જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બ્રિજભૂષણ શરણ સિંહ વિશે બાબાએ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-27 10:53:13

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોની માગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી. બાબા રામદેવે કુસ્તીબાજોના સમર્થન આવી તેમણે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.


બાબા રામદેવે આપ્યું કુસ્તીબાજોને આપ્યું સમર્થન!

છેલ્લા ઘણા સમથી રાજધાની દિલ્હી ખાતે કુસ્તીબાજો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શૌષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ત્યારે પહેલવાનોના સમર્થનમાં બાબા  રામદેવ પણ આવ્યા છે. બાબા રામદેવે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.        


બ્રિજભૂષણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે! 

બાબા રામદેવે ન માત્ર બ્રિજભૂષણના ધરપકડની માગ કરી હતી પરંતુ બ્રિજભૂષણ દ્વારા આપવામાં આવતા નિવેદનનોને લઈને પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ વારંવાર મા બહેન-દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે. આ ખૂબ જ ટીકાને પાત્ર અને મોટો પાપ છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ કેસ દાખલ થાય તે માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા છે. કુસ્તીબાજો પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ આંદોલન હિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે.       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.