પંજાબના CM ભગવંત માને પૂર્વ CM ચન્ની પર ક્રિકેટર પાસે 2 કરોડ માંગવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-31 22:44:14

પંજાબના એક ક્રિકેટરને સરકારી નોકરીના બદલામાં 2 કરોડની લાંચ માંગવાના મામલામાં CM ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીને અલ્ટીમેટમ આપ્યું હતું. બુધવારે તે પૂર્ણ થતાં જ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. ભગવંત માને પંજાબ કિંગ્સના ક્રિકેટર જસ ઈંદર સિંહે અને તેના પિતા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીત સિંહ ચન્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જો કે ચરણજીત સિંહ ચન્ની મીડિયા સમક્ષ હાજર થયા હતા અને માન પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પુરોગામી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાએ ક્રિકેટર જસ ઈન્દર સિંહ પાસેથી તેમને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. માને 22 મેના રોજ ચન્નીના ભત્રીજા જશન પર આરોપો લગાવ્યા હતા, પરંતુ ક્રિકેટરનું નામ લીધું ન હતું. બુધવારે તેણે જસ ઈંદર સિંહે અને તેના પિતા મનજિંદર સિંહને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે CM ભગવંત માને કહ્યું કે તેઓ ધર્મશાલામાં મેચ દરમિયાન જસ ઈંદરને મળ્યા હતા. તેણે કહ્યું કે જસ ઈંદર સિંહે સ્પોર્ટ્સ ક્વોટામાં પેપર આપ્યું હતું પરંતુ પરિણામ સામાન્ય ક્વોટામાં આવ્યું. જ્યારે તેઓ મંત્રીઓ પાસે પહોંચ્યા ત્યારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ હતા તેમણે ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે તમારું કામ થઈ જશે.


જો કે થોડા દિવસો પછી સીએમ બદલાયા અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ બન્યા. જ્યારે ક્રિકેટર જસ ઈંદર સિંહે પોતાનો કેસ તેમની સામે મૂક્યો ત્યારે ચન્ની સાહેબે કહ્યું કે મારા ભત્રીજા જશનને મળો. જ્યારે ક્રિકેટર જશનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે પહેલા 2 કરોડ લાવો, બે દિવસ પછી. જ્યારે જસ ઈંદર સિંહે 2 લાખ રૂપિયા લઈને જશન પહોંચ્યો તો તેણે ગાળો આપી અને કહ્યું કે તેણે 2 કરોડ લાવવાનું કહ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.