BBCની ઓફિસ પર ITની રેડ મુદ્દે વિપક્ષો એક થયા, સરકાર પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 15:49:39

ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે BBCની દિલ્હી-મુંબઈ સ્થિત ઓફિસો પર રેડ પાડવામાં આવી તેને લઈ વિપક્ષોએ એક સાથે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો મુદ્દે BBCની ડોક્યુમેન્ટરી આવ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે. વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને શાબ્દિક પ્રહારો કર્યા છે, આ નેતાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, ટીએમસીના મહુઆ મોઈત્રા, પીડીપીના મહબુબા મુફ્તી અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.


શું કહ્યું વિપક્ષના નેતાઓએ? 


જયરામ રમેશ 


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, "અહીં અમે અદાણીના કેસમાં JPCની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે." તેમણે આગળ લખ્યું, "વિનાશકાળે વિપરીત બુધ્ધી."


મહુઆ મોઇત્રા


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું...તે દરમિયાન, અદાણીની ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) થશે, જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે."


મહેબૂબા મુફ્તી


બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " BBCની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ હોય કે અન્ય બીજું કોઈ પણ હોય".


જીગ્નેશ મેવાણી


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "ઈન્કમ ટેક્સ વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ."



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.