Bhupendra Patelની સરકાર આંદોલનને આગળ વધવા જ નથી દેતી! તો શું Gyansahayakનો કોઈ ઉકેલ લાવશે ખરી? સાંભળો શું કહ્યું Devanshi Joshiએ


  • Published By :
  • Published Date : 2023-09-07 13:46:45

આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે સરકાર ધારે તો ગમે તે કરી શકે. અનેક એવા ઉદાહરણો આપણી સામે છે. આંદોલનકારીઓના આંદોલન વધે તે પહેલા જ આંદોલન ઠારી દેવામાં આવે છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં ભૂપેન્દ્ર સરકાર 2.0 આંદોલન વધે તે પહેલા જ મધ્યસ્થી કરીને, સંવાદ કરીને મામલો શાંત કરી દે છે. એ વિવાદ સાળંગપુરનો હોય કે, પછી બનાસકાંઠાથી આંદોલન માટે નીકળેલા ખેડૂતો હોય. વાતો કરીને આંદોલન શાંત કરી દેવામાં આવે છે.   

સાળંગપુર ભીંતચિત્રો, બનાસકાંઠા લાફાકાંડ મામલે સરકારે કરી છે મધ્યસ્થી  

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આંદોલન થઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ બનાસકાંઠામાં ખેડૂતને લાફો મારવામાં આવ્યો હતો. જે બાદ બનાસકાંઠાથી ગાંધીનગર તરફ આવવા ખેડૂતોએ આગેકૂચ કરી હતી. પોતાની માગ સાથે ખેડૂતો આગળ નીકળ્યા હતા. ગાંધીનગરમાં ખેડૂતો આંદોલન કરે તે પહેલા જ ખેડૂત આગેવાનો સાથે વાત કરી હતી અને આંદોલન શાંત થઈ ગયો હતો. તે બાદ આવ્યો સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. સાળંગપુરમાં આવેલી વિશાળ હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવ્યા હતા. ભીંતચિત્રો સામે આવતા વિવાદ સર્જાયો હતો. વિવાદ વધારે વકરે તે પહેલા, આંદોલનો શરૂ થાય તે પહેલા સરકારે મધ્યસ્થી કરીને વિવાદને શાંત કરી દીધો હતો. 

શિક્ષક દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ કર્યો હતો જ્ઞાનસહાયકનો વિરોધ  

પરંતુ જ્યારે ટેટ-ટાટ ઉમેદવારોની વાત આવે ત્યારે કદાચ સરકાર પોતાના મક્કમ ઈરાદાને દર્શાવતી હોય તેવું લાગે છે. ઉમેદવારો સાથે સંવાદ કરીને જ્ઞાન સહાયક યોજનાને લઈ કોઈ નિર્ણય લેવા માટે સરકાર જાણે તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ભાવિ શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ઉમેદવારો સાથે પોલીસે જેવી રીતે વ્યવહાર કર્યો હતો તેને જોઈને ઉમેદવારોમાં રોષ વધારે ભભૂકી ઉઠ્યો હતો. યુવરાજસિંહ જાડેજા પણ ઉમેદવારો સાથે આવ્યા હતા. 


શું સરકાર ટેટ-ટાટના ઉમેદવારો સાથે સંવાદ કરી લાવશે ઉકેલ?

એક તરફ સરકાર અનેક મુદ્દાઓમાં મધ્યસ્થી કરી મામલાને શાંત કરી રહી છે પરંતુ ટેટ-ટાટના ઉમેદવારોના મામલામાં જાણે સરકાર પોતાની વાતમાં મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. યોજનાને લઈ મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ટેટ-ટાટના ઉમેદવારોના આંદોલનમાં સરકાર શું નિર્ણય લે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે. શું સરકાર ઉમેદવારો સાથે સંવાદ કરી મામલાને શાંત કરવાની કોશિશ કરશે કે પછી ઉમેદવારો પોતાના આંદોલનને આગળ વધારશે તે જોવું રહ્યું..   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.