ભારતના "સુદર્શન ચક્ર" આગળ , પાકિસ્તાનની તમામ મિસાઈલ ફેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-08 18:18:24

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગઈ કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. 

S-400 vs HQ-9: भारत का एयर डिफेंस सिस्टम पाकिस्तान से कितना मजबूत, जानें  दोनों की विशेषताएं

પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું છે. પાકિસ્તાને ભારતના અવંતિપુરા , શ્રીનગર , જમ્મુ , પઠાનકોટ , અમૃતસર , કપૂરથલા , જલંધર , લુધિયાણા , આદમપુર , ભટિંડા , ચંદીગઢ , નળ , ફલોડી , ઉત્તરલાઈ , ભુજમાં હુમલો કર્યો હતો .  આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા કર્યો હતો. પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇંટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ એટલે એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ. જેનું બીજું નામ સુદર્શન ચક્ર છે. આ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ આપણે રશિયા પાસેથી ખરીદી છે તેની કિંમત અંદાજે ૩૫૦૦૦ કરોડ રૂપિયા છે. ભારત પાસે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ૪ સ્ક્વોડરન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત છે. પઠાણકોટની સિસ્ટમથી જમ્મુ કાશ્મીર અને પંજાબની રક્ષા થાય છે. બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે. 

Terminal High Altitude Area Defense - Wikipedia

વાત એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની તો તે રશિયાની અલ્માઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે. વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે HQ 9 ડિફેન્સ સિસ્ટમ છે . જે સંપૂર્ણપણે  ભારતના ડ્રોન્સ અને મિસાઈલની સામે નિષ્ફળ રહ્યા છે. આમ પાકિસ્તાનને ચાઈનીઝ માલ ભારે પડ્યો છે. જયારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર પુરવાર કરી છે. ભારતે જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં એસ ૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ આપણને થાળ સિસ્ટમ આપવાની વાત કરી હતી પરંતુ આપણે એસ ૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. 



થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.

મહેસાણાની દૂધસાગર ડેરીમાં તેના ચેરમેન અશોક ચૌધરી દ્વારા ખુબ મોટી જાહેરાત કરવામાં આવી છે કે, પશુપાલકોને ભાવફેર પેટે , ૪૩૭ કરોડ આપવામાં આવશે. આ નિર્ણય દૂધસાગર ડેરીની ૬૫મી સામાન્ય સભામાં જાહેર કરવામાં આવ્યો છે . આ ઉપરાંત પશુપાલકોને ૧૦ ટકા ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેનાથી પશુપાલકોની સ્થિતિમાં સુધારો આવે . આમ દૂધસાગર ડેરીના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીનો માહોલ છે .

વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી જ જનતાના પ્રશ્નોને લઇને ખુબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પછી હવે તેમણે વિસાવદરના ભેંસાણમાં જે મોટાપાયે અનાજ ચોરી થઇ રહી છે તેની સામે જંગે ચઢવાનું નક્કી કર્યું છે. કેમ કે , મોટા મોટા અનાજ માફિયાઓ સરકાર તરફથી આવતું અનાજ લઇ લે છે. તેના કારણે ગરીબોના ફાળે થોડુંક જ અનાજ પહોંચે છે . આમ હવે વિસાવદરના MLA ગોપાલ ઇટાલિયા ભેંસાણમાં મોટા મોટા અનાજ માફિયાઓની સામે પડ્યા છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ભારત પર થોડાક સમય પેહલા ૨૫ ટકા ટેરિફ અને પેનલ્ટી લગાડવાનું એલાન કરી દીધું છે . સાથેજ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના અર્થતંત્ર માટે જે શબ્દો વાપર્યા છે , તેની પર બધાએ જ ફિટકાર વરસાવ્યો છે . તો હવે ભારતે અમેરિકાની એફ ૩૫ વિમાનની જે ઓફર છે તે ઠુકરાવી દીધી છે . ૩૧મી જુલાઈના રોજ અમેરિકાએ જે ટેરિફ લગાડ્યા , તેના પછી ભારતીય સત્તાધીશોને ખુબ મોટો ઝટકો લાગ્યો હતો પરંતુ તેના પછી તેમણે નક્કી કરી લીધું છે કે , યુએસ પાસેથી ડિફેન્સની ખરીદી કરવામાં નઈ આવે .