Bharuch : 6 જૈન સાધ્વીજી ભગવંતને પહોંચાડી ઈજા! વિહાર કરી રહેલા સાધ્વી ભગવંતો પર કમરપટ્ટા વડે કર્યો હુમલો


  • Published By :
  • Published Date : 2024-05-28 19:01:14

ભરૂચથી એક સમાચાર સામે આવ્યા જેણે વિચારવા પર મજબૂર કર્યા કે આપણે આપણા સમાજને કયાં લઈ જઈ રહ્યા છીએ.. આપણે ત્યાં સાધુ, સાધ્વી, મહારાજ જેવા ધાર્મિક ગુરૂઓને સન્માન આપીએ છીએ.. તેમને આદરથી જોઈએ છીએ. ભરૂચથી જે સમાચાર આવ્યા તેમાં જૈન મહિલા પર હુમલો કરવામાં આવ્યો.. ભરૂચમાં થામ-ડેરોલ હાઇવે પર ચાલતી જૈન મહિલા સાધુઓ પર હુમલો કરવામાં આવ્યો છે. દેરોલ ગામના પાટિયા નજીક 6 જૈન સાધ્વીજી પર પટ્ટાથી હુમલો કરાયો. આ સમાચાર સામે આવતા ચકચાર મચી છે અને આ મામલે  હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસની ગિરફ્તમાં છે..


સાધ્વીઓને પટ્ટાથી મારવામાં આવ્યો માર!

આપણે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ છીએ ત્યારે રસ્તા પર ચાલતા અનેક જૈન સાધવીઓ દેખાતા હશે.. જ્યારે આપણે તેમને જોઈએ છીએ તો આપણે તેમનું આદર કરતા હોઈએ છીએ. ક્યારેય તમે એવું સાંભળ્યું કે સાધ્વીઓ પર પટ્ટાથી હુમલો કરવામાં આવ્યો હોય? જવાબ હશે ના.. પરંતુ ભરૂચથી આવો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૈન સાધ્વીઓને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે. ભરૂચના શ્રીમાળી પોળથી સોમવારે મળસ્કે 4.30 વાગ્યે 6 જૈન સાધવીઓ પદયાત્રા શરૂ કરે છે. દાંડી રોડ પર દેરોલ ગામ તરફ જઈ રહ્યા હતા. 


પોલીસ દ્વારા લેવાયા પગલા 

આ દરમિયાન મહંમદપુરાથી જ્યારે સાધવીઓ પસાર થયા ત્યારે ત્યાંથી તે વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો.. દેરોલ ચોકડી પાસે જ્યારે તે પહોંચ્યા ત્યારે અચાનક તેમણે સાધ્વીઓને રોક્યા અને તેમને મા બેનની ગાળો બોલી. તેમજ ઝપાઝપી પણ કરી. ઝપાઝપી થતા સાધ્વીને ઈજા પહોંચી તેમજ કમરપટ્ટાથી માર માર્યો. હાથ પગ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી.. મદદ માટે ત્યાં હાજર લોકોએ બચાવવાનો પ્રયત્ન કર્યો.. આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો અને હુમલો કરનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં છે.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.