Banaskantha : 17 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, ક્રિકેટ રમતા રમતા યુવાને દુનિયાથી લીધી ચીર વિદાય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-18 13:21:42

આપણે કહેતા હોઈએ છીએ કે જીવન અને મરણ આપણાં હાથમાં નથી. ગમે ત્યારે માણસ અંતિમ શ્વાસ લઈ લે છે તેવી જાણ નથી થતી. આપણે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ પરંતુ આવનાર ક્ષણમાં આપણી સાથે શું થશે તેની જાણકારી નથી હોતી. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થઈ ગયું છે. 

Kutch News: 10th standard student suffered a heart attack during the ongoing exam Heart Attack: કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

હાર્ટ એટેક.... આ શબ્દ છેલ્લા થોડા મહિનાઓથી સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા મહિનામાં હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનું મોત શાળામાં થઈ ગયું, એની પહેલા પણ મોરબીમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને આવે છે પરંતુ કોરોના બાદ તો આ પરિસ્થિતિ એકદમ બદલાઈ છે. નાની ઉંમરના લોકો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે.   

Banaskantha News: seventeen year old boy got heart attack during play cricket in dhanera Heart Attack: વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, ધાનેરામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતાં-રમતાં ઢળી પડ્યો

17 વર્ષીય વિપુલ બન્યો કાળનો કોળિયો 

આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય આશાવાદ યુવાનને કાળ ભરખી ગયો છે.  વિપુલ સોલંકી ક્રિકેટ રમી રહ્યો હતો તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો. સારવાર અર્થે હોસ્પિચલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. નાની ઉંમરના વિપુલની અચાનક વિદાયથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આ શબ્દ પ્રતિદિન સાંભળવા મળી રહ્યા છે.

surat-news-cpr-training-giving-to-teachers-in-new-civil-hospital-243480


શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆર ટ્રેનિંગ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ બચી શકતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતના લાખો શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે તમે પણ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો..    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.