PM Modi પર બનેલી BBC ડોક્યુમેન્ટરીને શેર કરનારાઓના ટ્વિટ બ્લોક કરવાનો હુકમ


  • Published By :
  • Published Date : 2023-01-22 18:00:05

ભારત સરકારે યુટ્યુબ અને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તે વીડિયો બ્લોક કરી દીધો છે જેમાં તેમની ટીકા કરવામાં આવી છે. આ વીડિયો બીબીસીની ડોક્યુમેન્ટરીની ક્લિપ છે. વાસ્તવમાં બીબીસીએ ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન નામની ડોક્યુમેન્ટ્રી બનાવી છે, જેના પહેલા એપિસોડની ક્લિપ વાયરલ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબ અને ટ્વિટરને આ વીડિયોને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.


આઈ ટી એક્ટનું હથિયાર ઉગામ્યું


આ વિડીયોને લઈ લગભગ 50 ટ્વીટ કરવામાં આવ્યા છે. તેને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. IT Rules 2021 દ્વારા સરકારને પ્રાપ્ત સત્તા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડોક્યુમેન્ટ્રી ગુજરાતના 2002ના રમખાણો પર આધારીત છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોને પીએમ મોદીના વિરૂધ્ધ પ્રોપેગેન્ડા ગણાવવામાં આવી રહ્યા છે.


ડોક્યુમેન્ટરી મોદી વિરોધી


રિપોર્ટમાં જણાવાયું છે કે કેટલાક વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ કરી છે કે વિદેશ મંત્રાલય સહિત ગૃહ અને માહિતી પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ દસ્તાવેજી તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ ફિલ્મ દેશના પીએમ મોદી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સત્તા અને વિશ્વસનીયતા પર પ્રયાસ લગાવાનો પ્રયાસ છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.