BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે દિલ્હી યુનિ.માં હોબાળો, પોલીસે સ્ક્રીનિંગ અટકાવી વિદ્યાર્થીઓની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-27 19:36:17

BBCની ડોક્યુમેન્ટરીને લઈ દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતા દેશની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનું સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. જેમ કે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BBCની ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. જો કે યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ પોલીસને પહેલેથી જ જાણ કરી દેતા પોલીસે આ સ્ક્રિનિંગ થવા દીધુ ન હતું.  પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.


DU આર્ટ ફેકલ્ટીમાં સ્ક્રિનિંગ પર વિવાદ


બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ જેએનયુ અને જામિયાથી આગળ વધીને દિલ્હી યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયો છે. NSUI કેરળ દ્વારા આર્ટ ફેકલ્ટીમાં આજે સ્ક્રિનિંગના માટે સાંજે વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર પોલીસ  તૈનાત કરી દીધી છે. પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. 


DU પ્રોક્ટરે લખ્યો પત્ર 


દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ દિલ્હી પોલીસને આ ડોક્યુમેન્ટરીનાં સ્ક્રિનિંગ અંગે પત્ર લખ્યો હતો. અબ્બીએ જાણ કરતા પોલીસ સક્રિય બની હતી.24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજાયા બાદ દેશની તમામ યુનિવર્સિટીમાં તેનું સ્ક્રિનિંગ યોજવામાં આવી રહ્યું છે. મોદી સરકાર પણ પ્રતિબંધ ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર બતાવવામાં ન આવે તે માટે ખાસ પગલા લઈ રહી છે. સરકાર ટ્વીટર ,યુ ટ્યુબ સહિતના માધ્યમો પરથી આ ડોક્યુમેન્ટરી હટાવી રહી છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.