ભીડનું ફર્સ્ટ લૂક ટીઝર થયું રિલીઝ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે મુખ્યભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-03-03 16:33:16

થોડા વર્ષો પહેલા કોરોના મહામારીને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગચું હતું. લોકડાઉન સમયે મજૂરો રાજ્યો છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. કેમ કે તેમની પાસે ન હતા પૈસા ન હતું જમાવાનું. આ વાતો પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની. આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની તુલના દેશના ભાગલા પડ્યા તે સમય સાથે કરી છે.

 


24 માર્ચના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કરવામાં આવ્યું છે. રાજકુમારે કેપ્શન સાથે ટીઝરને રિલીઝ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે હમ કહાની બતા રહે હૈ ઉસ વક્ત કી જબ બટવારા દેશ મેં નહીં, સમાજ મેં હુઆ થા. ભીડ અંધકાર સમયની વાર્તા- બ્લેક એન્ડ વ્હાઈટમાં. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝરમાં મોનોક્રોમ ટોન છે અને રેલ્વે ટ્રેક અને બસ સ્ટોપ પર ભીડ કરતા લોકોના સ્નેપશોટ છે. વોઈસઓવરમાં કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્કીન પર જે સ્નેપશોર્ટ જોઈ રહ્યા છીએ તે 1947ના ભારતના ભાગલાના નથી, તે 2020ના છે જ્યારે કોરોના વાયરલ કેસો વધતા રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જેને કારણે હજારો લોકો ફસાયા હતા.        


ફિલ્મના અનેક ભાગ જોવા મળી શકે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં 

આ ફિલ્મમાં બીજો કયા પાત્રો છે અને તેને કોણ ભજવી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી. ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું હતું કે ભીડ એ સૌથી ખતરનાક સમયની વાર્તા છે જેણે માનવતા માટે બધું બદલી નાખ્યું. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ બતાવવાનો હતો કે કેવી રીતે ભારતના લોકડાઉન દરમિયાન સામાજિક અસમાનતાના દ્રશ્યો 1947ના ભારતના ભાગલા દરમિયાન લોકો જેમાંથી પસાર થયા હતા તેના જેવા જ હતા. આ વાર્તા એવા લોકોની છે જેમનું જીવન ક્ષણભરમાં બદલાઈ ગયું અને જ્યારે દેશની અંદર સરહદ ખેંચાઈ ત્યારે તેમના જીવનમાંથી રંગ ઉડી ગયો.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.