BCCIને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગૂલીનું સ્થાન રોજર બિન્નીએ લીધું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:30:31

મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની AGM યોજાઈ હતી જેમાં BCCIને નવા પ્રમુખ મળ્યા છે. રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં જય શાહ, સૌરવ ગાંગૂલી તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

 

 પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ નામાંકન કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરનાર માત્ર તેઓ એક જ વ્યક્તિ હતા. જેને કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જેથી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની નવા પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનું આ કાર્યકાળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઈ જતા અધ્યક્ષ પદથી તેમની વિદાય થઈ ગઈ છે. 




સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .