ભારતના "સુદર્શન ચક્ર" આગળ , પાકિસ્તાનની તમામ મિસાઈલ ફેલ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-08 18:18:24

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગઈ કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે. 

S-400 vs HQ-9: भारत का एयर डिफेंस सिस्टम पाकिस्तान से कितना मजबूत, जानें  दोनों की विशेषताएं

પાકિસ્તાન કે જેણે ભારતના ઓપરેશન સિંદૂર પછી આપણી પર ગઈકાલે રાત્રે એટેક કરવાનું દુઃસાહસ કર્યું છે. પાકિસ્તાને ભારતના અવંતિપુરા , શ્રીનગર , જમ્મુ , પઠાનકોટ , અમૃતસર , કપૂરથલા , જલંધર , લુધિયાણા , આદમપુર , ભટિંડા , ચંદીગઢ , નળ , ફલોડી , ઉત્તરલાઈ , ભુજમાં હુમલો કર્યો હતો .  આ હુમલો પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા કર્યો હતો. પરંતુ આ સમગ્ર હુમલો ભારતે ઇંટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નાકામ કરી નાખ્યો છે. આ ડિફેન્સ સિસ્ટમ એટલે એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ. જેનું બીજું નામ સુદર્શન ચક્ર છે. આ એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ આપણે રશિયા પાસેથી ખરીદી છે તેની કિંમત અંદાજે ૩૫૦૦૦ કરોડ રૂપિયા છે. ભારત પાસે એસ-૪૦૦ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ૪ સ્ક્વોડરન ભારત પાકિસ્તાન સરહદે તૈનાત છે. પઠાણકોટની સિસ્ટમથી જમ્મુ કાશ્મીર અને પંજાબની રક્ષા થાય છે. બીજી સિસ્ટમો ગુજરાત અને રાજસ્થાનની સુરક્ષા કરે છે. 

Terminal High Altitude Area Defense - Wikipedia

વાત એસ-૪૦૦ ડિફેન્સ સિસ્ટમની તો તે રશિયાની અલ્માઝ કંપની દ્વારા વિકસાવવામાં આવી છે. એટલે એક વસ્તુ સાફ છે કે ભારત અને રશિયા કુદરતી મિત્રો છે. વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાન પાસે HQ 9 ડિફેન્સ સિસ્ટમ છે . જે સંપૂર્ણપણે  ભારતના ડ્રોન્સ અને મિસાઈલની સામે નિષ્ફળ રહ્યા છે. આમ પાકિસ્તાનને ચાઈનીઝ માલ ભારે પડ્યો છે. જયારે ભારતે પોતાની ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ફરી એકવાર પુરવાર કરી છે. ભારતે જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં એસ ૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદવાની વાત કરી હતી ત્યારે અમેરિકાએ આપણને થાળ સિસ્ટમ આપવાની વાત કરી હતી પરંતુ આપણે એસ ૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ રશિયા પાસેથી ખરીદી છે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?