ભાગવત કથાકાર દેવકીનંદન મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-26 11:06:21

સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના જણાવ્યા મુજબ સાઉદી અરેબીયાથી તેમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી મળતા દેવકીનંદન મહારાજે પોલીસમાં ફરિયાદ કરાવી છે.

 


બોમથી ઉડાવી દેવાની મળી ધમકી   

મહારાષ્ટ્રના ખારઘરમાં દેવકીનંદન મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. દેવકીનંદનજીના જણાવ્યા અનુસાર તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સાઉદી અરબથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મહારાજે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. ધમકી મળતા કથા મંડપમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા મહારાજના અનુયાયીઓમાં તેમજ તેમના શિષ્યોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 


પોલીસમાં નોંધાવી ફરિયાદ 

શનિવારે દેવકીનંદન મહારાજને પર્સનલ નંબર પર ધમકી ભર્યો ફોન આવે છે. ફોન ઉપાડતા જ ફોન કરનાર વ્યક્તિએ મહારાજ પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવાની ધમકી આપી હતી. મહારાજે આ ફોનનું રેકોર્ડિંગ કર્યું. અને ટ્વિટર પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. ઉપરાંત અમિત શાહને, દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.              



અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.

અમદાવાદના બોપલ વિસ્તારમાં 80 કરોડના ખર્ચે એએમસી અને AUDA દ્વારા એક બ્રિજ બનાવવામાં આવ્યો જેનું કામ 80 ટકા જેટલું પૂર્ણ પણ થઈ ગયું. તે બાદ ખબર ઇજનેરો અને અધિકારીઓને ખબર પડી કે જ્યાં તેઓ બ્રિજ બનાવી રહ્યા છે ત્યાં તો કોઈ રોડ જ નથી. એટલે કે બ્રિજના બીજા છેડે રસ્તો જ નથી અને બ્રિજ ઉતરતાની સાથે જ ઊંચી દીવાલ આવી જાય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત આપના નેતા ચૈતર વસાવાને ઉતારવામાં આવ્યા છે. પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું છે.