કેનેડાના ટોરન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, હિંદુ સમાજમાં ભારે રોષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-15 13:14:57

કેનેડામાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંગળવારે કેનેડાના ટોરન્ટો શહેરમાં BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું.  સ્વામિનારાયણ મંદિરમાં અસામાજિક તત્વોનાં કૃત્યનો સમગ્ર વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ તેજીથી વાયરલ પણ થયા હતા. આ સમગ્ર ઘટનાને લઈ કેનેડામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી છે અને દોષિતો સામે પોલીસ કાર્યવાહીની માંગણી થઈ રહી છે. 


ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા 


મળતી માહિતી મુજબ મંદિરની દિવાલો પર ભારતના વિરોધમાં ખાલિસ્તાનના સમર્થનમાં નારા લખવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવ્યા બાદ હિંદુ સમાજના અગ્રણીઓ, રાજનેતાઓ, સાંસદો અને મેયરે પણ સમગ્ર કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.


કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ ટ્વિટર પર કહ્યું કે, "કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા ટોરોન્ટોના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાની બધાએ નિંદા કરવી જોઈએ. આ માત્ર એક જ ઘટના નથી. કેનેડામાં હિંદુ મંદિરોએ તાજેતરના સમયમાં આવા અનેક નફરતના ગુનાઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટનાઓને લઈને કેનેડિયન હિંદુઓની ચિંતા વાજબી છે."


બ્રેમ્પટન સાઉથના સાંસદ સોનિયા સિદ્ધુએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું, “ટોરોન્ટોમાં BAPS સ્વામિનારાયણ મંદિરની અપવિત્રતાથી હું ખૂબ જ દુઃખી છું. આપણે બહુસાંસ્કૃતિક અને બહુ-આસ્થાવાળા સમુદાયમાં રહીએ છીએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવવાને પાત્ર છે. આ ઘટના માટે જવાબદાર લોકોની ઓળખ થવી જોઈએ, જેથી તેઓને તેમના કૃત્યો માટે સજા મળી શકે."


ભારતીય હાઈકમિશને ટ્વિટ કરી કાર્યવાહીની કરી માંગ

કેનેડાના ઓટાવામાં સ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા આ સમગ્ર મામલે સત્તાવાર રીતે વાંધો ઉઠાવવામાં આવ્યો છે તથા કેનેડાની સરકારને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .