BBCની ઓફિસ પર ITની રેડ અંગે અમેરિકાએ પણ આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-15 20:08:19

BBC ઈન્ડિયા સામે આવકવેરા વિભાગના 'સર્વે અભિયાન'ને લઈ હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પ્રેસની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતાના સાર્વત્રિક અધિકારોના મહત્વને સમર્થન આપે છે. તે ભારત સહિત વિશ્વભરમાં 'લોકશાહીનો આધાર' છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ નિવેદન કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસ તથા અન્ય બે સ્થાનો પર આવકવેરા વિભાગે 'સર્વે ઓપરેશન' શરૂ કર્યાના એક દિવસ પછી આપ્યું છે.


અમેરિકાએ શું કહ્યું?


અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, "દિલ્હીમાં BBC ઓફિસમાં ભારતના ઈન્કમ ટેક્સ અધિકારીઓ દ્વારા કરાયેલા સર્વેથી અમે વાકેફ છીએ." તમારે આ સંબંધમાં માહિતી મેળવવા માટે ભારતીય સત્તાવાળાઓ પાસે જવું જોઈએ.' પ્રાઇસે કહ્યું, 'અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકાર તરીકે ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ જે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપે છે. તેણે આ દેશમાં લોકશાહીને મજબૂત કરી છે. તેનાથી ભારતની લોકશાહી મજબૂત થઈ છે. પ્રાઈસે વધુમાં કહ્યું કે આ સાર્વત્રિક અધિકારો સમગ્ર વિશ્વમાં લોકશાહીનો આધાર છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પગલું લોકશાહીની ભાવના અથવા મૂલ્યોની વિરુદ્ધ છે, પ્રાઇસે કહ્યું, "હું તે કહી શકતો નથી. અમે આ સર્ચ (સર્વે ઓપરેશન)ના તથ્યોથી વાકેફ છીએ, પરંતુ હાલ હું કોઈ નિર્ણય આપી શકવાની સ્થિતિમાં નથી."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે