બાળ હાથી મરી ગયું, માતા તેને જગાડવા માટે કરી રહી છે પ્રયાસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવુક કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 11:29:35

પોતાના સંતાનને ગુમાવાનું દર્દ માતા માટે સૌથી વધારે દુખ દાયક હોય છે એ પછી માનવી હોય કે પ્રાણી. માતાને એ માનવામાં જ ઘણો સમય જતો હોય કે તેના સંતાનનું મોત થઈ ગયું છે. ઘણો સમય લાગે છે માતાને એ માનવામાં કે તેનું સંતાન તેને છોડીને દુનિયાથી જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ભાવુક કરી દેશે. વીડિયોમાં માદા હાથી પોતાના મૃત બચ્ચાને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. જાનવર હોય કે પછી મનુષ્ય સંતાનને ગુમાવવાનું દુખ માતા માટે સરખું હોય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. દુનિયા કરતા માતા સાથે બાળકનો સંબંધ 9 મહિના પહેલાનો હોય છે. જ્યારે ઈજા બાળકને પહોંચતી હોય છે તો તેના કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં માદા હાથીનો પોતાના સંતાન માટેનો પ્રેમ દેખાઈ આવે છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે આસામનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. 


પોતાના બાળકને જીવિત કરવા માતા કરી રહી છે પ્રયાસ!

એક વન અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાથીનું બચ્ચુ ત્રણ દિવસ પહેલા પોતાના પરિવારથી અલગ થઈ ગયું હતું. હાથીઓની વિશેષતા છે કે પોતાના એક એક સદસ્યને સાથે લઈને ચાલે, ખાસ કરીને પોતાના બચ્ચાઓને. જ્યારે કોઈ હાથી ખોવાઈ જાય તો તેને શોધવા હાથીઓ નીકળે છે. ત્યારે આ બચ્ચાને શોધવા પણ હાથી નીકળ્યા હતા. હાથીઓએ ગુમ થયેલા બાળ હાથીને શોધી લીધો હતો પરંતુ ત્યાં સુધી તેની મોત થઈ ગઈ હતી.


પ્રયાસ અસફળ થતાં રડી પડી માદા હાથી! 

બાળક હાથીનું મોત થઈ ગયું છે તે બાળ હાથીની માતા સ્વીકારવા તૈયાર ન હતી. પોતાના બાળ હાથીને છોડવા તે તૈયાર ન હતી. બાળક ફરી જીવિત થાય તે આશાથી તે તેને જગાડતી રહી. સૂંઢથી તેને જગાડવાની કોશિશ એ આશાથી કે તે જીવિત થઈ જાય પરંતુ ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં હાથીના શવને પાણી પાસે રાખ્યો છે અને માદા હાથી તેને ઉઠાડવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના પ્રયાસ અસફળ થતા દેખાતા માદા હાથી રડી  પડી. જેટલો ઈમોશનલ વીડિયો છે કે તેટલા જ ઈમોશનલ કમેન્ટસ પણ આવી રહ્યા છે.      

       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.