Congressની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટી યોજશે તિરંગાયાત્રા.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-06 13:38:29

કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે ન્યાય યાત્રા કાઢે એ સ્વાભાવિક છે પણ હવે એની સામે સરકાર પણ યાત્રા કાઢવાની છે. ભાજપ આવનાર દિવસોમાં યાત્રા કાઢવાની છે. તિરંગા યાત્રા કાઢવાનું આયોજન ભાજપ કરી રહ્યું છે.  



કોંગ્રેસની યાત્રા સામે ભાજપ કાઢશે યાત્રા 

યાત્રા કાઢવાની વાત આવે ત્યારે આપણા મનમાં કોંગ્રેસનો ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ સવાલો કરે સત્તા પક્ષ ઇગ્નોર કરે વિપક્ષ કોઈ યાત્રા કાઢે તો એને ઇગ્નોર કરે પણ કદાચ પ્રથમ વખત  વિપક્ષની યાત્રા સામે ભાજપ યાત્રા કાઢવાની છે. પીડિતોને ન્યાય અપાવવાના આશયથી કોંગ્રેસ આવતી 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા મુદ્દે લોકોની સહાનુભૂતિ મેળવવા યોજાયેલા આ કાર્યક્રમની સામે રાજ્ય સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. 




યાત્રાની શરૂઆત થશે રાજકોટથી 

આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબરૂપે હશે. જેમાં કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે. યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જ્યારે તે પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આ યાત્રા યોજાશે. જો કે આ કાર્યક્રમમાં હાજર રહેનારા કોઇ નેતાઓ ભાષણ નહીં કરે, ફક્ત રાજકોટમાં શરૂઆત થાય ત્યારે સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં મંચ પરથી સંબોધન કરી શકે છે. 



આ યાત્રામાં આકર્ષણના અનેક કેન્દ્રો હશે

આ યાત્રામાં ઘણાં આકર્ષણો હશે, જેમાં દેશભક્તિ ધરાવતાં ટેબ્લો ઉપરાંત વિવિધ સંગીત બેન્ડ, ડાન્સ ટ્રુપ્સ, કલાકારો, રમતવીરો, રંગોળી સહિતની ચિત્રવિચિત્ર ઝાંખીઓ હશે. બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં યોજાતા કાર્નિવલની તર્જ પર તેનું આયોજન કરવાનો વિચાર છે. જોકે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે અને તે 22 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને મંજૂરી આપવા માટે જણાવ્યું છે. ન્યાય યાત્રાના આયોજનમાં ખોટું ઘર્ષણ ઊભું ન થાય તે હેતુથી આ મંજૂરી અત્યારથી જ અપાઇ ગઇ છે તો હવે કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રામાં શું થાય છે તે જોવાનું રહ્યું..  



ઇટાલી અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવાને લઇને વાર્તાલાપ પડી ભાંગ્યો છે . આ પાછળ ઇટાલીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ ઉભું કર્યું હતું . આ ઉપરાંત ઈલોન મસ્કની જે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નિકટતા છે તેના લીધે પણ આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે. ઈલોન મસ્ક હાલના સમયમાં સમગ્ર વિશ્વમાં જોરદાર વિરોધનો સામનો કરી રહ્યા છે.

વ્યક્તિ પોતાના ઘરમાં કેટલી રકમ રાખી શકે છે તેના પર કોઈ પ્રતિબંધ નથી. જ્યાં સુધી તમે સાબિત કરી શકો કે તે કાયદેસરના સ્ત્રોત માંથી કમાયા છે અને તમે તેને તમારા આવકવેરા રિટર્નમાં જાહેર કર્યું છે ત્યાં સુધી આ લાગુ રહેશે. જો તમે સાબિત કરી શકતા નથી કે પૈસા કાયદેસર નથી, તો તમને ગંભીર દંડનો સામનો કરવો પડી શકે છે.

6G ઈન્ટરનેટ માટે ચાઈનામાં તડામાર તૈયારીઓ શરુ થઇ ચુકી છે . તો આ બાજુ યુએસમાં નેક્સટજી નામનું અલાયન્સ બનાવવામાં આવ્યું છે . યુરોપમાં નોકિયા , ક્વાલકોમ , એટીએનટી આ 6G ઈન્ટરનેટ માટે કામ કરી રહ્યા છે . ભારત પણ આ રેસમાંથી બહાર નથી . ભારત ૨૦૩૦ના વર્ષ સુધી 6Gમાં ગ્લોબલ લીડર બનવા માંગે છે . આ માટે ભારતે "ભારત 6G પ્રોજેક્ટ" અમલમાં મુક્યો છે .

દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્મા જેમના ઘરે નોટોનો ઢગલો મળી આવ્યો છે . હવે દિલ્હી હાઈકૉર્ટે તેમને ફરજમાંથી મુક્ત કરી દીધા છે . આ બાજુ સુપ્રીમ કોર્ટે આ સંપૂર્ણ ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશન બેસાડ્યું છે . તો હવે જોઈએ કોલેજિયમ યશવંત વર્માને શું સજા ફટકારે છે.