BBCની ઓફિસ પર ITની રેડ અંગે અમેરિકાએ પણ આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-15 20:08:19

BBC ઈન્ડિયા સામે આવકવેરા વિભાગના 'સર્વે અભિયાન'ને લઈ હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે. અમેરિકાએ કહ્યું છે કે તે પ્રેસની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ધાર્મિક સ્વતંત્રતાના સાર્વત્રિક અધિકારોના મહત્વને સમર્થન આપે છે. તે ભારત સહિત વિશ્વભરમાં 'લોકશાહીનો આધાર' છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે આ નિવેદન કથિત કરચોરીની તપાસના ભાગરૂપે દિલ્હી અને મુંબઈમાં BBCની ઓફિસ તથા અન્ય બે સ્થાનો પર આવકવેરા વિભાગે 'સર્વે ઓપરેશન' શરૂ કર્યાના એક દિવસ પછી આપ્યું છે.


અમેરિકાએ શું કહ્યું?


અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું કે, "દિલ્હીમાં BBC ઓફિસમાં ભારતના ઈન્કમ ટેક્સ અધિકારીઓ દ્વારા કરાયેલા સર્વેથી અમે વાકેફ છીએ." તમારે આ સંબંધમાં માહિતી મેળવવા માટે ભારતીય સત્તાવાળાઓ પાસે જવું જોઈએ.' પ્રાઇસે કહ્યું, 'અમે વિશ્વભરમાં મુક્ત પ્રેસના મહત્વને સમર્થન આપીએ છીએ. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને માનવ અધિકાર તરીકે ધર્મ અને આસ્થાની સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકીએ છીએ જે વિશ્વભરમાં લોકશાહીને મજબૂત કરવામાં ફાળો આપે છે. તેણે આ દેશમાં લોકશાહીને મજબૂત કરી છે. તેનાથી ભારતની લોકશાહી મજબૂત થઈ છે. પ્રાઈસે વધુમાં કહ્યું કે આ સાર્વત્રિક અધિકારો સમગ્ર વિશ્વમાં લોકશાહીનો આધાર છે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આ પગલું લોકશાહીની ભાવના અથવા મૂલ્યોની વિરુદ્ધ છે, પ્રાઇસે કહ્યું, "હું તે કહી શકતો નથી. અમે આ સર્ચ (સર્વે ઓપરેશન)ના તથ્યોથી વાકેફ છીએ, પરંતુ હાલ હું કોઈ નિર્ણય આપી શકવાની સ્થિતિમાં નથી."



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?