Banaskantha - વાવની પેટા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતે...


  • Published By :
  • Published Date : 2024-11-13 13:58:31

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને તે સાંસદ બન્યા, જેને કારણે સીટ ખાલી પડી અને આજે ત્યાં મતદાન યોજાઈ રહ્યું છે.... ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે....અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.... વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે... 


પ્રચાર માટે ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર!

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકશાહીની સુંદર તસવીરો જોવા મળી હતી.. ગેનીબેન ઠાકોર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને સી.જે. ચાવડા સહિતના લોકોને ગુલાબ આપ્યું હતું.. ત્યારે આજે પણ એવી તસવીર સામે  આવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને મળ્યા હતા... મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે... માવજી ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે... જેને કારણે ત્રિ પાંખીયો જંગ જામ્યો છે.... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી