ભાગવત કથાકાર દેવકીનંદન મહારાજને મળી જાનથી મારી નાખવાની ધમકી


  • Published By :
  • Published Date : 2022-12-26 11:06:21

સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર દેવકીનંદન ઠાકુર મહારાજને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમના જણાવ્યા મુજબ સાઉદી અરેબીયાથી તેમને એક કોલ આવ્યો હતો જેમાં ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપી છે. ધમકી મળતા દેવકીનંદન મહારાજે પોલીસમાં ફરિયાદ કરાવી છે.

 


બોમથી ઉડાવી દેવાની મળી ધમકી   

મહારાષ્ટ્રના ખારઘરમાં દેવકીનંદન મહારાજની ભાગવત કથા ચાલી રહી છે. દેવકીનંદનજીના જણાવ્યા અનુસાર તેમને બોમથી ઉડાવી દેવાની ધમકી આપતો ફોન આવ્યો હતો. સાઉદી અરબથી એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. જાનથી મારી નાખવાની ધમકી મળતા મહારાજે મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી હતી. ધમકી મળતા કથા મંડપમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ધમકી મળતા મહારાજના અનુયાયીઓમાં તેમજ તેમના શિષ્યોમાં ચિંતા વ્યાપી ઉઠી છે. 


પોલીસમાં નોંધાવી ફરિયાદ 

શનિવારે દેવકીનંદન મહારાજને પર્સનલ નંબર પર ધમકી ભર્યો ફોન આવે છે. ફોન ઉપાડતા જ ફોન કરનાર વ્યક્તિએ મહારાજ પર મુસ્લિમો વિરુદ્ધ બોલવાનો આરોપ લગાવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ તેમને બોમથી ઉડાવાની ધમકી આપી હતી. મહારાજે આ ફોનનું રેકોર્ડિંગ કર્યું. અને ટ્વિટર પર પોસ્ટ કરી પોલીસને જાણ કરી. ઉપરાંત અમિત શાહને, દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે.              



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે