શિવરાત્રી પહેલા પણ નથી શાંત થયો ભીમાશંકર જ્યોતિર્લિંગનો વિવાદ, આસામ સરકારના વિજ્ઞાપનને કારણે થયો હતો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-17 14:02:06

ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે તેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આસામ સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા બતાવામાં આવેલી એક વિજ્ઞાપનને કારણે વિવાદ સર્જાયો છે.  ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકરને આસામ રાજ્યમાં બતાવાતા આ વાતે વિવાદનું રૂપ ધારણ કર્યું છે. આ વિજ્ઞાપનને લઈ મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો છે. આ વિજ્ઞાપનની મહારાષ્ટ્રના નેતાઓ ટીકા કરી રહ્યા છે.    

Assam ad on Jyotirlinga ignites Maha controversy- The New Indian Express


જ્યોતિર્લિંગને લઈ સતત વધતો વિવાદ  

મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગને લઈ શરૂ થયેલો વિવાદ વકરી રહ્યો છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યનું છે તે અંગે વિવાદ શરૂ થયો હતો. આસામ સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટે એક વિજ્ઞાપનમાં ભીમાશંકર જ્યોતિર્લિંગને આસામ રાજ્યનું બતાવ્યું હતું. આસામ ટૂરિઝમે સરતચૂકથી આ જ્યોતિર્લિંગને પોતાના રાજ્યનું બતાવ્યું. જો આ અંગેની સ્પષ્ટતાએ વખતે જ કરવામાં આવી હોત તો આ વિવાદ ન સર્જાયો હોત. પરંતુ આ મુદ્દાએ મહારાષ્ટ્રમાં મોટું રૂપ ધારણ કર્યું છે. 


વિપક્ષે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

જાહેરખબરમાં આસામના ટૂરિઝમ વિભાગે પ્રવાસીઓને શિવરાત્રી ઉજવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભીમાશંકર સુધી કેવી રીતે પહોંચવું તે અંગે નકશો બતાવામાં આવ્યો હતો. આ વાતને લઈ આસામ સરકાર અને મહારાષ્ટ્રના વિપક્ષના પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનસીપી અને શિવસેનાએ આ વિજ્ઞાપનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે અને પક્ષોનું કહેવું છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેમાં છે તો આસામ સરકાર કેવી રીતે આ પ્રકારની જાહેરાત છાપી શકે. ભાજપ સરકારે પહેલા અમારા તમામ વિકાસના પ્રોજેક્ટ કર્ણાટકને આપી દીધા હતા, હવે અમારા ભગવાન પણ અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. 




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.