ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ; ખાલિસ્તાન સમર્થકોએ દિવાલ તોડી, ગેટ પર ધ્વજ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 10:52:25

ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ શુક્રવારે સવારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.


BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ 


ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલે રિપોર્ટ આપ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. શુક્રવારે જ્યારે મંદિરના પૂજારીઓ પૂજા કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. આ સાથે જ ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ લટકતો જોવા મળ્યો હતો.


BAPSએ હુમલાને વખોડ્યો 


મળતા રિપોર્ટ મુજબ મંદિરની દિવાલો પર વિનાશ અને નફરતના આઘાતજનક સૂત્રો લખવામાં આવ્યા છે.જ્યારે, BAPSએ હુમલાની નિંદા કરી હતી. "અમે આ બર્બરતા અને નફરતના કૃત્યોથી દુઃખી અને આઘાત અનુભવીએ છીએ," BAPSએ એક નિવેદનમાં કહ્યું. અમે શાંતિ અને સદભાવ માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં આ ઘટના વિશે વધુ વિગતો આપીશું.


જાન્યુઆરીમાં પણ હુમલો થયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.  તે ઉપરાંત મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર લખેલા સ્લોગનમાં ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી જર્નૈલ સિંહ ભિંડરાનવાલેને 'શહીદ' ગણાવ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?