BBCની ઓફિસ પર ITની રેડ મુદ્દે વિપક્ષો એક થયા, સરકાર પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 15:49:39

ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે BBCની દિલ્હી-મુંબઈ સ્થિત ઓફિસો પર રેડ પાડવામાં આવી તેને લઈ વિપક્ષોએ એક સાથે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો મુદ્દે BBCની ડોક્યુમેન્ટરી આવ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે. વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને શાબ્દિક પ્રહારો કર્યા છે, આ નેતાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, ટીએમસીના મહુઆ મોઈત્રા, પીડીપીના મહબુબા મુફ્તી અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.


શું કહ્યું વિપક્ષના નેતાઓએ? 


જયરામ રમેશ 


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, "અહીં અમે અદાણીના કેસમાં JPCની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે." તેમણે આગળ લખ્યું, "વિનાશકાળે વિપરીત બુધ્ધી."


મહુઆ મોઇત્રા


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું...તે દરમિયાન, અદાણીની ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) થશે, જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે."


મહેબૂબા મુફ્તી


બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " BBCની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ હોય કે અન્ય બીજું કોઈ પણ હોય".


જીગ્નેશ મેવાણી


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "ઈન્કમ ટેક્સ વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ."



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.