હવે BBC પર તવાઈ, આજે સવારે દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITની રેડ, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-14 14:11:00

આજે સવારે આવકવેરા વિભાગ (IT)એ BBCની નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે રેડ પાડી છે. આવકવેરા વિભાગ (IT)ની ટીમ નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે પહોંચી છે. આ રેડમાં ઈન્કમ ટેક્સ વિભાગના 60થી 70 અધિકારીઓ જોડાયા છે. ITના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈ પણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ અધિકારીઓ ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.



દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ચાલી રહ્યો છે સર્વે


દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. BBC ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે BBC ઓફિસમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સર્વેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં BBCની દિલ્હી અને મુંબઈ બંને ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે. BBCનું મુંબઈમાં બ્યુરો છે. આ દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે.


કોંગ્રેસે આપી ઉગ્ર પ્રતિક્રિયા


કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું છે, પહેલા BBCની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે BBC પર આઈટીની રેડ પડી છે, આ છે અઘોષિત કટોકટી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કહ્યું કે અમે અહીં અદાણીના મામલે જેપીસીની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી ગઈ છે. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.