તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પરથી આવ્યા ખરાબ સમાચાર, આ દિગ્ગજે શોને અલવિદા કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-03 16:02:48

સોની સબ પર આવતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અનેક કલાકારો અલવિદા કહી રહ્યા છે. લોકપ્રિય બની ગયેલા શોને અનેક કલાકારો છોડી રહ્યા છે. દયાભાભીનું કિરદાર નિભાવનાર દિશા વાકાણીતો વર્ષોથી શોમાં દેખાતા નથી. થોડા સમય પહેલા તારક મહેતાની ભૂમિકા નિભાવનાર શૈલેષ લોઢાએ પણ શોને છોડી દીધો છે ત્યારે શોના ડાયરેક્ટરે પણ શોને છોડવાની જાહેરાત કરી દીધી છે.


તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઇતિહાસ રચવાની તૈયારીમાં, જાણો શું છે મામલો | Tarak  Mehta Ka Ulta Chashma In preparation to make history, find out what the  matter is

શોના ડાયરેક્ટર માલવ રાજદાએ શોને કહ્યું અલવિદા  

અંદાજીત 14 વર્ષથી સોની સબ પર ચાલતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ દર્શકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. અનેક લોકો આ શોને જોવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ શોને કલાકારો અલવિદા કહી રહ્યા છે ઉપરાંત અનેક કિરદારો બદલાઈ પણ ગયા છે. છેલ્લા અનેક વર્ષોથી દિશા વાકાણી શોમાં દેખાઈ નથી રહ્યા અને તે ક્યારે પાછા ફરશે તે અંગેની માહિતી પણ નથી મળી રહી. ઉપરાંત શૈલેષ લોઢાએ પણ શોને અલવિદા કહી દીધું છે. વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા હતા તે ટપ્પુની ભૂમિકા ભજનાર કલાકારે પણ શો છોડવાના છે. આ બધા વચ્ચે શોના ડાયરેક્ટર માલવ રાજદાએ પણ શોને ક્વીટ કરી દીધો છે.


આ કારણોસર ડાયરેક્ટરે છોડયો શો 

મળતી માહિતી અનુસાર માલવ રાજદાએ 15 ડિસેમ્બરે આ શોનું અંતિમ શૂટિંગ કર્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે માલવ રાજદા અને પ્રોડ્કશન હાઉસ વચ્ચે અનબન થવાને કારણે શો છોડી રહ્યા છે. પરંતુ આ વાતનો ઈન્કાર કર્યો છે. શો છોડવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે મારી ક્રિયેટીવીટીને આગળ વધારવા શોને છોડવું અનિવાર્ય હતું.    



થોડા દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ પાર્ટીમાંથી રાજીનામું. ભાજપમાં ક્યારે જોડાશે તેની રાહ જોવામાં આવતી. ત્યારે થોડા દિવસ પહેલા તેમણે કેસરિયો ધારણ કર્યો છે. આ કાર્યક્રમમાં કુમાર કાનાણી ગેરહાજર હતા જેને લઈ અનેક સવાલો થયા.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર અનેક જગ્યાઓ પર પહોંચી ગયો છે. પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે.

બાળકોને જોઈ અનેક લોકોને પોતાનું બાળપણ યાદ આવે છે... માતાની મમતા યાદ આવે છે અને બાપુજી દ્વારા આપવામાં આવતો ઠપકો યાદ આવે છે..

પરેશ ધાનાણી ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર છે. પ્રચાર દરમિયાન અલગ અલગ શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં પાણીપુરી શબ્દનો પ્રયોગ થયો છે.