેનોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-21 17:25:52

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પટણાથી મધ્યપ્રદેશ પરત આવી ગયા છે. અહીં આવતા જ તેમનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. બાબા બાગેશ્વરે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે ફિલ્મને સત્ય ઘટના પર આધારીત જણાવી અને કહ્યું કે આ દેશની વર્તમાન સ્થિતી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાબા બાગેશ્વર આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. 


ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે શું કહ્યું? 

 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બૉલિવૂડ ફિલ્મ " ધ કેરાલા સ્ટોરી"ને લઈને મોટું નિવેદન આપ્યું છે.' ધ કેરાલા સ્ટોરી' પર બાબા બાગેશ્વરે જણાવ્યું કે, આ એક સત્યઘટના પર આધારિત સ્ટોરી છે. આજ દેશની વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે હિંદુઓ સૂઈ રહ્યાં છીએ. લોકો સમજી નથી રહ્યા અને મને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો આપો છો. મારી વાતો ભડકાઉ નથી, પરંતુ હિન્દુઓને જગાડવા માટે છે. જે થયું છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમામ હિન્દુઓનું આ દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને શિક્ષણ નહીં આપીએ કે, સનાતન ધર્મ શું છે, હિન્દુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ ફિલ્મથી સમજી જવું જોઈએ કે, આપણે જાગવુ પડશે. ખાસ કરીને આપણી બહેનોએ તો સમજી જવું જોઈએ. બાબાએ વધુમાં જણાવ્યું કે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં સ્વધર્મમાં મરવું સારૂં છે. આથી બીજા ધર્મના વ્યક્તિ પર એટલો જ ભરોસો કરવો જોઈએ, જેટલો દરિયામાં નાંખેલા સિક્કા પર આપણે કરીએ છીએ.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.