આજથી ભારત જોડો યાત્રાનો બીજો પડાવ શરૂ, યોગીના ગઢમાં પહોંચી કોંગ્રેસની યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:31:39

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ આજે ફરીથી શરૂ થઈ ગઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી ભારત જોડો યાત્રાએ દિલ્લીમાં વિરામ બાદ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એએસ દુલત દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.


ભારત જોડો યાત્રામાં જોડાયા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાજિયાબાદના લોનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઈમેજને નુકસાન કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ રાહુલ ગાંધીએ તમામ આક્ષેપોનો સામનો કર્યો છે. ભારતના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. 

Priyanka to join Rahul's Yatra in UP - Daijiworld.com

"મારા ભાઈને દેશનો કોઈ ઉદ્યોગપતિ નહીં ખરીદી શકે"

પ્રિયંકા ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ દેશના બધા નેતાને ખરીદી લીધા છે પણ મારા ભાઈને નથી ખરીદી શક્યા, કે નહીં ખરીદી શકે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રાના સ્વાગત સાથે તેમના ભાઈ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા કે મને મારા ભાઈ પર ગર્વ છે.  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાગપતથી થઈને માવીકલાં, સિસાના અને સરુસપુર જશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. હરિયાણામાં પહોંચ્યા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના વિસ્તારોમાંથી પસાર થશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.