અંબાણી પરિવારમાં નાના મહેમાનનું થયું આગમન, મોટી વહુ શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-31 19:43:11

અંબાણી પરિવારમાં ફરી એક વખત બાળકની કિકિયારી સાંભળવા મળી છે. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીએ દીકરીને જન્મ આપ્યો છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે તેમના ઘરે એક દિકરી જન્મી છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. બાળકીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.


મુકેશ અને નીતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બન્યા


મુકેશ અંબાણીના વિશાળ નિવાસસ્થાન એન્ટેલિયામાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ  છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ફરી એકવાર દાદા-દાદી બની ગયા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. તે બીજી વખત માતા બની છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.  


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા 


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.


શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો અણસાર આવી ગયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં શ્લોકા મહેતા સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. બંને કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં મીડિયાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો.


9 માર્ચ 2019ના રોજ થયા હતા લગ્ન 


આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ ધામધૂમથી થયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.