હવે BBC પર તવાઈ, આજે સવારે દિલ્હી-મુંબઈ ઓફિસ પર ITની રેડ, કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


  • Published By :
  • Published Date : 2023-02-14 14:11:00

આજે સવારે આવકવેરા વિભાગ (IT)એ BBCની નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે રેડ પાડી છે. આવકવેરા વિભાગ (IT)ની ટીમ નવી દિલ્હી અને મુંબઈ સ્થિત ઓફિસે પહોંચી છે. આ રેડમાં ઈન્કમ ટેક્સ વિભાગના 60થી 70 અધિકારીઓ જોડાયા છે. ITના દરોડાની કાર્યવાહી દરમિયાન સ્ટાફના ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યા છે. આ સાથે કેમ્પસમાં કોઈ પણને આવવા-જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ અધિકારીઓ ઓફિસમાં રાખવામાં આવેલા રેકોર્ડ્સની તપાસ કરી રહ્યા છે.



દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ચાલી રહ્યો છે સર્વે


દિલ્હીમાં બીબીસી ઓફિસમાં ઈન્કમ ટેક્સ સર્વે ચાલી રહ્યો છે. BBC ઓફિસમાં આવેલા કર્મચારીઓના ફોન આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે BBC ઓફિસમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સર્વેને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવકવેરા વિભાગના કર્મચારીઓ હાલમાં BBCની દિલ્હી અને મુંબઈ બંને ઓફિસમાં કેટલાક સર્વે કરી રહ્યા છે. BBCનું મુંબઈમાં બ્યુરો છે. આ દરમિયાન કોંગ્રેસે આવકવેરા વિભાગની કાર્યવાહીને અઘોષિત ઈમરજન્સી ગણાવી છે.


કોંગ્રેસે આપી ઉગ્ર પ્રતિક્રિયા


કોંગ્રેસના હેન્ડલથી ટ્વીટ કરીને કહ્યું છે, પહેલા BBCની ડોક્યુમેન્ટરી આવી, તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હવે BBC પર આઈટીની રેડ પડી છે, આ છે અઘોષિત કટોકટી. કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ BBC પર આવકવેરા વિભાગની કાર્યવાહી અંગે કહ્યું કે અમે અહીં અદાણીના મામલે જેપીસીની માગ કરી રહ્યા છીએ અને ત્યાં સરકાર BBCની પાછળ પડી ગઈ છે. 



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.