BBC અંગે CBDTનો મોટો ખુલાસો, આવક, નફો અને ટેક્સ ચૂકવણીમાં વિસંગતતાઓ જણાઈ


  • Published By :
  • Published Date : 2023-02-17 21:25:25

BBC ઑફિસમાં કરવામાં આવેલા 'સર્વે' અંગે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ શુક્રવારે (17 ફેબ્રુઆરી) એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં, CBDTએ જણાવ્યું હતું કે BBC જૂથ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં તેમની કામગીરી સાથે સુસંગત નથી. તપાસ એજન્સીને કંપની દ્વારા કરવામાં આવેલી ટેક્સ ચૂંકવણીમાં પણ અનિયમિતતા મળી છે.


CBDTએ નામ લીધા વગર નિવેદન આપ્યું


CBDTએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આવકવેરા ટીમના કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો દ્વારા ઘણી મહત્વપૂર્ણ બાબતો શોધી કાઢવામાં આવી છે. CBDTએ તેના નિવેદનમાં BBCનું નામ નથી લીધું પરંતુ તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ નિવેદન બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) સાથે સંબંધિત છે. નિવેદન અનુસાર, સર્વે દરમિયાન, ટ્રાન્સફર પ્રાઇસિંગ દસ્તાવેજીકરણના સંબંધમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.