BCCIને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગૂલીનું સ્થાન રોજર બિન્નીએ લીધું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:30:31

મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની AGM યોજાઈ હતી જેમાં BCCIને નવા પ્રમુખ મળ્યા છે. રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં જય શાહ, સૌરવ ગાંગૂલી તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

 

 પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ નામાંકન કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરનાર માત્ર તેઓ એક જ વ્યક્તિ હતા. જેને કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જેથી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની નવા પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનું આ કાર્યકાળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઈ જતા અધ્યક્ષ પદથી તેમની વિદાય થઈ ગઈ છે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.