Banaskantha - વાવની પેટા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતે...


  • Published By :
  • Published Date : 2024-11-13 13:58:31

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને તે સાંસદ બન્યા, જેને કારણે સીટ ખાલી પડી અને આજે ત્યાં મતદાન યોજાઈ રહ્યું છે.... ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે....અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.... વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે... 


પ્રચાર માટે ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર!

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકશાહીની સુંદર તસવીરો જોવા મળી હતી.. ગેનીબેન ઠાકોર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને સી.જે. ચાવડા સહિતના લોકોને ગુલાબ આપ્યું હતું.. ત્યારે આજે પણ એવી તસવીર સામે  આવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને મળ્યા હતા... મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે... માવજી ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે... જેને કારણે ત્રિ પાંખીયો જંગ જામ્યો છે.... 



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.