હવે BBC પર તવાઈ, આજે સવારે દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITની રેડ, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-14 14:11:00

આજે સવારે આવકવેરા વિભાગ (IT)એ BBCની નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે રેડ પાડી છે. આવકવેરા વિભાગ (IT)ની ટીમ નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે પહોંચી છે. આ રેડમાં ઈન્કમ ટેક્સ વિભાગના 60થી 70 અધિકારીઓ જોડાયા છે. ITના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈ પણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ અધિકારીઓ ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.



દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ચાલી રહ્યો છે સર્વે


દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. BBC ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે BBC ઓફિસમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સર્વેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં BBCની દિલ્હી અને મુંબઈ બંને ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે. BBCનું મુંબઈમાં બ્યુરો છે. આ દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે.


કોંગ્રેસે આપી ઉગ્ર પ્રતિક્રિયા


કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું છે, પહેલા BBCની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે BBC પર આઈટીની રેડ પડી છે, આ છે અઘોષિત કટોકટી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કહ્યું કે અમે અહીં અદાણીના મામલે જેપીસીની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી ગઈ છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.