બાળ હાથી મરી ગયું, માતા તેને જગાડવા માટે કરી રહી છે પ્રયાસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવુક કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 11:29:35

પોતાના સંતાનને ગુમાવાનું દર્દ માતા માટે સૌથી વધારે દુખ દાયક હોય છે એ પછી માનવી હોય કે પ્રાણી. માતાને એ માનવામાં જ ઘણો સમય જતો હોય કે તેના સંતાનનું મોત થઈ ગયું છે. ઘણો સમય લાગે છે માતાને એ માનવામાં કે તેનું સંતાન તેને છોડીને દુનિયાથી જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ભાવુક કરી દેશે. વીડિયોમાં માદા હાથી પોતાના મૃત બચ્ચાને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. જાનવર હોય કે પછી મનુષ્ય સંતાનને ગુમાવવાનું દુખ માતા માટે સરખું હોય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. દુનિયા કરતા માતા સાથે બાળકનો સંબંધ 9 મહિના પહેલાનો હોય છે. જ્યારે ઈજા બાળકને પહોંચતી હોય છે તો તેના કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં માદા હાથીનો પોતાના સંતાન માટેનો પ્રેમ દેખાઈ આવે છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે આસામનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. 


પોતાના બાળકને જીવિત કરવા માતા કરી રહી છે પ્રયાસ!

એક વન અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાથીનું બચ્ચુ ત્રણ દિવસ પહેલા પોતાના પરિવારથી અલગ થઈ ગયું હતું. હાથીઓની વિશેષતા છે કે પોતાના એક એક સદસ્યને સાથે લઈને ચાલે, ખાસ કરીને પોતાના બચ્ચાઓને. જ્યારે કોઈ હાથી ખોવાઈ જાય તો તેને શોધવા હાથીઓ નીકળે છે. ત્યારે આ બચ્ચાને શોધવા પણ હાથી નીકળ્યા હતા. હાથીઓએ ગુમ થયેલા બાળ હાથીને શોધી લીધો હતો પરંતુ ત્યાં સુધી તેની મોત થઈ ગઈ હતી.


પ્રયાસ અસફળ થતાં રડી પડી માદા હાથી! 

બાળક હાથીનું મોત થઈ ગયું છે તે બાળ હાથીની માતા સ્વીકારવા તૈયાર ન હતી. પોતાના બાળ હાથીને છોડવા તે તૈયાર ન હતી. બાળક ફરી જીવિત થાય તે આશાથી તે તેને જગાડતી રહી. સૂંઢથી તેને જગાડવાની કોશિશ એ આશાથી કે તે જીવિત થઈ જાય પરંતુ ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં હાથીના શવને પાણી પાસે રાખ્યો છે અને માદા હાથી તેને ઉઠાડવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના પ્રયાસ અસફળ થતા દેખાતા માદા હાથી રડી  પડી. જેટલો ઈમોશનલ વીડિયો છે કે તેટલા જ ઈમોશનલ કમેન્ટસ પણ આવી રહ્યા છે.      

       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.