શિવરાત્રી પહેલા પણ નથી શાંત થયો ભીમાશંકર જ્યોતિર્લિંગનો વિવાદ, આસામ સરકારના વિજ્ઞાપનને કારણે થયો હતો વિવાદ


  • Published By :
  • Published Date : 2023-02-17 14:02:06

ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવેલું છે તેનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આસામ સરકારના ટુરીઝમ વિભાગ દ્વારા બતાવામાં આવેલી એક વિજ્ઞાપનને કારણે વિવાદ સર્જાયો છે.  ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગ એવા ભીમાશંકરને આસામ રાજ્યમાં બતાવાતા આ વાતે વિવાદનું રૂપ ધારણ કર્યું છે. આ વિજ્ઞાપનને લઈ મહારાષ્ટ્રમાં વિવાદ સર્જાયો છે. આ વિજ્ઞાપનની મહારાષ્ટ્રના નેતાઓ ટીકા કરી રહ્યા છે.    

Assam ad on Jyotirlinga ignites Maha controversy- The New Indian Express


જ્યોતિર્લિંગને લઈ સતત વધતો વિવાદ  

મહાશિવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે ભારતના છઠ્ઠા જ્યોતિર્લિંગને લઈ શરૂ થયેલો વિવાદ વકરી રહ્યો છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ કયા રાજ્યનું છે તે અંગે વિવાદ શરૂ થયો હતો. આસામ સરકારના ટુરીઝમ ડિપાર્ટમેન્ટે એક વિજ્ઞાપનમાં ભીમાશંકર જ્યોતિર્લિંગને આસામ રાજ્યનું બતાવ્યું હતું. આસામ ટૂરિઝમે સરતચૂકથી આ જ્યોતિર્લિંગને પોતાના રાજ્યનું બતાવ્યું. જો આ અંગેની સ્પષ્ટતાએ વખતે જ કરવામાં આવી હોત તો આ વિવાદ ન સર્જાયો હોત. પરંતુ આ મુદ્દાએ મહારાષ્ટ્રમાં મોટું રૂપ ધારણ કર્યું છે. 


વિપક્ષે ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

જાહેરખબરમાં આસામના ટૂરિઝમ વિભાગે પ્રવાસીઓને શિવરાત્રી ઉજવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને ભીમાશંકર સુધી કેવી રીતે પહોંચવું તે અંગે નકશો બતાવામાં આવ્યો હતો. આ વાતને લઈ આસામ સરકાર અને મહારાષ્ટ્રના વિપક્ષના પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એનસીપી અને શિવસેનાએ આ વિજ્ઞાપનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે અને પક્ષોનું કહેવું છે કે ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણેમાં છે તો આસામ સરકાર કેવી રીતે આ પ્રકારની જાહેરાત છાપી શકે. ભાજપ સરકારે પહેલા અમારા તમામ વિકાસના પ્રોજેક્ટ કર્ણાટકને આપી દીધા હતા, હવે અમારા ભગવાન પણ અમારી પાસેથી છીનવવામાં આવી રહ્યા છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.