જંતર-મંતર ખાતે ધરણા કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આવ્યા બાબા રામદેવ, બ્રિજભૂષણ શરણ સિંહ વિશે બાબાએ કહી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-05-27 10:53:13

દિલ્હીના જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ ધરણા કરી રહ્યા છે. કુસ્તીબાજોની માગ છે કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી માગ કરી હતી. બાબા રામદેવે કુસ્તીબાજોના સમર્થન આવી તેમણે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.


બાબા રામદેવે આપ્યું કુસ્તીબાજોને આપ્યું સમર્થન!

છેલ્લા ઘણા સમથી રાજધાની દિલ્હી ખાતે કુસ્તીબાજો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શૌષણનો આરોપ લગાવામાં આવ્યો છે. જંતર મંતર ખાતે ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા અનેક રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કુસ્તીબાજો સાથે વાતચીત કરી હતી. ત્યારે પહેલવાનોના સમર્થનમાં બાબા  રામદેવ પણ આવ્યા છે. બાબા રામદેવે કહ્યું કે કુશ્તી સંઘના પ્રમુખ પર યૌન ઉત્પીડનના ગંભીર આરોપો છે. તેમની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. દેશના પહેલવાનોનું આવી રીતે જંતર મંતર પર બેસવું અને કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન શૌષણનો આરોપ લાગવો બહુ શર્મજનક વાત કહેવાય. આવા વ્યક્તિની ધરપકડ તરત થવી જોઈએ.        


બ્રિજભૂષણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે! 

બાબા રામદેવે ન માત્ર બ્રિજભૂષણના ધરપકડની માગ કરી હતી પરંતુ બ્રિજભૂષણ દ્વારા આપવામાં આવતા નિવેદનનોને લઈને પણ તેમણે વાત કરી હતી. તેમણે કહ્યું કે દરરોજ વારંવાર મા બહેન-દીકરીઓ વિશે બકવાસ કર્યા કરે છે. આ ખૂબ જ ટીકાને પાત્ર અને મોટો પાપ છે. મહત્વનું છે કે બ્રિજભૂષણ શરણ વિરૂદ્ધ કેસ દાખલ થાય તે માટે કુસ્તીબાજોએ સુપ્રીમ કોર્ટનો દ્વાર ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. બ્રિજભૂષણ શરણ સિંહ પોતાના પર લાગેલા આરોપોને સતત નકારી રહ્યા છે. કુસ્તીબાજો પર આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે આ આંદોલન હિલ્હીથી પંજાબ અને ખાલિસ્તાન અને કેનેડા તરફ આગળ વધી રહ્યું છે.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.