Bhupendra Patelની સરકાર આંદોલનને આગળ વધવા જ નથી દેતી! તો શું Gyansahayakનો કોઈ ઉકેલ લાવશે ખરી? સાંભળો શું કહ્યું Devanshi Joshiએ


  • Published By :
  • Published Date : 2023-09-07 13:46:45

આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે સરકાર ધારે તો ગમે તે કરી શકે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે. આંદોલનકારીઓના આંદોલન વધે તે પહેલા જ આંદોલન ઠારી દેવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ભૂપેન્દ્ર સરકાર 2.0 આંદોલન વધે તે પહેલા જ મધ્યસ્થી કરીને, સંવાદ કરીને મામલો શાંત કરી દે છે. એ વિવાદ સાળંગપુરનો હોય કે, પછી બનાસકાંઠાથી આંદોલન માટે નીકળેલા ખેડૂતો હોય. વાતો કરીને આંદોલન શાંત કરી દેવામાં આવે છે.   

સાળંગપુર ભીંતચિત્રો, બનાસકાંઠા લાફાકાંડ મામલે સરકારે કરી છે મધ્યસ્થી  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ બનાસકાંઠામાં ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આવવા ખેડૂતોએ આગેકૂચ કરી હતી. પોતાની માગ સાથે ખેડૂતો આગળ નીકળ્યા હતા. ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ ખેડૂત આગેવાનો સાથે વાત કરી હતી અને આંદોલન શાંત થઈ ગયો હતો. તે બાદ આવ્યો સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. સાળંગપુરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો સામે આવતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધારે વકરે તે પહેલા, આંદોલનો શરૂ થાય તે પહેલા સરકારે મધ્યસ્થી કરીને વિવાદને શાંત કરી દીધો હતો. 

શિક્ષક દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો હતો જ્ઞાનસહાયકનો વિરોધ  

પરંતુ જ્યારે ટેટ-ટાટ ઉમેદવારોની વાત આવે ત્યારે કદાચ સરકાર પોતાના મક્કમ ઈરાદાને દર્શાવતી હોય તેવું લાગે છે. ઉમેદવારો સાથે સંવાદ કરીને જ્ઞાન સહાયક યોજનાને લઈ કોઈ નિર્ણય લેવા માટે સરકાર જાણે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ઉમેદવારો સાથે પોલીસે જેવી રીતે વ્યવહાર કર્યો હતો તેને જોઈને ઉમેદવારોમાં રોષ વધારે ભભૂકી ઉઠ્યો હતો. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે આવ્યા હતા. 


શું સરકાર ટેટ-ટાટના ઉમેદવારો સાથે સંવાદ કરી લાવશે ઉકેલ?

એક તરફ સરકાર અનેક મુદ્દાઓમાં મધ્યસ્થી કરી મામલાને શાંત કરી રહી છે પરંતુ ટેટ-ટાટના ઉમેદવારોના મામલામાં જાણે સરકાર પોતાની વાતમાં મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. યોજનાને લઈ મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોના આંદોલનમાં સરકાર શું નિર્ણય લે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. શું સરકાર ઉમેદવારો સાથે સંવાદ કરી મામલાને શાંત કરવાની કોશિશ કરશે કે પછી ઉમેદવારો પોતાના આંદોલનને આગળ વધારશે તે જોવું રહ્યું..   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .