Banaskantha : 17 વર્ષીય યુવાનને આવ્યો Heart Attack, ક્રિકેટ રમતા રમતા યુવાને દુનિયાથી લીધી ચીર વિદાય! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-12-18 13:21:42

આપણે કહેતા હોઈએ છીએ કે જીવન અને મરણ આપણાં હાથમાં નથી. ગમે ત્યારે માણસ અંતિમ શ્વાસ લઈ લે છે તેવી જાણ નથી થતી. આપણે ભવિષ્યની ચિંતા કરતા હોઈએ છીએ પરંતુ આવનાર ક્ષણમાં આપણી સાથે શું થશે તેની જાણકારી નથી હોતી. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અનેક વખત સમાચાર આવતા હોય છે કે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા ત્યારે વધુ એક કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષના યુવાનને હાર્ટ એટેક આવ્યો છે અને તેનું મોત થઈ ગયું છે. 

Kutch News: 10th standard student suffered a heart attack during the ongoing exam Heart Attack: કચ્છમાં ધો. 10ના વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ આવ્યો હાર્ટ એટેક, સ્કૂલ અને પરિવારમાં શોકનો માહોલ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓને આવી રહ્યો છે હાર્ટ એટેક 

હાર્ટ એટેક.... આ શબ્દ છેલ્લા થોડા મહિનાઓથી સામાન્ય બની ગયું છે. છેલ્લા થોડા મહિનામાં હાર્ટ એટેકને કારણે અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થીનું મોત શાળામાં થઈ ગયું, એની પહેલા પણ મોરબીમાં એક મહિલાને હાર્ટ એટેક આવ્યો અને મોતને ભેટી. પહેલા એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક જેવી બિમારીઓ મોટી ઉંમરના લોકોને આવે છે પરંતુ કોરોના બાદ તો આ પરિસ્થિતિ એકદમ બદલાઈ છે. નાની ઉંમરના લોકો, શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે.   

Banaskantha News: seventeen year old boy got heart attack during play cricket in dhanera Heart Attack: વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, ધાનેરામાં 17 વર્ષીય યુવાન ક્રિકેટ રમતાં-રમતાં ઢળી પડ્યો

17 વર્ષીય વિપુલ બન્યો કાળનો કોળિયો 

આજે પણ હાર્ટ એટેકનો કિસ્સો બનાસકાંઠાથી સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 17 વર્ષીય આશાવાદ યુવાનને કાળ ભરખી ગયો છે.  વિપુલ સોલંકી ક્રિકેટ રમી રહ્યો હતો તેને હાર્ટ એટેક આવ્યો અને તે મોતને ભેટ્યો. સારવાર અર્થે હોસ્પિચલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત થઈ ગયું. નાની ઉંમરના વિપુલની અચાનક વિદાયથી પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. મહત્વનું છે કે કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ ક્રિકેટ રમતા રમતા મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આ શબ્દ પ્રતિદિન સાંભળવા મળી રહ્યા છે.

surat-news-cpr-training-giving-to-teachers-in-new-civil-hospital-243480


શિક્ષકોને આપવામાં આવી રહી છે સીપીઆર ટ્રેનિંગ

શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો યોગ્ય સમયે સારવાર મળી જાય તો જીવ બચી શકતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતના લાખો શિક્ષકોને સીપીઆરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. બે તબક્કામાં આ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યારે તમે પણ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખો..    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.