ભાગવત કથાકાર દેવકીનંદન મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-26 11:06:21

સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના જણાવ્યા મુજબ સાઉદી અરેબીયાથી તેમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી મળતા દેવકીનંદન મહારાજે પોલીસમાં ફરિયાદ કરાવી છે.

 


બોમથી ઉડાવી દેવાની મળી ધમકી   

મહારાષ્ટ્રના ખારઘરમાં દેવકીનંદન મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. દેવકીનંદનજીના જણાવ્યા અનુસાર તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સાઉદી અરબથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મહારાજે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. ધમકી મળતા કથા મંડપમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા મહારાજના અનુયાયીઓમાં તેમજ તેમના શિષ્યોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 


પોલીસમાં નોંધાવી ફરિયાદ 

શનિવારે દેવકીનંદન મહારાજને પર્સનલ નંબર પર ધમકી ભર્યો ફોન આવે છે. ફોન ઉપાડતા જ ફોન કરનાર વ્યક્તિએ મહારાજ પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવાની ધમકી આપી હતી. મહારાજે આ ફોનનું રેકોર્ડિંગ કર્યું. અને ટ્વિટર પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. ઉપરાંત અમિત શાહને, દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.              



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.