Banaskantha - વાવની પેટા ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન, ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂતે...


  • Published By :
  • Published Date : 2024-11-13 13:58:31

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર આ બેઠક પરથી ધારાસભ્ય હતા પરંતુ તે લોકસભાની ચૂંટણીમાં તેમની જીત થઈ અને તે સાંસદ બન્યા, જેને કારણે સીટ ખાલી પડી અને આજે ત્યાં મતદાન યોજાઈ રહ્યું છે.... ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે સ્વરૂપજી ઠાકોરને બનાવ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપુત છે.. વાવમાં ત્રિ પાંખીયો જંગ જોવા મળી રહ્યો છે....અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલે પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.... વાવની પેટા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોરે મતાધિકારનો ઉપયોગ કર્યો છે... 


પ્રચાર માટે ઉમેદવારોએ લગાવ્યું એડી ચોટીનું જોર!

ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં લોકશાહીની સુંદર તસવીરો જોવા મળી હતી.. ગેનીબેન ઠાકોર ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા અને સી.જે. ચાવડા સહિતના લોકોને ગુલાબ આપ્યું હતું.. ત્યારે આજે પણ એવી તસવીર સામે  આવી છે જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર આમને સામને મળ્યા હતા... મહત્વનું છે કે આ ચૂંટણીમાં દરેક પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે... માવજી ચૌધરીએ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે... જેને કારણે ત્રિ પાંખીયો જંગ જામ્યો છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.