પંજાબના CM ભગવંત માને પૂર્વ CM ચન્ની પર ક્રિકેટર પાસે 2 કરોડ માંગવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-31 22:44:14

પંજાબના એક ક્રિકેટરને સરકારી નોકરીના બદલામાં 2 કરોડની લાંચ માંગવાના મામલામાં CM ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીને અલ્ટીમેટમ આપ્યું હતું. બુધવારે તે પૂર્ણ થતાં જ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. ભગવંત માને પંજાબ કિંગ્સના ક્રિકેટર જસ ઈંદર સિંહે અને તેના પિતા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીત સિંહ ચન્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જો કે ચરણજીત સિંહ ચન્ની મીડિયા સમક્ષ હાજર થયા હતા અને માન પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પુરોગામી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાએ ક્રિકેટર જસ ઈન્દર સિંહ પાસેથી તેમને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. માને 22 મેના રોજ ચન્નીના ભત્રીજા જશન પર આરોપો લગાવ્યા હતા, પરંતુ ક્રિકેટરનું નામ લીધું ન હતું. બુધવારે તેણે જસ ઈંદર સિંહે અને તેના પિતા મનજિંદર સિંહને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે CM ભગવંત માને કહ્યું કે તેઓ ધર્મશાલામાં મેચ દરમિયાન જસ ઈંદરને મળ્યા હતા. તેણે કહ્યું કે જસ ઈંદર સિંહે સ્પોર્ટ્સ ક્વોટામાં પેપર આપ્યું હતું પરંતુ પરિણામ સામાન્ય ક્વોટામાં આવ્યું. જ્યારે તેઓ મંત્રીઓ પાસે પહોંચ્યા ત્યારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ હતા તેમણે ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે તમારું કામ થઈ જશે.


જો કે થોડા દિવસો પછી સીએમ બદલાયા અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ બન્યા. જ્યારે ક્રિકેટર જસ ઈંદર સિંહે પોતાનો કેસ તેમની સામે મૂક્યો ત્યારે ચન્ની સાહેબે કહ્યું કે મારા ભત્રીજા જશનને મળો. જ્યારે ક્રિકેટર જશનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે પહેલા 2 કરોડ લાવો, બે દિવસ પછી. જ્યારે જસ ઈંદર સિંહે 2 લાખ રૂપિયા લઈને જશન પહોંચ્યો તો તેણે ગાળો આપી અને કહ્યું કે તેણે 2 કરોડ લાવવાનું કહ્યું હતું.



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.