આજથી ભારત જોડો યાત્રાનો બીજો પડાવ શરૂ, યોગીના ગઢમાં પહોંચી કોંગ્રેસની યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:31:39

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ આજે ફરીથી શરૂ થઈ ગઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી ભારત જોડો યાત્રાએ દિલ્લીમાં વિરામ બાદ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એએસ દુલત દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.


ભારત જોડો યાત્રામાં જોડાયા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાજિયાબાદના લોનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઈમેજને નુકસાન કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ રાહુલ ગાંધીએ તમામ આક્ષેપોનો સામનો કર્યો છે. ભારતના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. 

Priyanka to join Rahul's Yatra in UP - Daijiworld.com

"મારા ભાઈને દેશનો કોઈ ઉદ્યોગપતિ નહીં ખરીદી શકે"

પ્રિયંકા ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ દેશના બધા નેતાને ખરીદી લીધા છે પણ મારા ભાઈને નથી ખરીદી શક્યા, કે નહીં ખરીદી શકે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રાના સ્વાગત સાથે તેમના ભાઈ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા કે મને મારા ભાઈ પર ગર્વ છે.  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાગપતથી થઈને માવીકલાં, સિસાના અને સરુસપુર જશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. હરિયાણામાં પહોંચ્યા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના વિસ્તારોમાંથી પસાર થશે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.