કર્ણાટકમાં ચૂંટણી પહેલા ચૂંટણી પંચે ભાજપ અને કોંગ્રેસને ફટકારી નોટિસ! ચૂંટણી પંચે આ ભાષણો પર દિગ્ગજ નેતાઓ પાસે માગ્યો જવાબ!


  • Published By :
  • Published Date : 2023-05-09 10:02:35

કર્ણાટકમાં આવતી કાલે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. પ્રચારમાં બંને પાર્ટી દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. અનેક રોડ શો, રેલીઓ તેમજ જનસભાઓને પાર્ટીના દિગ્ગજ નેતાઓએ ગજવી છે. ત્યારે ચૂંટણી પહેલા ચૂંટણી પંચે બંને પાર્ટી એટલે કે કોંગ્રેસ તેમજ ભાજપને નોટીસ ફટકારી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી હતી. કોંગ્રેસે બીજેપીની જાહેરાતને લઈ વાંધો જાહેર કર્યો તો બીજેપીએ સોનિયા ગાંધીના ભાષણ પર નારાજગી વ્યક્ત કરી હતી. આને જ ધ્યાનમાં રાખી ચૂંટણી પંચે બંને પાર્ટીને નોટિસ ફટકારી છે.      

BJP, Congress share spoils in central Gujarat | India News - Times of India

ચૂંટણી પંચે કોંગ્રેસ અને ભાજપને ફટકારી નોટિસ!

ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર શાબ્દિક પ્રહાર કરવામાં આવતા હોય છે. કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે પાર્ટી પર તો નિશાન સાધવામાં આવ્યું હતું પરંતુ નેતાઓ એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા હોય તેવું લાગતું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન વિષ કન્યા, ઝેરીલો સાપ, નાલાયક બેટા જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને નોટિસ ફટકારવામાં આવી છે. બંને પાર્ટીએ એક બીજા વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી છે. 

સોનિયા ગાંધીના ભાષણને લઈ ભાજપે કરી ચૂંટણી પંચમાં ફરિયાદ!

બીજેપીએ સોનિયા ગાંધીના ભાષને લઈ ફરિયાદ દાખલ કરાવી હતા. કોંગ્રેસની માન્યતા રદ્દ કરવામાં આવે તેવી માગ ભાજપ દ્વારા કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ હુબલીમાં પ્રચાર દરમિયાન આપેલા નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ટ્વિટ કરી હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે કોંગ્રેસ સંસદીય પક્ષ ચેરપર્સન સોનિયા ગાંધીનો કર્ણાટકના 6.5 કરોડ લોકોને મજબૂત સંદેશ. કોંગ્રેસ કર્ણાટકની વિશ્વસનીયતા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને ક્યારેય આંચ આવવા દેશે નહી. આ નિવદેન પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, જિતેન્દ્ર સિંહ અને પાર્ટીના નેતા અનિલ બલુનીના નેતૃત્વમાં બીજેપીના એક પ્રતિનિધિમંડળે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી હતી. અને સોનિયા ગાંધી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.  

Image

જાહેરાતને લઈ ભાજપ વિરૂદ્ધ કોંગ્રેસે કરી ફરિયાદ!

તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ ફરિયાદમાં જણાવ્યું કે બીજેપીએ એક અંગ્રેજી પેપરમાં જાહેરાત છાપી છે તેમાં તથ્યો વગર અનેક દાવા કરવામાં આવ્યા છે. જે કોંગ્રેસના અનુસાર તે દાવા નિરાધાર છે. ચૂંટણી પંચે જાહેરાત અંગે ખુલાસો કરવા માટે મંગળવાર રાત સુધીનો સમય આપ્યો છે. 

લોકો સુધી પહોંચવાનો પાર્ટીનો પ્રયાસ! 

મહત્વનું છે કે લોકો સુધી પહોંચવાનો એક પણ મોકો રાજકીય નેતાઓ છોડી નથી રહ્યા. કર્ણાટકમાં પ્રચાર દરમિયાન અનેક એવી તસવીરો સામે આવી જેમાં દિગ્ગજ નેતાઓ સામાન્ય માણસ સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. રાહુલ ગાંધીએ બસમાં મુસાફરી કરી હતી તો વડાપ્રધાન મોદીએ રોડ શો દરમિયાન બાળકો સાથે વાતો કરી હતી અને મસ્તી કરી હતી. ત્યારે જોવાનું એ રહ્યું કે કર્ણાટકની જનતા કોને વોટ આપીને જીતાડે છે. આવતી કાલે યોજાનારી ચૂંટણીનું પરિણામ 13 મેના રોજ આવવાનું છે. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.