ભાગવત કથાકાર દેવકીનંદન મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-26 11:06:21

સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના જણાવ્યા મુજબ સાઉદી અરેબીયાથી તેમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી મળતા દેવકીનંદન મહારાજે પોલીસમાં ફરિયાદ કરાવી છે.

 


બોમથી ઉડાવી દેવાની મળી ધમકી   

મહારાષ્ટ્રના ખારઘરમાં દેવકીનંદન મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. દેવકીનંદનજીના જણાવ્યા અનુસાર તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સાઉદી અરબથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મહારાજે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. ધમકી મળતા કથા મંડપમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા મહારાજના અનુયાયીઓમાં તેમજ તેમના શિષ્યોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 


પોલીસમાં નોંધાવી ફરિયાદ 

શનિવારે દેવકીનંદન મહારાજને પર્સનલ નંબર પર ધમકી ભર્યો ફોન આવે છે. ફોન ઉપાડતા જ ફોન કરનાર વ્યક્તિએ મહારાજ પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવાની ધમકી આપી હતી. મહારાજે આ ફોનનું રેકોર્ડિંગ કર્યું. અને ટ્વિટર પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. ઉપરાંત અમિત શાહને, દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.              



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.