BBCની ડોક્યુમેન્ટરી મુદ્દે દિલ્હી યુનિ.માં હોબાળો, પોલીસે સ્ક્રીનિંગ અટકાવી વિદ્યાર્થીઓની કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-27 19:36:17

BBCની ડોક્યુમેન્ટરીને લઈ દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ ડોક્યુમેન્ટરી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતા દેશની વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેનું સ્ક્રીનિંગ યોજી રહ્યા છે. જેમ કે આજે સાંજે 4 વાગ્યે દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ BBCની ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. જો કે યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ પોલીસને પહેલેથી જ જાણ કરી દેતા પોલીસે આ સ્ક્રિનિંગ થવા દીધુ ન હતું.  પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. પોલીસે કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત પણ કરી છે.


DU આર્ટ ફેકલ્ટીમાં સ્ક્રિનિંગ પર વિવાદ


બીબીસી ડોક્યુમેન્ટરીનો વિવાદ જેએનયુ અને જામિયાથી આગળ વધીને દિલ્હી યુનિવર્સિટીમાં પણ પહોંચી ગયો છે. NSUI કેરળ દ્વારા આર્ટ ફેકલ્ટીમાં આજે સ્ક્રિનિંગના માટે સાંજે વાગ્યાનો સમય આપ્યો હતો. પરંતુ તેનું આયોજન થઈ શક્યું નથી. કોઈ વિવાદ ન થાય તે માટે ગેટની બહાર પોલીસ  તૈનાત કરી દીધી છે. પોલીસે કલમ 144 પણ લગાવી દીધી છે. 


DU પ્રોક્ટરે લખ્યો પત્ર 


દિલ્હી યુનિવર્સિટીના પ્રોક્ટર રજની અબ્બીએ દિલ્હી પોલીસને આ ડોક્યુમેન્ટરીનાં સ્ક્રિનિંગ અંગે પત્ર લખ્યો હતો. અબ્બીએ જાણ કરતા પોલીસ સક્રિય બની હતી.24 જાન્યુઆરીએ પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ યોજાયા બાદ દેશની તમામ યુનિવર્સિટીમાં તેનું સ્ક્રિનિંગ યોજવામાં આવી રહ્યું છે. મોદી સરકાર પણ પ્રતિબંધ ડોક્યુમેન્ટરી સોશિયલ મીડિયા પર બતાવવામાં ન આવે તે માટે ખાસ પગલા લઈ રહી છે. સરકાર ટ્વીટર ,યુ ટ્યુબ સહિતના માધ્યમો પરથી આ ડોક્યુમેન્ટરી હટાવી રહી છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.