Loksabha Election પહેલા કેન્દ્ર સરકારે CAAને લઈ કરી મોટી જાહેરાત, જાણો આ કાયદાનું 360 ડિગ્રીનું એનાલિસીસ!


  • Published By :
  • Published Date : 2024-03-12 15:49:54

લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે અને આ બધા વચ્ચે ગઈકાલ સાંજે પીએમ મોદીએ એક સંબોધન કર્યું. એવું માનવામાં આવતું હતું કે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી શકે છે અને જે પ્રમાણે ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ સીએએને લઈ નિવેદન આપ્યું હતું. ગઈકાલ સાંજથી સીએએ એટલે કે સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટના રૂલ્સને લઈ ચર્ચાઓ થઈ રહી છે. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરી દેવાયા છે , અને CAA આખા દેશભરમાં લાગુ થઈ ચૂક્યું છે  અને આજે તો IUML (ઈન્ડિયન યુનિયન મુસ્લિમ યુગ) CAA પર સ્ટે સામે SUpreme કોર્ટમાં પહોંચી ગયું છે . આવો વિગતવાર જાણીએ આ કાયદા વિશે...



2019માં પસાર થઈ ગયો છે આ અંગેનો કાયદો!

વર્ષ ૨૦૧૮નું વર્ષ હતું , કેન્દ્ર સરકાર બે શબ્દો ચર્ચામાં લઈને આવી એક હતું CAA અને બીજો શબ્દ હતો NRC. CAAનો મતલબ સિટિઝનશીપ અમેન્ડમનેટ ACT અને NRCનો મતલબ થાય છે National registar of citizen.આપને જણાવી દઈએ આ સિટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટનો કાયદો ૨૦૧૯માં લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ચુક્યો છે . આ CAAના આધારે જ હવે NRC લાગુ થશે. આ NRC વસ્તીગણતરી સાથે લાગુ કરવામાં આવશે. વાત કરીએ CAAની વિસ્તારથી તો , આ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ , મોદી સરકાર દ્વારા સંસદમાં પસાર કરાયેલો કાયદો છે . 


શું છે કાયદો? 

આ કાયદાનો મૂળ હેતુ એ છે કે , ડિસેમ્બર ૩૧ ૨૦૧૪ પેહલા જે લોકો બાંગ્લાદેશ , પાકિસ્તાન , અફઘાનિસ્તાનથી પ્રતાડિત થઈને નોન મુસ્લિમ એટલે કે જેઓ મુસ્લિમ નથી એટલે કે , હિન્દૂ , શીખ , જૈન , બુદ્ધ , પારસી , ક્રિસ્ષ્યન ભારત આવ્યા તેમને નાગરિકતા આપવામાં આવશે. આ કાયદો પસાર થતા જ સમગ્ર ભારતમાં લઘુમતી કોમ અને વિરોધ પક્ષ દ્વારા આક્રમકઃ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો . નોંધનીય છે કે કોઈ પણ કાયદાનું પાલન કરવા તેના નિયમો બનાવવા પડે છે , પરંતુ તેમાં સરકાર અગાઉથી જ ૪ વર્ષ મોડી પડી છે . આમાં સૌથી મોટું કારણ કોરોનાનું છે. પરંતુ હવે સરકારે નિયમો બનાવી દીધા છે . 



કયા કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે? 

જે પણ શરણાર્થીએ નાગરિકતા લેવી હોય તેને ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની રહેશે , આ માટે ભારત સરકારના ગૃહ મંત્રાલયે એક પોર્ટલ CAA એક્ટ , ૨૦૧૯ અંતર્ગત lauch કરી દીધું છે જેનું નામ છે , ઈન્ડિયન સિટિઝનશીપ પોર્ટલ. આ પોર્ટલ પર અરજી કર્તાએ without any ટ્રાવેલ ડોક્યુમેન્ટ એપ્લાય કરવાનું રહેશે , પંરતુ તેઓ કયા વર્ષમા આવ્યા તે જ જણાવવાનું રહેશે . આના વધારામાં પાસપોર્ટ , જન્મ પ્રમાણ પત્ર , ત્યાંનું શૈક્ષણિક પ્રમાણપત્ર , ત્યાંની સરકાર વતીથી પ્રસિદ્ધ કરાયેલું પણ પ્રમાણપત્ર, જમીનના દસ્તાવેજમાંથી  કોઈ પણ બતાવવું પડશે.


કયા કયા ડોક્યુમેન્ટ આપવા પડશે?

 ભારતમાં નોંધણી અધિકારી (FRRO) એને વિદેશી નોંધણી અધિકારી (FRO)એ આપેલા કાગળો પણ પુરાવા તરીકે જમા કરાવી શકાશે . સાથે જ વસ્તીગણતરી સમયે અપાતી ચીઠ્ઠી પણ પુરાવો ગણી શકાશે . અરજદાર ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ આધાર કાર્ડ , ડ્રાઇવિંગ license,રેશન કાર્ડ , જન્મ પ્રમાણપત્ર , કોર્ટ તરફથી અપાયેલા કોઈ દસ્તાવેજ , જમીની દસ્તાવેજ , પાનકાર્ડ , બેંક અને પોસ્ટ ઑફિસના દસ્તાવેજ , વીજળી અને પાણીનું બિલ , શાળા અને કોલેજના દસ્તાવેજ તથા લગન પ્રમાણપત્ર સહીત અનેક દસ્તાવેજો બતાવીને પણ નાગરિકતા માટે અરજી કરી શકે છે . 


મુસ્લિમ પક્ષે કર્યું આ કાયદાનું સમર્થન

હવે આપને પ્રશ્ન થશે કે અફઘાનિસ્તાન , પાકિસ્તાન , બાંગ્લાદેશમાંથી આવેલા મુસ્લિમ પ્રવાસીઓનું શું થશે ? નાગરિકતા અધિનિયમની કલમ ૬ હેઠળ NEUTRALISATION કે કલમ ૫ હેઠળ નોંધણી હેઠળ મુસલમાન સહીત કોઈ પણ વિદેશી નાગરિક ભારતનું નાગરિકત્વ મેળવવા માટે અરજી કરી શકે છે , તે પ્રમાણે આ ૩ દેશોમાંથી આવેલા સેંકડો મુસ્લિમોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું છે . એ પણ વ્યવસ્થા યથાવત રહેશે .આપને જણાવી દઈએ કે ALL INDIA MUSLIM જમાતે આ કાયદાનું સમર્થન કર્યું છે .



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.