તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજે શોને અલવિદા કહ્યું


  • Published By :
  • Published Date : 2023-01-03 16:02:48

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનેક કલાકારો અલવિદા કહી રહ્યા છે. લોકપ્રિય બની ગયેલા શોને અનેક કલાકારો છોડી રહ્યા છે. દયાભાભીનું કિરદાર નિભાવનાર દિશા વાકાણીતો વર્ષોથી શોમાં દેખાતા નથી. થોડા સમય પહેલા તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને છોડી દીધો છે ત્યારે શોના ડાયરેક્ટરે પણ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇતિહાસ રચવાની તૈયારીમાં, જાણો શું છે મામલો | Tarak  Mehta Ka Ulta Chashma In preparation to make history, find out what the  matter is

શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને કહ્યું અલવિદા  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોને કલાકારો અલવિદા કહી રહ્યા છે ઉપરાંત અનેક કિરદારો બદલાઈ પણ ગયા છે. છેલ્લા અનેક વર્ષોથી દિશા વાકાણી શોમાં દેખાઈ નથી રહ્યા અને તે ક્યારે પાછા ફરશે તે અંગેની માહિતી પણ નથી મળી રહી. ઉપરાંત શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા હતા તે ટપ્પુની ભૂમિકા ભજનાર કલાકારે પણ શો છોડવાના છે. આ બધા વચ્ચે શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને ક્વીટ કરી દીધો છે.


આ કારણોસર ડાયરેક્ટરે છોડયો શો 

મળતી માહિતી અનુસાર માલવ રાજદાએ 15 ડિસેમ્બરે આ શોનું અંતિમ શૂટિંગ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડ્કશન હાઉસ વચ્ચે અનબન થવાને કારણે શો છોડી રહ્યા છે. પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે. શો છોડવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે મારી ક્રિયેટીવીટીને આગળ વધારવા શોને છોડવું અનિવાર્ય હતું.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.