ભારતના "સુદર્શન ચક્ર" આગળ , પાકિસ્તાનની તમામ મિસાઈલ ફેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-08 18:18:24

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગઈ કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. 

S-400 vs HQ-9: भारत का एयर डिफेंस सिस्टम पाकिस्तान से कितना मजबूत, जानें  दोनों की विशेषताएं

પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું છે. પાકિસ્તાને ભારતના અવંતિપુરા , શ્રીનગર , જમ્મુ , પઠાનકોટ , અમૃતસર , કપૂરથલા , જલંધર , લુધિયાણા , આદમપુર , ભટિંડા , ચંદીગઢ , નળ , ફલોડી , ઉત્તરલાઈ , ભુજમાં હુમલો કર્યો હતો .  આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા કર્યો હતો. પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇંટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ એટલે એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ. જેનું બીજું નામ સુદર્શન ચક્ર છે. આ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ આપણે રશિયા પાસેથી ખરીદી છે તેની કિંમત અંદાજે ૩૫૦૦૦ કરોડ રૂપિયા છે. ભારત પાસે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ૪ સ્ક્વોડરન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત છે. પઠાણકોટની સિસ્ટમથી જમ્મુ કાશ્મીર અને પંજાબની રક્ષા થાય છે. બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે. 

Terminal High Altitude Area Defense - Wikipedia

વાત એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની તો તે રશિયાની અલ્માઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે. વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે HQ 9 ડિફેન્સ સિસ્ટમ છે . જે સંપૂર્ણપણે  ભારતના ડ્રોન્સ અને મિસાઈલની સામે નિષ્ફળ રહ્યા છે. આમ પાકિસ્તાનને ચાઈનીઝ માલ ભારે પડ્યો છે. જયારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર પુરવાર કરી છે. ભારતે જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં એસ ૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ આપણને થાળ સિસ્ટમ આપવાની વાત કરી હતી પરંતુ આપણે એસ ૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. 



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.