બાળ હાથી મરી ગયું, માતા તેને જગાડવા માટે કરી રહી છે પ્રયાસ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ભાવુક કરી દે તેવો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 11:29:35

પોતાના સંતાનને ગુમાવાનું દર્દ માતા માટે સૌથી વધારે દુખ દાયક હોય છે એ પછી માનવી હોય કે પ્રાણી. માતાને એ માનવામાં જ ઘણો સમય જતો હોય કે તેના સંતાનનું મોત થઈ ગયું છે. ઘણો સમય લાગે છે માતાને એ માનવામાં કે તેનું સંતાન તેને છોડીને દુનિયાથી જતું રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે તમને ભાવુક કરી દેશે. વીડિયોમાં માદા હાથી પોતાના મૃત બચ્ચાને જગાડવાનો પ્રયાસ કરી રહી છે. જાનવર હોય કે પછી મનુષ્ય સંતાનને ગુમાવવાનું દુખ માતા માટે સરખું હોય છે.

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો!

આપણે ત્યાં માતા માટે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા નથી થતી. દુનિયા કરતા માતા સાથે બાળકનો સંબંધ 9 મહિના પહેલાનો હોય છે. જ્યારે ઈજા બાળકને પહોંચતી હોય છે તો તેના કરતા વધારે દર્દ માતાને થતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં માદા હાથીનો પોતાના સંતાન માટેનો પ્રેમ દેખાઈ આવે છે. વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે તે આસામનો હોવાનું માનવામાં આવી રહ્યો છે. 


પોતાના બાળકને જીવિત કરવા માતા કરી રહી છે પ્રયાસ!

એક વન અધિકારીએ આ વીડિયો શેર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે હાથીનું બચ્ચુ ત્રણ દિવસ પહેલા પોતાના પરિવારથી અલગ થઈ ગયું હતું. હાથીઓની વિશેષતા છે કે પોતાના એક એક સદસ્યને સાથે લઈને ચાલે, ખાસ કરીને પોતાના બચ્ચાઓને. જ્યારે કોઈ હાથી ખોવાઈ જાય તો તેને શોધવા હાથીઓ નીકળે છે. ત્યારે આ બચ્ચાને શોધવા પણ હાથી નીકળ્યા હતા. હાથીઓએ ગુમ થયેલા બાળ હાથીને શોધી લીધો હતો પરંતુ ત્યાં સુધી તેની મોત થઈ ગઈ હતી.


પ્રયાસ અસફળ થતાં રડી પડી માદા હાથી! 

બાળક હાથીનું મોત થઈ ગયું છે તે બાળ હાથીની માતા સ્વીકારવા તૈયાર ન હતી. પોતાના બાળ હાથીને છોડવા તે તૈયાર ન હતી. બાળક ફરી જીવિત થાય તે આશાથી તે તેને જગાડતી રહી. સૂંઢથી તેને જગાડવાની કોશિશ એ આશાથી કે તે જીવિત થઈ જાય પરંતુ ગયેલો જીવ ક્યારેય પાછા નથી આવતા. વીડિયો જે સામે આવ્યો છે તેમાં હાથીના શવને પાણી પાસે રાખ્યો છે અને માદા હાથી તેને ઉઠાડવાનો પ્રયાસ કરી રહી છે. પોતાના પ્રયાસ અસફળ થતા દેખાતા માદા હાથી રડી  પડી. જેટલો ઈમોશનલ વીડિયો છે કે તેટલા જ ઈમોશનલ કમેન્ટસ પણ આવી રહ્યા છે.      

       



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.