જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બ્રિજભૂષણ શરણ સિંહ વિશે બાબાએ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-27 10:53:13

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોની માગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી. બાબા રામદેવે કુસ્તીબાજોના સમર્થન આવી તેમણે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.


બાબા રામદેવે આપ્યું કુસ્તીબાજોને આપ્યું સમર્થન!

છેલ્લા ઘણા સમથી રાજધાની દિલ્હી ખાતે કુસ્તીબાજો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શૌષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ત્યારે પહેલવાનોના સમર્થનમાં બાબા  રામદેવ પણ આવ્યા છે. બાબા રામદેવે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.        


બ્રિજભૂષણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે! 

બાબા રામદેવે ન માત્ર બ્રિજભૂષણના ધરપકડની માગ કરી હતી પરંતુ બ્રિજભૂષણ દ્વારા આપવામાં આવતા નિવેદનનોને લઈને પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ વારંવાર મા બહેન-દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે. આ ખૂબ જ ટીકાને પાત્ર અને મોટો પાપ છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ કેસ દાખલ થાય તે માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા છે. કુસ્તીબાજો પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ આંદોલન હિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.