BBCની ઓફિસ પર ITની રેડ મુદ્દે વિપક્ષો એક થયા, સરકાર પર કર્યા આકરા પ્રહારો


  • Published By :
  • Published Date : 2023-02-14 15:49:39

ઈન્કમ ટેક્સ વિભાગે મંગળવારે BBCની દિલ્હી-મુંબઈ સ્થિત ઓફિસો પર રેડ પાડવામાં આવી તેને લઈ વિપક્ષોએ એક સાથે પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદી અને 2002ના ગુજરાત રમખાણો મુદ્દે BBCની ડોક્યુમેન્ટરી આવ્યા બાદ ઈન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી કરી છે. વિપક્ષના નેતાઓએ કેન્દ્ર સરકારને નિશાન બનાવીને શાબ્દિક પ્રહારો કર્યા છે, આ નેતાઓમાં કોંગ્રેસના જયરામ રમેશ, ટીએમસીના મહુઆ મોઈત્રા, પીડીપીના મહબુબા મુફ્તી અને ગુજરાતના કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો સમાવેશ થાય છે.


શું કહ્યું વિપક્ષના નેતાઓએ? 


જયરામ રમેશ 


કોંગ્રેસના નેતા જયરામ રમેશે આ મામલે કહ્યું, "અહીં અમે અદાણીના કેસમાં JPCની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી છે." તેમણે આગળ લખ્યું, "વિનાશકાળે વિપરીત બુધ્ધી."


મહુઆ મોઇત્રા


તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાએ ટ્વીટર પર સરકાર પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "બીબીસીની દિલ્હી ઓફિસ પર દરોડા પાડવાના સમાચાર છે. ખરેખર? તે અપેક્ષિત નહોતું...તે દરમિયાન, અદાણીની ફરસાણ સેવા (અદાણીને ગુજરાતી ભોજન મળશે) થશે, જ્યારે તેઓ સેબીના વડા સાથે વાત કરવા માટે પહોંચશે."


મહેબૂબા મુફ્તી


બીજી તરફ પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, " BBCની ઓફિસ પર દરોડાનું કારણ સ્પષ્ટ છે. ભારત સરકાર સત્ય બોલનારાઓની પાછળ પડી છે. પછી તે રાજકારણીઓ, મીડિયા, કાર્યકર્તાઓ હોય કે અન્ય બીજું કોઈ પણ હોય".


જીગ્નેશ મેવાણી


ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ પણ પોતાના ટ્વીટમાં અદાણીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું, "ઈન્કમ ટેક્સ વિભાગનો દિલ્હીમાં અદાણીની ઓફિસમાં સર્વે ચાલી રહ્યો છે. તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. માફ કરશો, બીબીસીની ઓફિસ."



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.