BCCIને મળ્યા નવા અધ્યક્ષ, સૌરવ ગાંગૂલીનું સ્થાન રોજર બિન્નીએ લીધું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 14:30:31

મંગળવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ની AGM યોજાઈ હતી જેમાં BCCIને નવા પ્રમુખ મળ્યા છે. રોજર બિન્નીને BCCIના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજ હોટલમાં યોજાયેલ આ બેઠકમાં જય શાહ, સૌરવ ગાંગૂલી તેમજ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા ઉપસ્થિત રહ્યા હતા.

 

 પ્રમુખ પદ માટે માત્ર રોજર બિન્નીએ નામાંકન કર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભરનાર માત્ર તેઓ એક જ વ્યક્તિ હતા. જેને કારણે તેઓ બિનહરીફ ચૂંટાઈ ગયા હતા. જેથી 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ઓલરાઉન્ડર રોજર બિન્ની નવા પ્રમુખ બન્યા છે. સૌરવ ગાંગુલી 2019થી આ પદભાર સંભાળી રહ્યા હતા. તેમનું આ કાર્યકાળ વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી હતી પરંતુ ગણતરીના દિવસોમાં સમીકરણ બદલાઈ જતા અધ્યક્ષ પદથી તેમની વિદાય થઈ ગઈ છે. 




ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.