ભીડનું ફર્સ્ટ લૂક ટીઝર થયું રિલીઝ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે મુખ્યભૂમિકામાં


  • Published By :
  • Published Date : 2023-03-03 16:33:16

થોડા વર્ષો પહેલા કોરોના મહામારીને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગચું હતું. લોકડાઉન સમયે મજૂરો રાજ્યો છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. કેમ કે તેમની પાસે ન હતા પૈસા ન હતું જમાવાનું. આ વાતો પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની. આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની તુલના દેશના ભાગલા પડ્યા તે સમય સાથે કરી છે.

 


24 માર્ચના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કરવામાં આવ્યું છે. રાજકુમારે કેપ્શન સાથે ટીઝરને રિલીઝ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે હમ કહાની બતા રહે હૈ ઉસ વક્ત કી જબ બટવારા દેશ મેં નહીં, સમાજ મેં હુઆ થા. ભીડ અંધકાર સમયની વાર્તા- બ્લેક એન્ડ વ્હાઈટમાં. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝરમાં મોનોક્રોમ ટોન છે અને રેલ્વે ટ્રેક અને બસ સ્ટોપ પર ભીડ કરતા લોકોના સ્નેપશોટ છે. વોઈસઓવરમાં કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્કીન પર જે સ્નેપશોર્ટ જોઈ રહ્યા છીએ તે 1947ના ભારતના ભાગલાના નથી, તે 2020ના છે જ્યારે કોરોના વાયરલ કેસો વધતા રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જેને કારણે હજારો લોકો ફસાયા હતા.        


ફિલ્મના અનેક ભાગ જોવા મળી શકે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં 

આ ફિલ્મમાં બીજો કયા પાત્રો છે અને તેને કોણ ભજવી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી. ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું હતું કે ભીડ એ સૌથી ખતરનાક સમયની વાર્તા છે જેણે માનવતા માટે બધું બદલી નાખ્યું. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ બતાવવાનો હતો કે કેવી રીતે ભારતના લોકડાઉન દરમિયાન સામાજિક અસમાનતાના દ્રશ્યો 1947ના ભારતના ભાગલા દરમિયાન લોકો જેમાંથી પસાર થયા હતા તેના જેવા જ હતા. આ વાર્તા એવા લોકોની છે જેમનું જીવન ક્ષણભરમાં બદલાઈ ગયું અને જ્યારે દેશની અંદર સરહદ ખેંચાઈ ત્યારે તેમના જીવનમાંથી રંગ ઉડી ગયો.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી