Banaskantha - વાવની પેટા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતે...


  • Published By :
  • Published Date : 2024-11-13 13:58:31

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને તે સાંસદ બન્યા, જેને કારણે સીટ ખાલી પડી અને આજે ત્યાં મતદાન યોજાઈ રહ્યું છે.... ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે....અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.... વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે... 


પ્રચાર માટે ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર!

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકશાહીની સુંદર તસવીરો જોવા મળી હતી.. ગેનીબેન ઠાકોર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને સી.જે. ચાવડા સહિતના લોકોને ગુલાબ આપ્યું હતું.. ત્યારે આજે પણ એવી તસવીર સામે  આવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને મળ્યા હતા... મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે... માવજી ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે... જેને કારણે ત્રિ પાંખીયો જંગ જામ્યો છે.... 



એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.