તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજે શોને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2023-01-03 16:02:48

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનેક કલાકારો અલવિદા કહી રહ્યા છે. લોકપ્રિય બની ગયેલા શોને અનેક કલાકારો છોડી રહ્યા છે. દયાભાભીનું કિરદાર નિભાવનાર દિશા વાકાણીતો વર્ષોથી શોમાં દેખાતા નથી. થોડા સમય પહેલા તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને છોડી દીધો છે ત્યારે શોના ડાયરેક્ટરે પણ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇતિહાસ રચવાની તૈયારીમાં, જાણો શું છે મામલો | Tarak  Mehta Ka Ulta Chashma In preparation to make history, find out what the  matter is

શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને કહ્યું અલવિદા  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોને કલાકારો અલવિદા કહી રહ્યા છે ઉપરાંત અનેક કિરદારો બદલાઈ પણ ગયા છે. છેલ્લા અનેક વર્ષોથી દિશા વાકાણી શોમાં દેખાઈ નથી રહ્યા અને તે ક્યારે પાછા ફરશે તે અંગેની માહિતી પણ નથી મળી રહી. ઉપરાંત શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા હતા તે ટપ્પુની ભૂમિકા ભજનાર કલાકારે પણ શો છોડવાના છે. આ બધા વચ્ચે શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને ક્વીટ કરી દીધો છે.


આ કારણોસર ડાયરેક્ટરે છોડયો શો 

મળતી માહિતી અનુસાર માલવ રાજદાએ 15 ડિસેમ્બરે આ શોનું અંતિમ શૂટિંગ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડ્કશન હાઉસ વચ્ચે અનબન થવાને કારણે શો છોડી રહ્યા છે. પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે. શો છોડવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે મારી ક્રિયેટીવીટીને આગળ વધારવા શોને છોડવું અનિવાર્ય હતું.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .