Congressની ન્યાય યાત્રા સામે ભારતીય જનતા પાર્ટી યોજશે તિરંગાયાત્રા.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-08-06 13:38:29

કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવવા 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની છે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે ન્યાય યાત્રા કાઢે એ સ્વાભાવિક છે પણ હવે એની સામે સરકાર પણ યાત્રા કાઢવાની છે. ભાજપ આવનાર દિવસોમાં યાત્રા કાઢવાની છે. તિરંગા યાત્રા કાઢવાનું આયોજન ભાજપ કરી રહ્યું છે.  



કોંગ્રેસની યાત્રા સામે ભાજપ કાઢશે યાત્રા 

યાત્રા કાઢવાની વાત આવે ત્યારે આપણા મનમાં કોંગ્રેસનો ખ્યાલ આવે. અત્યાર સુધી એવું થતું હતું કે વિપક્ષ સવાલો કરે સત્તા પક્ષ ઇગ્નોર કરે વિપક્ષ કોઈ યાત્રા કાઢે તો એને ઇગ્નોર કરે પણ કદાચ પ્રથમ વખત  વિપક્ષની યાત્રા સામે ભાજપ યાત્રા કાઢવાની છે. પીડિતોને ન્યાય અપાવવાના આશયથી કોંગ્રેસ આવતી 9 ઓગસ્ટથી મોરબીથી ન્યાય યાત્રાની શરૂઆત કરી રહી છે. મોરબી ઝુલતો પુલ, રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, હરણી બોટ કાંડ, સુરત તક્ષશિલા કાંડ જેવા મુદ્દે લોકોની સહાનુભૂતિ મેળવવા યોજાયેલા આ કાર્યક્રમની સામે રાજ્ય સરકાર તિરંગા યાત્રાનું આયોજન કરવા જઇ રહી છે. 




યાત્રાની શરૂઆત થશે રાજકોટથી 

આ તિરંગા યાત્રા કોંગ્રેસની ન્યાય યાત્રાના જવાબરૂપે હશે. જેમાં કોંગ્રેસની યાત્રાથી લોકોનું ધ્યાન દેશભક્તિ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ કરી દીધી છે. યાત્રાની શરૂઆત રાજકોટથી થશે જ્યારે તે પછી વડોદરા, સુરત અને અમદાવાદમાં પણ આ યાત્રા યોજાશે. જો કે આ કાર્યક્રમમાં હાજર રહેનારા કોઇ નેતાઓ ભાષણ નહીં કરે, ફક્ત રાજકોટમાં શરૂઆત થાય ત્યારે સંભવતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં મંચ પરથી સંબોધન કરી શકે છે. 



આ યાત્રામાં આકર્ષણના અનેક કેન્દ્રો હશે

આ યાત્રામાં ઘણાં આકર્ષણો હશે, જેમાં દેશભક્તિ ધરાવતાં ટેબ્લો ઉપરાંત વિવિધ સંગીત બેન્ડ, ડાન્સ ટ્રુપ્સ, કલાકારો, રમતવીરો, રંગોળી સહિતની ચિત્રવિચિત્ર ઝાંખીઓ હશે. બ્રાઝિલના રીયો-ડી-જાનેરોમાં યોજાતા કાર્નિવલની તર્જ પર તેનું આયોજન કરવાનો વિચાર છે. જોકે કોંગ્રેસની ન્યાયયાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે અને તે 22 ઓગસ્ટે ગાંધીનગરમાં પૂર્ણ થશે. આ માટે ગુજરાત સરકારે સંબંધિત પોલીસ વિભાગના અધિકારીને મંજૂરી આપવા માટે જણાવ્યું છે. ન્યાય યાત્રાના આયોજનમાં ખોટું ઘર્ષણ ઊભું ન થાય તે હેતુથી આ મંજૂરી અત્યારથી જ અપાઇ ગઇ છે તો હવે કોંગ્રેસની યાત્રા સામે તિરંગા યાત્રામાં શું થાય છે તે જોવાનું રહ્યું..  



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .