Congressની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટી યોજશે તિરંગાયાત્રા.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-06 13:38:29

કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે ન્યાય યાત્રા કાઢે એ સ્વાભાવિક છે પણ હવે એની સામે સરકાર પણ યાત્રા કાઢવાની છે. ભાજપ આવનાર દિવસોમાં યાત્રા કાઢવાની છે. તિરંગા યાત્રા કાઢવાનું આયોજન ભાજપ કરી રહ્યું છે.  



કોંગ્રેસની યાત્રા સામે ભાજપ કાઢશે યાત્રા 

યાત્રા કાઢવાની વાત આવે ત્યારે આપણા મનમાં કોંગ્રેસનો ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ સવાલો કરે સત્તા પક્ષ ઇગ્નોર કરે વિપક્ષ કોઈ યાત્રા કાઢે તો એને ઇગ્નોર કરે પણ કદાચ પ્રથમ વખત  વિપક્ષની યાત્રા સામે ભાજપ યાત્રા કાઢવાની છે. પીડિતોને ન્યાય અપાવવાના આશયથી કોંગ્રેસ આવતી 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા મુદ્દે લોકોની સહાનુભૂતિ મેળવવા યોજાયેલા આ કાર્યક્રમની સામે રાજ્ય સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. 




યાત્રાની શરૂઆત થશે રાજકોટથી 

આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબરૂપે હશે. જેમાં કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે. યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જ્યારે તે પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આ યાત્રા યોજાશે. જો કે આ કાર્યક્રમમાં હાજર રહેનારા કોઇ નેતાઓ ભાષણ નહીં કરે, ફક્ત રાજકોટમાં શરૂઆત થાય ત્યારે સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં મંચ પરથી સંબોધન કરી શકે છે. 



આ યાત્રામાં આકર્ષણના અનેક કેન્દ્રો હશે

આ યાત્રામાં ઘણાં આકર્ષણો હશે, જેમાં દેશભક્તિ ધરાવતાં ટેબ્લો ઉપરાંત વિવિધ સંગીત બેન્ડ, ડાન્સ ટ્રુપ્સ, કલાકારો, રમતવીરો, રંગોળી સહિતની ચિત્રવિચિત્ર ઝાંખીઓ હશે. બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં યોજાતા કાર્નિવલની તર્જ પર તેનું આયોજન કરવાનો વિચાર છે. જોકે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે અને તે 22 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને મંજૂરી આપવા માટે જણાવ્યું છે. ન્યાય યાત્રાના આયોજનમાં ખોટું ઘર્ષણ ઊભું ન થાય તે હેતુથી આ મંજૂરી અત્યારથી જ અપાઇ ગઇ છે તો હવે કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રામાં શું થાય છે તે જોવાનું રહ્યું..  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.