T20 વર્લ્ડ કપઃદિવાળી પહેલા મેલબોર્નમાં થશે જમાવટ,ટીમ ઈન્ડિયા લેશે પાકિસ્તાન સામે બદલો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 08:58:17

રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી
બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે
T-20માં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે

India vs Pakistan Asia Cup Super Fours: When and where to watch? -  BusinessToday

મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું.


ICC વિશ્વ કપમાં પાકિસ્તાન સામે ક્યારેય નહીં હારવાનો રેકોર્ડ અગાઉ તૂટી ગયો હતો. આ મેચમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે, જોકે અહીના હવામાન વિભાગની માહિતી પ્રમાણે મેચ રદ્દ થાય તેવી શક્યતા નહીંવત છે. બન્ને દેશોના હજારો ક્રિકેટ પ્રેમી આ મેચને જોવા માટે અહીં એકત્રિત થઈ રહ્યા છે. સ્ટેડિયમની તમામ ટિકિટ બુક થઈ ગઈ છે. રોહિત શર્મા અને બાબર આઝમની ટીમો માટે આ એક સામાન્ય મેચ છે,પણ બન્ને દેશના લાખો ક્રિકેટ પ્રેમીઓ માટે તો 'બસ આ જ' મેચ છે.


ધોનીની ટીમ ક્યારેય હારી ન હતી

Mahendra Singh Dhoni, 'brain' behind Virat Kohli: India captain reveals  secret | Cricket - Hindustan Times

મહેન્દ્ર સિંહ ધોનીના વડપણ હેઠળ ભારતીય ટીમ ICC ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે ક્યારેય હારી ન હતી અને ધોની વારંવાર કહેતો રહ્યો છે કે ક્રિકેટના મેદાન પર બદલા જેવો કોઈ શબ્દ હોતો નથી, પણ છેલ્લા એક વર્ષમાં ઘણુંબધુ બદલાઈ ગયું છે. શાહીન શાહ અફરીદીની ખતરનાક બોલિંગના આધારે પાકિસ્તાને પ્રથમ વખત વિશ્વ કપની કોઈ મેચમાં ભારતને હરાવ્યું હતું. અફરીદીએ 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી અને પાકિસ્તાનને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


હજુ પણ તાજું છે ભારતનું જખમ

T20 World Cup: Team India keep themselves alive in semifinal race with  66-run win

રોહિત, વિરાટ કોહલી અને કેએલ રાહુલ દુબઈમાં ગયા વર્ષે મળેલી હારને ભૂલ્યાં નથી. તેમની ઉપર એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જવા BCCIના નિવેદન અને આગામી વર્ષ ભારતમાં યોજાનાર વર્લ્ડ કપમાંથી હટવાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ધમકીએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય ટીમ સંયોજન છે. છેલ્લા કેટલાક સમયથી ભારતને સ્થિર ટીમ સંયોજન મળી શક્યું નથી. ભારતને એક વધારાના બોલરને ઉતારવાની યોજનાને જોતા વિકેટકીપર ઋષભ પંતને બહાર કરવા પડી શકે છે.


પાકિસ્તાનની બોલિંગ મજબૂત

Star at night: Shaheen Shah Afridi, Pakistan's first-strike destroyer -  Pakistan - DAWN.COM

બેટિંગ ક્રમમાં અફરીદી ઉપરાંત નસીમ શાહ અને હારિસ રઉફનો સામનો કરવાનો છે. ટોચના ત્રણ બેટ્સમેન અફરીદીને પાવરપ્લેમાં કેવી રીતે રમે છે તે જ મેચની દિશા અને દશા નક્કી કરશે. આ સંજોગોમાં T-20 સ્વરૂપમાં ભારતના નંબર વન બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પર પણ ઘણો આધાર ટકેલો છે,જે તાજેતરમાં જ પોતાના સ્વભાવિક રમતને લઈ ખૂબ જ જાણિતો થયો છે.


હવામાન વિભાગની આગાહી

melbourne weather update: rain threat continues to hover on indian vs  pakistan t20 world cup match

વરસાદ થવાના સંજોગોમાં રોહિત ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કરશે. ભારત પાસે ત્રણ ખાસ સ્પિનર છે,જોકે હવામાનની દ્રષ્ટિએ તેમને ઉતારવા અંગે નિર્ણય લેવામાં આવશે. વરસાદ થવાના સંજોગોમાં હર્ષલ પટેલને તક મળી શકે છે,જે બેટ્સમેનમાં પણ જાણિતો છે. પાકિસ્તાન પાસે ત્રણ બેટ્સમેન શાન મસૂદ, મોહમ્મદ નવાઝ અને ખુશદિલ શાહ છે તો રવિચંદ્રન અશ્વિનની રમવાની શક્યતાને નકારી શકાય નહીં.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.