Bharuch : 6 જૈન સાધ્વીજી ભગવંતને પહોંચાડી ઈજા! વિહાર કરી રહેલા સાધ્વી ભગવંતો પર કમરપટ્ટા વડે કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2024-05-28 19:01:14

ભરૂચથી એક સમાચાર સામે આવ્યા જેણે વિચારવા પર મજબૂર કર્યા કે આપણે આપણા સમાજને કયાં લઈ જઈ રહ્યા છીએ.. આપણે ત્યાં સાધુ, સાધ્વી, મહારાજ જેવા ધાર્મિક ગુરૂઓને સન્માન આપીએ છીએ.. તેમને આદરથી જોઈએ છીએ. ભરૂચથી જે સમાચાર આવ્યા તેમાં જૈન મહિલા પર હુમલો કરવામાં આવ્યો.. ભરૂચમાં થામ-ડેરોલ હાઇવે પર ચાલતી જૈન મહિલા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી પર પટ્ટાથી હુમલો કરાયો. આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે અને આ મામલે  હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસની ગિરફ્તમાં છે..


સાધ્વીઓને પટ્ટાથી મારવામાં આવ્યો માર!

આપણે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે રસ્તા પર ચાલતા અનેક જૈન સાધવીઓ દેખાતા હશે.. જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણે તેમનું આદર કરતા હોઈએ છીએ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સાધ્વીઓ પર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હોય? જવાબ હશે ના.. પરંતુ ભરૂચથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૈન સાધ્વીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ભરૂચના શ્રીમાળી પોળથી સોમવારે મળસ્કે 4.30 વાગ્યે 6 જૈન સાધવીઓ પદયાત્રા શરૂ કરે છે. દાંડી રોડ પર દેરોલ ગામ તરફ જઈ રહ્યા હતા. 


પોલીસ દ્વારા લેવાયા પગલા 

આ દરમિયાન મહંમદપુરાથી જ્યારે સાધવીઓ પસાર થયા ત્યારે ત્યાંથી તે વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો.. દેરોલ ચોકડી પાસે જ્યારે તે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સાધ્વીઓને રોક્યા અને તેમને મા બેનની ગાળો બોલી. તેમજ ઝપાઝપી પણ કરી. ઝપાઝપી થતા સાધ્વીને ઈજા પહોંચી તેમજ કમરપટ્ટાથી માર માર્યો. હાથ પગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી.. મદદ માટે ત્યાં હાજર લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો.. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે