BCCIને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગૂલીનું સ્થાન રોજર બિન્નીએ લીધું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:30:31

મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની AGM યોજાઈ હતી જેમાં BCCIને નવા પ્રમુખ મળ્યા છે. રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં જય શાહ, સૌરવ ગાંગૂલી તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

 

 પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ નામાંકન કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરનાર માત્ર તેઓ એક જ વ્યક્તિ હતા. જેને કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જેથી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની નવા પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનું આ કાર્યકાળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઈ જતા અધ્યક્ષ પદથી તેમની વિદાય થઈ ગઈ છે. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.