આજથી ભારત જોડો યાત્રાનો બીજો પડાવ શરૂ, યોગીના ગઢમાં પહોંચી કોંગ્રેસની યાત્રા


  • Published By :
  • Published Date : 2023-01-03 15:31:39

કોંગ્રેસની ભારત જોડો યાત્રા વિરામ બાદ આજે ફરીથી શરૂ થઈ ગઈ છે. કન્યાકુમારીથી કાશ્મીર સુધી નીકળેલી ભારત જોડો યાત્રાએ દિલ્લીમાં વિરામ બાદ ઉત્તરપ્રદેશમાં પ્રવેશ કર્યો છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ વડા એએસ દુલત દિલ્હીમાં ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે જોડાયા હતા.


ભારત જોડો યાત્રામાં જોડાયા પ્રિયંકા ગાંધી

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ગાજિયાબાદના લોનીમાં રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે રાહુલ ગાંધીની ઈમેજને નુકસાન કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે પણ રાહુલ ગાંધીએ તમામ આક્ષેપોનો સામનો કર્યો છે. ભારતના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. 

Priyanka to join Rahul's Yatra in UP - Daijiworld.com

"મારા ભાઈને દેશનો કોઈ ઉદ્યોગપતિ નહીં ખરીદી શકે"

પ્રિયંકા ગાંધીએ દેશના મોટા ઉદ્યોગપતિઓના નામ લઈને કહ્યું હતું કે, ઉદ્યોગપતિઓએ દેશના બધા નેતાને ખરીદી લીધા છે પણ મારા ભાઈને નથી ખરીદી શક્યા, કે નહીં ખરીદી શકે. પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશમાં ભારત જોડો યાત્રાના સ્વાગત સાથે તેમના ભાઈ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા કે મને મારા ભાઈ પર ગર્વ છે.  રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી બાગપતથી થઈને માવીકલાં, સિસાના અને સરુસપુર જશે. 5 જાન્યુઆરીએ ભારત જોડો યાત્રા હરિયાણામાં પ્રવેશ કરશે. હરિયાણામાં પહોંચ્યા પહેલા ભારત જોડો યાત્રા કૈરાના અને શામલીના વિસ્તારોમાંથી પસાર થશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.