ભીડનું ફર્સ્ટ લૂક ટીઝર થયું રિલીઝ, રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકર જોવા મળશે મુખ્યભૂમિકામાં


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-03 16:33:16

થોડા વર્ષો પહેલા કોરોના મહામારીને કારણે જન-જીવન અસ્તવ્યસ્ત થઈ ગચું હતું. લોકડાઉન સમયે મજૂરો રાજ્યો છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા હતા. કેમ કે તેમની પાસે ન હતા પૈસા ન હતું જમાવાનું. આ વાતો પર આધારિત એક ફિલ્મ આવી રહી છે જેનું ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. વાત કરી રહ્યા છીએ રાજકુમાર રાવ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભીડની. આ ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મની તુલના દેશના ભાગલા પડ્યા તે સમય સાથે કરી છે.

 


24 માર્ચના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ 

સોશિયલ મીડિયા પર ફિલ્મનું ફર્સ્ટ લૂક ટીઝર શેર કરવામાં આવ્યું છે. રાજકુમારે કેપ્શન સાથે ટીઝરને રિલીઝ કર્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે હમ કહાની બતા રહે હૈ ઉસ વક્ત કી જબ બટવારા દેશ મેં નહીં, સમાજ મેં હુઆ થા. ભીડ અંધકાર સમયની વાર્તા- બ્લેક એન્ડ વ્હાઈટમાં. આ ફિલ્મ 24 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ટીઝરમાં મોનોક્રોમ ટોન છે અને રેલ્વે ટ્રેક અને બસ સ્ટોપ પર ભીડ કરતા લોકોના સ્નેપશોટ છે. વોઈસઓવરમાં કહેવામાં આવી રહ્યું છે કે આપણે સ્કીન પર જે સ્નેપશોર્ટ જોઈ રહ્યા છીએ તે 1947ના ભારતના ભાગલાના નથી, તે 2020ના છે જ્યારે કોરોના વાયરલ કેસો વધતા રાજ્યોની સરહદો સીલ કરી દેવામાં આવી હતી. જેને કારણે હજારો લોકો ફસાયા હતા.        


ફિલ્મના અનેક ભાગ જોવા મળી શકે છે બ્લેક એન્ડ વ્હાઈટમાં 

આ ફિલ્મમાં બીજો કયા પાત્રો છે અને તેને કોણ ભજવી રહ્યા છે તે સ્પષ્ટ થયું નથી. ફિલ્મને લઈ જણાવવામાં આવ્યું હતું કે ભીડ એ સૌથી ખતરનાક સમયની વાર્તા છે જેણે માનવતા માટે બધું બદલી નાખ્યું. ફિલ્મને બ્લેક એન્ડ વ્હાઇટમાં શૂટ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ બતાવવાનો હતો કે કેવી રીતે ભારતના લોકડાઉન દરમિયાન સામાજિક અસમાનતાના દ્રશ્યો 1947ના ભારતના ભાગલા દરમિયાન લોકો જેમાંથી પસાર થયા હતા તેના જેવા જ હતા. આ વાર્તા એવા લોકોની છે જેમનું જીવન ક્ષણભરમાં બદલાઈ ગયું અને જ્યારે દેશની અંદર સરહદ ખેંચાઈ ત્યારે તેમના જીવનમાંથી રંગ ઉડી ગયો.




સુરત લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર નિલેશ કુંભાણી અનેક દિવસોથી ગાયબ હતા. કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે આજે તેમણે વીડિયો બનાવી પોતાની પ્રતિકિયા આપી છે.

આપના પૂર્વ નેતા અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાના છે. આ મામલે ગોપાલ ઈટાલિયાએ પ્રતિક્રિયા આપી છે.. પ્રતિક્રિયા આપતા તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કમાવવાની પાછળ આપણે એટલા બધા લાગી ગયા છીએ કે આપણને ખબર જ નથી પડતી કે આપણી જીંદગી પૂરી થઈ રહી છે... જવાનમાં આપણે ક્યારે ઘરડા થઈ જઈશું તેની ખબર નહીં પડે.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જે વાતને બહુ સારી રીતે સમજાવે છે...

જમાવટની ઈલેક્શન યાત્રા અલગ અલગ વિસ્તારોમાં ફરી રહી છે. અનેક યુવાનો, બાળકો સાથે વાત કરી હતી ત્યારે તેમણે જે કહ્યું જે વિચારવા જેવું છે.. બાળકો જે જોવે છે તે કહે છે...