બાબા બાગેશ્વરે ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી'નું કર્યું સમર્થન, હિંદુ બહેનોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-05-21 17:25:52

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પટણાથી મધ્યપ્રદેશ પરત આવી ગયા છે. અહીં આવતા જ તેમનું એક નિવેદન ફરી ચર્ચામાં આવ્યું છે. બાબા બાગેશ્વરે મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં ફિલ્મ ધ કેરાલા સ્ટોરીનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. તેમણે ફિલ્મને સત્ય ઘટના પર આધારીત જણાવી અને કહ્યું કે આ દેશની વર્તમાન સ્થિતી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બાબા બાગેશ્વર આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે રાજકારણ ગરમાયું છે. 


ફિલ્મ ધ કેરાલા સ્ટોરી અંગે શું કહ્યું? 

 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બૉલિવૂડ ફિલ્મ " ધ કેરાલા સ્ટોરી"ને લઈને મોટું નિવેદન આપ્યું છે.' ધ કેરાલા સ્ટોરી' પર બાબા બાગેશ્વરે જણાવ્યું કે, આ એક સત્યઘટના પર આધારિત સ્ટોરી છે. આજ દેશની વર્તમાન પરિસ્થિતિ છે અને આપણે હિંદુઓ સૂઈ રહ્યાં છીએ. લોકો સમજી નથી રહ્યા અને મને કહે છે કે, તમે ઉશ્કેરણીજનક નિવેદનો આપો છો. મારી વાતો ભડકાઉ નથી, પરંતુ હિન્દુઓને જગાડવા માટે છે. જે થયું છે, તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. તમામ હિન્દુઓનું આ દુર્ભાગ્ય છે કે, જ્યાં સુધી ભારતના દરેક મંદિરમાં હિન્દુઓને શિક્ષણ નહીં આપીએ કે, સનાતન ધર્મ શું છે, હિન્દુ શું છે? ત્યાં સુધી આવી ઘટનાઓ થતી રહેશે. આ ફિલ્મથી સમજી જવું જોઈએ કે, આપણે જાગવુ પડશે. ખાસ કરીને આપણી બહેનોએ તો સમજી જવું જોઈએ. બાબાએ વધુમાં જણાવ્યું કે, ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એ જ જ્ઞાન આપે છે કે, બીજા ધર્મનો વિચાર કરવા કરતાં સ્વધર્મમાં મરવું સારૂં છે. આથી બીજા ધર્મના વ્યક્તિ પર એટલો જ ભરોસો કરવો જોઈએ, જેટલો દરિયામાં નાંખેલા સિક્કા પર આપણે કરીએ છીએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.