BCCIનો મહત્વનો નિર્ણય, મહિલા ક્રિકેટરોને પણ પુરૂષો જેટલી જ મેચ ફી મળશે


  • Published By :
  • Published Date : 2022-10-27 15:05:22


ભારતીય ક્રિકેટમાં હવે મહિલા ક્રિકેટરને પણ પુરુષ ખેલાડીઓ જેટલું જ સમાન વેતન મળશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)ના આ મહત્વના નિર્ણયની જાણકારી BCCI સેક્રેટરી  જય શાહે ટ્વીટરના માધ્યમથી આપી છે. જેમાં તેમણે મહિલા ખેલાડીઓની મેચ ફી વિશે વિગતવાર માહિતી આપી છે.


જય શાહે ટ્વીટર દ્વારા શું માહિતી આપી?


જય શાહે ટ્વીટમાં લખ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે BCCIએ ભેદભાવને દુર કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. અમે મહિલા ક્રિકેટરો માટે વેતન ઇક્વિટી પોલિસી લાગુ કરી રહ્યા છીએ. અમે ક્રિકેટમાં લિંગ સમાનતાના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે પુરુષ અને મહિલા ક્રિકેટર બંને માટે મેચ ફી સમાન હશે.”


તેમણે વધુમાં લખ્યું, “મહિલા ક્રિકેટરોને તેમના પુરૂષ સમકક્ષો જેટલી જ મેચ ફી ચૂકવવામાં આવશે. ટેસ્ટ મેચ માટે 15 લાખ રૂપિયા, ODI માટે 6 લાખ રૂપિયા અને T20I માટે 3 લાખ રૂપિયા આપવામાં આવશે. જય હિન્દ''


મહિલા ક્રિકેટરને અગાઉ કેટલી મેચ ફિ મળતી હતી?


મહિલા ક્રિકેટરને અત્યાર સુધી સરેરાસ મેચ ફિ દરરોજ 20 હજાર રૂપિયા મળતા હતા. તે લગભગ અંડર-19 પુરૂષ ક્રિકેટરની બરાબર હતી. જ્યારે સિનિયર પુરૂષ ખેલાડીઓ મેચ ફી તરીકે દરરોજ સરેરાશ 60 હજાર રૂપિયા કમાય છે. તેથી તે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક મોટો તફાવત હતો. પરંતુ હવે આ ભેદભાવ પણ દૂર થશે. 2022 પહેલા મહિલા ક્રિકેટરોને મેચ ફી તરીકે માત્ર 12,500 રૂપિયા આપવામાં આવતા હતા.



સમાન વેતન નીતિની સૌપ્રથમ પહેલ ન્યૂઝિલેન્ડ ક્રિકેટ બોર્ડે કરી 


ક્રિકેટમાં મહિલા-પુરુષોને એકસમાન વેતન આપવાની પહેલ સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વર્ષે જુલાઈમાં શરૂ કરી હતી. તેમણે મહિલા અને પુરુષ ક્રિકેટર્સને સમાન વેતન આપવાનો નિર્ણય કર્ઓ હતો. જેને લઈને NZC અને 6 મોટા એસોશિએશન વચ્ચે એગ્રિમેન્ટ પણ થયો હતો. આ ડીલ પહેલા પાંચ વર્ષ માટે કરવામાં આવી હતી, તેના અંતર્ગત ઈન્ટરનેશનલ સહિત સ્થાનિક ક્રિકેટર્સને પણ તમામ ટૂર્નામેન્ટની ફી પણ સમાન જ મળે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.