Bhupendra Patelની સરકાર આંદોલનને આગળ વધવા જ નથી દેતી! તો શું Gyansahayakનો કોઈ ઉકેલ લાવશે ખરી? સાંભળો શું કહ્યું Devanshi Joshiએ


  • Published By :
  • Published Date : 2023-09-07 13:46:45

આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે સરકાર ધારે તો ગમે તે કરી શકે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે. આંદોલનકારીઓના આંદોલન વધે તે પહેલા જ આંદોલન ઠારી દેવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ભૂપેન્દ્ર સરકાર 2.0 આંદોલન વધે તે પહેલા જ મધ્યસ્થી કરીને, સંવાદ કરીને મામલો શાંત કરી દે છે. એ વિવાદ સાળંગપુરનો હોય કે, પછી બનાસકાંઠાથી આંદોલન માટે નીકળેલા ખેડૂતો હોય. વાતો કરીને આંદોલન શાંત કરી દેવામાં આવે છે.   

સાળંગપુર ભીંતચિત્રો, બનાસકાંઠા લાફાકાંડ મામલે સરકારે કરી છે મધ્યસ્થી  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ બનાસકાંઠામાં ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આવવા ખેડૂતોએ આગેકૂચ કરી હતી. પોતાની માગ સાથે ખેડૂતો આગળ નીકળ્યા હતા. ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ ખેડૂત આગેવાનો સાથે વાત કરી હતી અને આંદોલન શાંત થઈ ગયો હતો. તે બાદ આવ્યો સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. સાળંગપુરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો સામે આવતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધારે વકરે તે પહેલા, આંદોલનો શરૂ થાય તે પહેલા સરકારે મધ્યસ્થી કરીને વિવાદને શાંત કરી દીધો હતો. 

શિક્ષક દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો હતો જ્ઞાનસહાયકનો વિરોધ  

પરંતુ જ્યારે ટેટ-ટાટ ઉમેદવારોની વાત આવે ત્યારે કદાચ સરકાર પોતાના મક્કમ ઈરાદાને દર્શાવતી હોય તેવું લાગે છે. ઉમેદવારો સાથે સંવાદ કરીને જ્ઞાન સહાયક યોજનાને લઈ કોઈ નિર્ણય લેવા માટે સરકાર જાણે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ઉમેદવારો સાથે પોલીસે જેવી રીતે વ્યવહાર કર્યો હતો તેને જોઈને ઉમેદવારોમાં રોષ વધારે ભભૂકી ઉઠ્યો હતો. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે આવ્યા હતા. 


શું સરકાર ટેટ-ટાટના ઉમેદવારો સાથે સંવાદ કરી લાવશે ઉકેલ?

એક તરફ સરકાર અનેક મુદ્દાઓમાં મધ્યસ્થી કરી મામલાને શાંત કરી રહી છે પરંતુ ટેટ-ટાટના ઉમેદવારોના મામલામાં જાણે સરકાર પોતાની વાતમાં મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. યોજનાને લઈ મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોના આંદોલનમાં સરકાર શું નિર્ણય લે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. શું સરકાર ઉમેદવારો સાથે સંવાદ કરી મામલાને શાંત કરવાની કોશિશ કરશે કે પછી ઉમેદવારો પોતાના આંદોલનને આગળ વધારશે તે જોવું રહ્યું..   



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.