કેનેડાના ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિંદુ સમાજમાં ભારે રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 13:14:57

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે કેનેડાના ટોરન્ટો શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.  સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોનાં કૃત્યનો સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે અને દોષિતો સામે પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે. 


ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા 


મળતી માહિતી મુજબ મંદિરની દિવાલો પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, સાંસદો અને મેયરે પણ સમગ્ર કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે."


બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાથી હું ખૂબ જ દુઃખી છું. આપણે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થાવાળા સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્યો માટે સજા મળી શકે."


ભારતીય હાઈકમિશને ટ્વિટ કરી કાર્યવાહીની કરી માંગ

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 



પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તેમની ટિકીટ રદ્દ થાય તેવી માગ સમાજ દ્વારા કરવામાં આવી.. આ બધા વચ્ચે થોડા દિવસ પહેલા સંકલન સમિતી દ્વારા આંદોલનને મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ તો હવે પદ્મિની બા વાળાએ પરષોત્તમ રૂપાલાને માફી આપી દીધી છે.

22 એપ્રિલથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીની ભૂમિકા ભજવનાર ગુરૂચરન લાપતા હતા! તે 17મેના રોજ ઘરે પાછા આવ્યા છે. પોલીસે તેમની શોધખોળ હાથ ધરી પરંતુ તે મળ્યા ના હતા ત્યારે તે ઘરે પાછા આવ્યા છે જેને લઈ તેમના પરિવારે અને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..