Bhavnagar : વિકાસ યાત્રાનો ખેડૂતોએ કર્યો વિરોધ, ડુંગળીના હાર પહેરી યાત્રામાં પહોંચ્યા, પોલીસે કરી અટકાયત! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-28 15:25:11

લોકસભા ચૂંટણી આવતા વર્ષે આવી રહી છે. રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગામડામાં રહેતા લોકો સુધી સરકાર દ્વારા કરવામાં આવેલા કામો પહોંચે તે માટે વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગામડાઓમાં આ રથ પહોંચે છે અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાવનગરમાં જ્યારે વિકાસ યાત્રા પહોંચી ત્યારે ખેડૂતોએ આ યાત્રાનો વિરોધ કર્યો હતો. ગળામાં ડુંગળીના હાર પહેર્યો અને રોષ પ્રગટ કર્યો. 

ડુંગળીનો હાર પહેરી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ     

ડુંગળી પકવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ખેડૂતો દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ખેડૂતો પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. કોઈ ખેડૂતે ડુંગળીમાં બેસીને વિરોધ કર્યો હતો તો કોઈએ રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ કર્યો હતો. આ બધા વચ્ચે ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો જેમાં ખેડૂતોએ ડુંગળીનો હાર પહેર્યા છે. વિકાસ યાત્રાનો રથ જ્યારે ત્યાં આવ્યો ત્યારે તેમણે વિરોધ કર્યો હતો. પોલીસે ખેડૂતોની અટકાયત કરી લીધી હતી. 


સરકારે શરમ યાત્રા કાઢવી જોઈએ - ખેડૂતો

ખેડૂતોની સ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. ખેડૂતો કરજદાર થઈ રહ્યા છે. પાક સફળ જશે કે નહીં તેની ચિંતા તેમને હંમેશા સતાવતી રહે છે. વરસાદ પર ખેતીનો મૂળભૂત આધાર રહેલો છે. પ્રમાણસર વરસાદ થાય તો જ ખેડૂતોને લાભ થાય કારણ કે કોઈ વખત વરસાદ વધારે થાય છે તો કોઈ વખત કમોસમી વરસાદ પણ આવે છે. ત્યારે ભાવનગરમાં  ખેડૂતોએ વિકાસ યાત્રાનો વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કહ્યું કે સરકારે વિકાસ યાત્રા નહીં ગામડામાં શરમ યાત્રા કાઢવી જોઈએ.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.