ઓસ્ટ્રેલિયાના સિડનીમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ; ખાલિસ્તાન સમર્થકોએ દિવાલ તોડી, ગેટ પર ધ્વજ લગાવ્યો


  • Published By :
  • Published Date : 2023-05-05 10:52:25

ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ કરવામાં આવી છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના પ્રકાશમાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાન સમર્થકોએ શુક્રવારે સવારે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોડ કરી હતી. આ સાથે મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.


BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ 


ઓસ્ટ્રેલિયન મીડિયાએ આ મામલે રિપોર્ટ આપ્યો છે કે ખાલિસ્તાન સમર્થકોએ ઓસ્ટ્રેલિયામાં વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. શુક્રવારે જ્યારે મંદિરના પૂજારીઓ પૂજા કરવા પહોંચ્યા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. આ સાથે જ ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ લટકતો જોવા મળ્યો હતો.


BAPSએ હુમલાને વખોડ્યો 


મળતા રિપોર્ટ મુજબ મંદિરની દિવાલો પર વિનાશ અને નફરતના આઘાતજનક સૂત્રો લખવામાં આવ્યા છે.જ્યારે, BAPSએ હુમલાની નિંદા કરી હતી. "અમે આ બર્બરતા અને નફરતના કૃત્યોથી દુઃખી અને આઘાત અનુભવીએ છીએ," BAPSએ એક નિવેદનમાં કહ્યું. અમે શાંતિ અને સદભાવ માટે અમારી પ્રાર્થના કરીએ છીએ અને ટૂંક સમયમાં આ ઘટના વિશે વધુ વિગતો આપીશું.


જાન્યુઆરીમાં પણ હુમલો થયો હતો


અત્રે ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના સામે આવી હતી. 12 જાન્યુઆરીની સવારે, મેલબોર્નના ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.  તે ઉપરાંત મંદિરની દિવાલો પર વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિરની દીવાલો પર લખેલા સ્લોગનમાં ખાલિસ્તાન સમર્થકોએ આતંકવાદી જર્નૈલ સિંહ ભિંડરાનવાલેને 'શહીદ' ગણાવ્યા હતા અને તેમની પ્રશંસા પણ કરી હતી.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.