BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે દિલ્હી યુનિ.માં હોબાળો, પોલીસે સ્ક્રીનિંગ અટકાવી વિદ્યાર્થીઓની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-27 19:36:17

BBCની ડોક્યુમેન્ટરીને લઈ દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતા દેશની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનું સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. જેમ કે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BBCની ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. જો કે યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ પોલીસને પહેલેથી જ જાણ કરી દેતા પોલીસે આ સ્ક્રિનિંગ થવા દીધુ ન હતું.  પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.


DU આર્ટ ફેકલ્ટીમાં સ્ક્રિનિંગ પર વિવાદ


બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ જેએનયુ અને જામિયાથી આગળ વધીને દિલ્હી યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયો છે. NSUI કેરળ દ્વારા આર્ટ ફેકલ્ટીમાં આજે સ્ક્રિનિંગના માટે સાંજે વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર પોલીસ  તૈનાત કરી દીધી છે. પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. 


DU પ્રોક્ટરે લખ્યો પત્ર 


દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ દિલ્હી પોલીસને આ ડોક્યુમેન્ટરીનાં સ્ક્રિનિંગ અંગે પત્ર લખ્યો હતો. અબ્બીએ જાણ કરતા પોલીસ સક્રિય બની હતી.24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજાયા બાદ દેશની તમામ યુનિવર્સિટીમાં તેનું સ્ક્રિનિંગ યોજવામાં આવી રહ્યું છે. મોદી સરકાર પણ પ્રતિબંધ ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર બતાવવામાં ન આવે તે માટે ખાસ પગલા લઈ રહી છે. સરકાર ટ્વીટર ,યુ ટ્યુબ સહિતના માધ્યમો પરથી આ ડોક્યુમેન્ટરી હટાવી રહી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.