BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે દિલ્હી યુનિ.માં હોબાળો, પોલીસે સ્ક્રીનિંગ અટકાવી વિદ્યાર્થીઓની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-27 19:36:17

BBCની ડોક્યુમેન્ટરીને લઈ દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતા દેશની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનું સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. જેમ કે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BBCની ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. જો કે યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ પોલીસને પહેલેથી જ જાણ કરી દેતા પોલીસે આ સ્ક્રિનિંગ થવા દીધુ ન હતું.  પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.


DU આર્ટ ફેકલ્ટીમાં સ્ક્રિનિંગ પર વિવાદ


બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ જેએનયુ અને જામિયાથી આગળ વધીને દિલ્હી યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયો છે. NSUI કેરળ દ્વારા આર્ટ ફેકલ્ટીમાં આજે સ્ક્રિનિંગના માટે સાંજે વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર પોલીસ  તૈનાત કરી દીધી છે. પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. 


DU પ્રોક્ટરે લખ્યો પત્ર 


દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ દિલ્હી પોલીસને આ ડોક્યુમેન્ટરીનાં સ્ક્રિનિંગ અંગે પત્ર લખ્યો હતો. અબ્બીએ જાણ કરતા પોલીસ સક્રિય બની હતી.24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજાયા બાદ દેશની તમામ યુનિવર્સિટીમાં તેનું સ્ક્રિનિંગ યોજવામાં આવી રહ્યું છે. મોદી સરકાર પણ પ્રતિબંધ ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર બતાવવામાં ન આવે તે માટે ખાસ પગલા લઈ રહી છે. સરકાર ટ્વીટર ,યુ ટ્યુબ સહિતના માધ્યમો પરથી આ ડોક્યુમેન્ટરી હટાવી રહી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.