PM Modi પર બનેલી BBC ડોક્યુમેન્ટરીને શેર કરનારાઓના ટ્વિટ બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-22 18:00:05

ભારત સરકારે યુટ્યુબ અને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે વીડિયો બ્લોક કરી દીધો છે જેમાં તેમની ટીકા કરવામાં આવી છે. આ વીડિયો બીબીસીની ડોક્યુમેન્ટરીની ક્લિપ છે. વાસ્તવમાં બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેના પહેલા એપિસોડની ક્લિપ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને ટ્વિટરને આ વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.


આઈ ટી એક્ટનું હથિયાર ઉગામ્યું


આ વિડીયોને લઈ લગભગ 50 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. IT Rules 2021 દ્વારા સરકારને પ્રાપ્ત સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના 2002ના રમખાણો પર આધારીત છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને પીએમ મોદીના વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યા છે.


ડોક્યુમેન્ટરી મોદી વિરોધી


રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રાલય સહિત ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દસ્તાવેજી તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ દેશના પીએમ મોદી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સત્તા અને વિશ્વસનીયતા પર પ્રયાસ લગાવાનો પ્રયાસ છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.