કેનેડાના ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિંદુ સમાજમાં ભારે રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 13:14:57

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે કેનેડાના ટોરન્ટો શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.  સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોનાં કૃત્યનો સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે અને દોષિતો સામે પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે. 


ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા 


મળતી માહિતી મુજબ મંદિરની દિવાલો પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, સાંસદો અને મેયરે પણ સમગ્ર કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે."


બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાથી હું ખૂબ જ દુઃખી છું. આપણે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થાવાળા સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્યો માટે સજા મળી શકે."


ભારતીય હાઈકમિશને ટ્વિટ કરી કાર્યવાહીની કરી માંગ

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.