બાળ હાથી મરી ગયું, માતા તેને જગાડવા માટે કરી રહી છે પ્રયાસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવુક કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 11:29:35

પોતાના સંતાનને ગુમાવાનું દર્દ માતા માટે સૌથી વધારે દુખ દાયક હોય છે એ પછી માનવી હોય કે પ્રાણી. માતાને એ માનવામાં જ ઘણો સમય જતો હોય કે તેના સંતાનનું મોત થઈ ગયું છે. ઘણો સમય લાગે છે માતાને એ માનવામાં કે તેનું સંતાન તેને છોડીને દુનિયાથી જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ભાવુક કરી દેશે. વીડિયોમાં માદા હાથી પોતાના મૃત બચ્ચાને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. જાનવર હોય કે પછી મનુષ્ય સંતાનને ગુમાવવાનું દુખ માતા માટે સરખું હોય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. દુનિયા કરતા માતા સાથે બાળકનો સંબંધ 9 મહિના પહેલાનો હોય છે. જ્યારે ઈજા બાળકને પહોંચતી હોય છે તો તેના કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં માદા હાથીનો પોતાના સંતાન માટેનો પ્રેમ દેખાઈ આવે છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે આસામનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. 


પોતાના બાળકને જીવિત કરવા માતા કરી રહી છે પ્રયાસ!

એક વન અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાથીનું બચ્ચુ ત્રણ દિવસ પહેલા પોતાના પરિવારથી અલગ થઈ ગયું હતું. હાથીઓની વિશેષતા છે કે પોતાના એક એક સદસ્યને સાથે લઈને ચાલે, ખાસ કરીને પોતાના બચ્ચાઓને. જ્યારે કોઈ હાથી ખોવાઈ જાય તો તેને શોધવા હાથીઓ નીકળે છે. ત્યારે આ બચ્ચાને શોધવા પણ હાથી નીકળ્યા હતા. હાથીઓએ ગુમ થયેલા બાળ હાથીને શોધી લીધો હતો પરંતુ ત્યાં સુધી તેની મોત થઈ ગઈ હતી.


પ્રયાસ અસફળ થતાં રડી પડી માદા હાથી! 

બાળક હાથીનું મોત થઈ ગયું છે તે બાળ હાથીની માતા સ્વીકારવા તૈયાર ન હતી. પોતાના બાળ હાથીને છોડવા તે તૈયાર ન હતી. બાળક ફરી જીવિત થાય તે આશાથી તે તેને જગાડતી રહી. સૂંઢથી તેને જગાડવાની કોશિશ એ આશાથી કે તે જીવિત થઈ જાય પરંતુ ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં હાથીના શવને પાણી પાસે રાખ્યો છે અને માદા હાથી તેને ઉઠાડવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના પ્રયાસ અસફળ થતા દેખાતા માદા હાથી રડી  પડી. જેટલો ઈમોશનલ વીડિયો છે કે તેટલા જ ઈમોશનલ કમેન્ટસ પણ આવી રહ્યા છે.      

       



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.