ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ; ખાલિસ્તાન સમર્થકોએ દિવાલ તોડી, ગેટ પર ધ્વજ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 10:52:25

ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ શુક્રવારે સવારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.


BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ 


ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલે રિપોર્ટ આપ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. શુક્રવારે જ્યારે મંદિરના પૂજારીઓ પૂજા કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. આ સાથે જ ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ લટકતો જોવા મળ્યો હતો.


BAPSએ હુમલાને વખોડ્યો 


મળતા રિપોર્ટ મુજબ મંદિરની દિવાલો પર વિનાશ અને નફરતના આઘાતજનક સૂત્રો લખવામાં આવ્યા છે.જ્યારે, BAPSએ હુમલાની નિંદા કરી હતી. "અમે આ બર્બરતા અને નફરતના કૃત્યોથી દુઃખી અને આઘાત અનુભવીએ છીએ," BAPSએ એક નિવેદનમાં કહ્યું. અમે શાંતિ અને સદભાવ માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં આ ઘટના વિશે વધુ વિગતો આપીશું.


જાન્યુઆરીમાં પણ હુમલો થયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.  તે ઉપરાંત મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર લખેલા સ્લોગનમાં ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી જર્નૈલ સિંહ ભિંડરાનવાલેને 'શહીદ' ગણાવ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.