ભારતના "સુદર્શન ચક્ર" આગળ , પાકિસ્તાનની તમામ મિસાઈલ ફેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-08 18:18:24

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગઈ કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. 

S-400 vs HQ-9: भारत का एयर डिफेंस सिस्टम पाकिस्तान से कितना मजबूत, जानें  दोनों की विशेषताएं

પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું છે. પાકિસ્તાને ભારતના અવંતિપુરા , શ્રીનગર , જમ્મુ , પઠાનકોટ , અમૃતસર , કપૂરથલા , જલંધર , લુધિયાણા , આદમપુર , ભટિંડા , ચંદીગઢ , નળ , ફલોડી , ઉત્તરલાઈ , ભુજમાં હુમલો કર્યો હતો .  આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા કર્યો હતો. પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇંટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ એટલે એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ. જેનું બીજું નામ સુદર્શન ચક્ર છે. આ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ આપણે રશિયા પાસેથી ખરીદી છે તેની કિંમત અંદાજે ૩૫૦૦૦ કરોડ રૂપિયા છે. ભારત પાસે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ૪ સ્ક્વોડરન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત છે. પઠાણકોટની સિસ્ટમથી જમ્મુ કાશ્મીર અને પંજાબની રક્ષા થાય છે. બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે. 

Terminal High Altitude Area Defense - Wikipedia

વાત એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની તો તે રશિયાની અલ્માઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે. વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે HQ 9 ડિફેન્સ સિસ્ટમ છે . જે સંપૂર્ણપણે  ભારતના ડ્રોન્સ અને મિસાઈલની સામે નિષ્ફળ રહ્યા છે. આમ પાકિસ્તાનને ચાઈનીઝ માલ ભારે પડ્યો છે. જયારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર પુરવાર કરી છે. ભારતે જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં એસ ૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ આપણને થાળ સિસ્ટમ આપવાની વાત કરી હતી પરંતુ આપણે એસ ૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .