અંબાણી પરિવારમાં નાના મહેમાનનું થયું આગમન, મોટી વહુ શ્લોકાએ દીકરીને જન્મ આપ્યો


  • Published By :
  • Published Date : 2023-05-31 19:43:11

અંબાણી પરિવારમાં ફરી એક વખત બાળકની કિકિયારી સાંભળવા મળી છે. અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા અંબાણીએ દીકરીને જન્મ આપ્યો છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી મોટા પુત્ર આકાશ અંબાણી અને પુત્રવધૂ શ્લોકા અંબાણી બીજી વખત માતા-પિતા બન્યા છે. આ વખતે તેમના ઘરે એક દિકરી જન્મી છે. બંનેને એક પુત્ર પૃથ્વી આકાશ અંબાણી છે જે માત્ર બે વર્ષનો છે. બાળકીના આગમનથી સમગ્ર અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ છે.


મુકેશ અને નીતા અંબાણી ફરી એકવાર દાદા-દાદી બન્યા


મુકેશ અંબાણીના વિશાળ નિવાસસ્થાન એન્ટેલિયામાં ખુશીઓની લહેર વ્યાપી ગઈ  છે. નીતા અંબાણી અને મુકેશ અંબાણી ફરી એકવાર દાદા-દાદી બની ગયા છે. હાલમાં જ સમાચાર સામે આવ્યા છે કે મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકાએ પુત્રીને જન્મ આપ્યો છે. તે બીજી વખત માતા બની છે. શ્લોકા મહેતાએ 31 મેના રોજ પુત્રીને જન્મ આપ્યો છે.  


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત માતા-પિતા બન્યા હતા 


આકાશ અને શ્લોકા વર્ષ 2020માં પ્રથમ વખત પુત્ર પૃથ્વીના માતા-પિતા બન્યા હતા. 2020માં 10 ડિસેમ્બરે મુકેશ અંબાણીના ઘરે પૌત્રનો જન્મ થયો હતો. પૌત્રના જન્મ પછી તરત જ મુકેશ અંબાણીએ એક તસવીર શેર કરી હતી. આ વખતે પણ કંઈક આવું જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો સમાચાર પર વિશ્વાસ કરવામાં આવે તો અંબાણી પરિવાર ટૂંક સમયમાં તેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે.


શ્લોકાની બીજી પ્રેગ્નન્સીનો અણસાર આવી ગયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે શ્લોકાની બીજી પ્રેગ્નન્સીના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે અંબાણી પરિવારે કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. જ્યાં શ્લોકા મહેતા સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે. બંને કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ પાર્ટીમાં મીડિયાની સામે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યાં શ્લોકા મહેતાએ સુંદર સાડીમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યો હતો. ત્યારબાદ સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ શરૂ થયો.


9 માર્ચ 2019ના રોજ થયા હતા લગ્ન 


આકાશ અને શ્લોકા મહેતાના લગ્ન 9 માર્ચ 2019ના રોજ ધામધૂમથી થયા હતા. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં બોલિવૂડથી લઈને દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.