જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બ્રિજભૂષણ શરણ સિંહ વિશે બાબાએ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-27 10:53:13

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોની માગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી. બાબા રામદેવે કુસ્તીબાજોના સમર્થન આવી તેમણે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.


બાબા રામદેવે આપ્યું કુસ્તીબાજોને આપ્યું સમર્થન!

છેલ્લા ઘણા સમથી રાજધાની દિલ્હી ખાતે કુસ્તીબાજો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શૌષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ત્યારે પહેલવાનોના સમર્થનમાં બાબા  રામદેવ પણ આવ્યા છે. બાબા રામદેવે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.        


બ્રિજભૂષણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે! 

બાબા રામદેવે ન માત્ર બ્રિજભૂષણના ધરપકડની માગ કરી હતી પરંતુ બ્રિજભૂષણ દ્વારા આપવામાં આવતા નિવેદનનોને લઈને પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ વારંવાર મા બહેન-દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે. આ ખૂબ જ ટીકાને પાત્ર અને મોટો પાપ છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ કેસ દાખલ થાય તે માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા છે. કુસ્તીબાજો પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ આંદોલન હિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે.       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.