કેનેડાના ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિંદુ સમાજમાં ભારે રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 13:14:57

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે કેનેડાના ટોરન્ટો શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.  સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોનાં કૃત્યનો સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે અને દોષિતો સામે પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે. 


ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા 


મળતી માહિતી મુજબ મંદિરની દિવાલો પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, સાંસદો અને મેયરે પણ સમગ્ર કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે."


બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાથી હું ખૂબ જ દુઃખી છું. આપણે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થાવાળા સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્યો માટે સજા મળી શકે."


ભારતીય હાઈકમિશને ટ્વિટ કરી કાર્યવાહીની કરી માંગ

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.