પંજાબના CM ભગવંત માને પૂર્વ CM ચન્ની પર ક્રિકેટર પાસે 2 કરોડ માંગવાનો લગાવ્યો આરોપ


  • Published By :
  • Published Date : 2023-05-31 22:44:14

પંજાબના એક ક્રિકેટરને સરકારી નોકરીના બદલામાં 2 કરોડની લાંચ માંગવાના મામલામાં CM ભગવંત માને પૂર્વ CM ચરણજીત સિંહ ચન્નીને અલ્ટીમેટમ આપ્યું હતું. બુધવારે તે પૂર્ણ થતાં જ ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટરનું નામ જાહેર કર્યું હતું. ભગવંત માને પંજાબ કિંગ્સના ક્રિકેટર જસ ઈંદર સિંહે અને તેના પિતા સાથેની પ્રેસ કોન્ફરન્સમાં ચરણજીત સિંહ ચન્ની પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જો કે ચરણજીત સિંહ ચન્ની મીડિયા સમક્ષ હાજર થયા હતા અને માન પર તેમને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો.


  ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ યોજી


પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને બુધવારે આરોપ લગાવ્યો હતો કે તેમના પુરોગામી ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજાએ ક્રિકેટર જસ ઈન્દર સિંહ પાસેથી તેમને સરકારી નોકરી અપાવવામાં મદદ કરવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. માને 22 મેના રોજ ચન્નીના ભત્રીજા જશન પર આરોપો લગાવ્યા હતા, પરંતુ ક્રિકેટરનું નામ લીધું ન હતું. બુધવારે તેણે જસ ઈંદર સિંહે અને તેના પિતા મનજિંદર સિંહને પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા.


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢ રાજભવનમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે CM ભગવંત માને કહ્યું કે તેઓ ધર્મશાલામાં મેચ દરમિયાન જસ ઈંદરને મળ્યા હતા. તેણે કહ્યું કે જસ ઈંદર સિંહે સ્પોર્ટ્સ ક્વોટામાં પેપર આપ્યું હતું પરંતુ પરિણામ સામાન્ય ક્વોટામાં આવ્યું. જ્યારે તેઓ મંત્રીઓ પાસે પહોંચ્યા ત્યારે સીએમ કેપ્ટન અમરિંદર સિંહ હતા તેમણે ગૃહમંત્રીને પત્ર લખીને કહ્યું કે તમારું કામ થઈ જશે.


જો કે થોડા દિવસો પછી સીએમ બદલાયા અને ચરણજીત સિંહ ચન્ની નવા સીએમ બન્યા. જ્યારે ક્રિકેટર જસ ઈંદર સિંહે પોતાનો કેસ તેમની સામે મૂક્યો ત્યારે ચન્ની સાહેબે કહ્યું કે મારા ભત્રીજા જશનને મળો. જ્યારે ક્રિકેટર જશનને મળ્યો ત્યારે તેણે કહ્યું કે પહેલા 2 કરોડ લાવો, બે દિવસ પછી. જ્યારે જસ ઈંદર સિંહે 2 લાખ રૂપિયા લઈને જશન પહોંચ્યો તો તેણે ગાળો આપી અને કહ્યું કે તેણે 2 કરોડ લાવવાનું કહ્યું હતું.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.