BBCની ઓફિસ પર ITની રેડ મુદ્દે વિપક્ષો એક થયા, સરકાર પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 15:49:39

ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે BBCની દિલ્હી-મુંબઈ સ્થિત ઓફિસો પર રેડ પાડવામાં આવી તેને લઈ વિપક્ષોએ એક સાથે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો મુદ્દે BBCની ડોક્યુમેન્ટરી આવ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે. વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને શાબ્દિક પ્રહારો કર્યા છે, આ નેતાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, ટીએમસીના મહુઆ મોઈત્રા, પીડીપીના મહબુબા મુફ્તી અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.


શું કહ્યું વિપક્ષના નેતાઓએ? 


જયરામ રમેશ 


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, "અહીં અમે અદાણીના કેસમાં JPCની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે." તેમણે આગળ લખ્યું, "વિનાશકાળે વિપરીત બુધ્ધી."


મહુઆ મોઇત્રા


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું...તે દરમિયાન, અદાણીની ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) થશે, જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે."


મહેબૂબા મુફ્તી


બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " BBCની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ હોય કે અન્ય બીજું કોઈ પણ હોય".


જીગ્નેશ મેવાણી


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "ઈન્કમ ટેક્સ વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ."



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.