Loksabha Election પહેલા કેન્દ્ર સરકારે CAAને લઈ કરી મોટી જાહેરાત, જાણો આ કાયદાનું 360 ડિગ્રીનું એનાલિસીસ!


  • Published By :
  • Published Date : 2024-03-12 15:49:54

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે અને આ બધા વચ્ચે ગઈકાલ સાંજે પીએમ મોદીએ એક સંબોધન કર્યું. એવું માનવામાં આવતું હતું કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે અને જે પ્રમાણે ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સીએએને લઈ નિવેદન આપ્યું હતું. ગઈકાલ સાંજથી સીએએ એટલે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના રૂલ્સને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરી દેવાયા છે , અને CAA આખા દેશભરમાં લાગુ થઈ ચૂક્યું છે  અને આજે તો IUML (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ યુગ) CAA પર સ્ટે સામે SUpreme કોર્ટમાં પહોંચી ગયું છે . આવો વિગતવાર જાણીએ આ કાયદા વિશે...



2019માં પસાર થઈ ગયો છે આ અંગેનો કાયદો!

વર્ષ ૨૦૧૮નું વર્ષ હતું , કેન્દ્ર સરકાર બે શબ્દો ચર્ચામાં લઈને આવી એક હતું CAA અને બીજો શબ્દ હતો NRC. CAAનો મતલબ સિટિઝનશીપ અમેન્ડમનેટ ACT અને NRCનો મતલબ થાય છે National registar of citizen.આપને જણાવી દઈએ આ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો કાયદો ૨૦૧૯માં લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ચુક્યો છે . આ CAAના આધારે જ હવે NRC લાગુ થશે. આ NRC વસ્તીગણતરી સાથે લાગુ કરવામાં આવશે. વાત કરીએ CAAની વિસ્તારથી તો , આ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ , મોદી સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલો કાયદો છે . 


શું છે કાયદો? 

આ કાયદાનો મૂળ હેતુ એ છે કે , ડિસેમ્બર ૩૧ ૨૦૧૪ પેહલા જે લોકો બાંગ્લાદેશ , પાકિસ્તાન , અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને નોન મુસ્લિમ એટલે કે જેઓ મુસ્લિમ નથી એટલે કે , હિન્દૂ , શીખ , જૈન , બુદ્ધ , પારસી , ક્રિસ્ષ્યન ભારત આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો પસાર થતા જ સમગ્ર ભારતમાં લઘુમતી કોમ અને વિરોધ પક્ષ દ્વારા આક્રમકઃ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો . નોંધનીય છે કે કોઈ પણ કાયદાનું પાલન કરવા તેના નિયમો બનાવવા પડે છે , પરંતુ તેમાં સરકાર અગાઉથી જ ૪ વર્ષ મોડી પડી છે . આમાં સૌથી મોટું કારણ કોરોનાનું છે. પરંતુ હવે સરકારે નિયમો બનાવી દીધા છે . 



કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે? 

જે પણ શરણાર્થીએ નાગરિકતા લેવી હોય તેને ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે , આ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક પોર્ટલ CAA એક્ટ , ૨૦૧૯ અંતર્ગત lauch કરી દીધું છે જેનું નામ છે , ઈન્ડિયન સિટિઝનશીપ પોર્ટલ. આ પોર્ટલ પર અરજી કર્તાએ without any ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ્લાય કરવાનું રહેશે , પંરતુ તેઓ કયા વર્ષમા આવ્યા તે જ જણાવવાનું રહેશે . આના વધારામાં પાસપોર્ટ , જન્મ પ્રમાણ પત્ર , ત્યાંનું શૈક્ષણિક પ્રમાણપત્ર , ત્યાંની સરકાર વતીથી પ્રસિદ્ધ કરાયેલું પણ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજમાંથી  કોઈ પણ બતાવવું પડશે.


કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે?

 ભારતમાં નોંધણી અધિકારી (FRRO) એને વિદેશી નોંધણી અધિકારી (FRO)એ આપેલા કાગળો પણ પુરાવા તરીકે જમા કરાવી શકાશે . સાથે જ વસ્તીગણતરી સમયે અપાતી ચીઠ્ઠી પણ પુરાવો ગણી શકાશે . અરજદાર ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ આધાર કાર્ડ , ડ્રાઇવિંગ license,રેશન કાર્ડ , જન્મ પ્રમાણપત્ર , કોર્ટ તરફથી અપાયેલા કોઈ દસ્તાવેજ , જમીની દસ્તાવેજ , પાનકાર્ડ , બેંક અને પોસ્ટ ઑફિસના દસ્તાવેજ , વીજળી અને પાણીનું બિલ , શાળા અને કોલેજના દસ્તાવેજ તથા લગન પ્રમાણપત્ર સહીત અનેક દસ્તાવેજો બતાવીને પણ નાગરિકતા માટે અરજી કરી શકે છે . 


મુસ્લિમ પક્ષે કર્યું આ કાયદાનું સમર્થન

હવે આપને પ્રશ્ન થશે કે અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ પ્રવાસીઓનું શું થશે ? નાગરિકતા અધિનિયમની કલમ ૬ હેઠળ NEUTRALISATION કે કલમ ૫ હેઠળ નોંધણી હેઠળ મુસલમાન સહીત કોઈ પણ વિદેશી નાગરિક ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે , તે પ્રમાણે આ ૩ દેશોમાંથી આવેલા સેંકડો મુસ્લિમોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું છે . એ પણ વ્યવસ્થા યથાવત રહેશે .આપને જણાવી દઈએ કે ALL INDIA MUSLIM જમાતે આ કાયદાનું સમર્થન કર્યું છે .



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.