PM Modi પર બનેલી BBC ડોક્યુમેન્ટરીને શેર કરનારાઓના ટ્વિટ બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-22 18:00:05

ભારત સરકારે યુટ્યુબ અને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે વીડિયો બ્લોક કરી દીધો છે જેમાં તેમની ટીકા કરવામાં આવી છે. આ વીડિયો બીબીસીની ડોક્યુમેન્ટરીની ક્લિપ છે. વાસ્તવમાં બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેના પહેલા એપિસોડની ક્લિપ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને ટ્વિટરને આ વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.


આઈ ટી એક્ટનું હથિયાર ઉગામ્યું


આ વિડીયોને લઈ લગભગ 50 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. IT Rules 2021 દ્વારા સરકારને પ્રાપ્ત સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના 2002ના રમખાણો પર આધારીત છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને પીએમ મોદીના વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યા છે.


ડોક્યુમેન્ટરી મોદી વિરોધી


રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રાલય સહિત ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દસ્તાવેજી તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ દેશના પીએમ મોદી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સત્તા અને વિશ્વસનીયતા પર પ્રયાસ લગાવાનો પ્રયાસ છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.