BBC અંગે CBDTનો મોટો ખુલાસો, આવક, નફો અને ટેક્સ ચૂકવણીમાં વિસંગતતાઓ જણાઈ


  • Published By :
  • Published Date : 2023-02-17 21:25:25

BBC ઑફિસમાં કરવામાં આવેલા 'સર્વે' અંગે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ શુક્રવારે (17 ફેબ્રુઆરી) એક નિવેદન બહાર પાડ્યું છે. તેના નિવેદનમાં, CBDTએ જણાવ્યું હતું કે BBC જૂથ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં તેમની કામગીરી સાથે સુસંગત નથી. તપાસ એજન્સીને કંપની દ્વારા કરવામાં આવેલી ટેક્સ ચૂંકવણીમાં પણ અનિયમિતતા મળી છે.


CBDTએ નામ લીધા વગર નિવેદન આપ્યું


CBDTએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આવકવેરા ટીમના કર્મચારીઓના નિવેદનો, ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો દ્વારા ઘણી મહત્વપૂર્ણ બાબતો શોધી કાઢવામાં આવી છે. CBDTએ તેના નિવેદનમાં BBCનું નામ નથી લીધું પરંતુ તપાસ અધિકારીઓએ જણાવ્યું કે આ નિવેદન બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC) સાથે સંબંધિત છે. નિવેદન અનુસાર, સર્વે દરમિયાન, ટ્રાન્સફર પ્રાઇસિંગ દસ્તાવેજીકરણના સંબંધમાં ઘણી વિસંગતતાઓ જોવા મળી હતી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે