પંજાબના CM ભગવંત માને પૂર્વ CM ચન્ની પર ક્રિકેટર પાસે 2 કરોડ માંગવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-31 22:44:14

પંજાબના એક ક્રિકેટરને સરકારી નોકરીના બદલામાં 2 કરોડની લાંચ માંગવાના મામલામાં CM ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીને અલ્ટીમેટમ આપ્યું હતું. બુધવારે તે પૂર્ણ થતાં જ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. ભગવંત માને પંજાબ કિંગ્સના ક્રિકેટર જસ ઈંદર સિંહે અને તેના પિતા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીત સિંહ ચન્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જો કે ચરણજીત સિંહ ચન્ની મીડિયા સમક્ષ હાજર થયા હતા અને માન પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પુરોગામી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાએ ક્રિકેટર જસ ઈન્દર સિંહ પાસેથી તેમને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. માને 22 મેના રોજ ચન્નીના ભત્રીજા જશન પર આરોપો લગાવ્યા હતા, પરંતુ ક્રિકેટરનું નામ લીધું ન હતું. બુધવારે તેણે જસ ઈંદર સિંહે અને તેના પિતા મનજિંદર સિંહને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે CM ભગવંત માને કહ્યું કે તેઓ ધર્મશાલામાં મેચ દરમિયાન જસ ઈંદરને મળ્યા હતા. તેણે કહ્યું કે જસ ઈંદર સિંહે સ્પોર્ટ્સ ક્વોટામાં પેપર આપ્યું હતું પરંતુ પરિણામ સામાન્ય ક્વોટામાં આવ્યું. જ્યારે તેઓ મંત્રીઓ પાસે પહોંચ્યા ત્યારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ હતા તેમણે ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે તમારું કામ થઈ જશે.


જો કે થોડા દિવસો પછી સીએમ બદલાયા અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ બન્યા. જ્યારે ક્રિકેટર જસ ઈંદર સિંહે પોતાનો કેસ તેમની સામે મૂક્યો ત્યારે ચન્ની સાહેબે કહ્યું કે મારા ભત્રીજા જશનને મળો. જ્યારે ક્રિકેટર જશનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે પહેલા 2 કરોડ લાવો, બે દિવસ પછી. જ્યારે જસ ઈંદર સિંહે 2 લાખ રૂપિયા લઈને જશન પહોંચ્યો તો તેણે ગાળો આપી અને કહ્યું કે તેણે 2 કરોડ લાવવાનું કહ્યું હતું.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.