નવા સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ વિરોધ કરી રહેલા વિપક્ષ પર ભૂપેન્દ્ર પટેલે સાધ્યું નિશાન! સાંભળો શું કહ્યું ભૂપેન્દ્ર પટેલે?


  • Published By :
  • Published Date : 2023-05-25 14:57:47

28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. પરંતુ આ કાર્યક્રમ રાજકીય અખાડામાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. દેશની 19 જેટલી રાજકીય પાર્ટીઓ આ કાર્યક્રમથી દૂર રહેવાની છે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, શિવસેના સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે. સંસદ ભવનના ઉદ્ધાટનને લઈ થઈ રહેલા વિરોધને લઈ ગુજરાતના મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સંસદ ભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત નિંદનીય છે. વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોકતાંત્રિક મૂલ્યો પર હુમલો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અંગે આપ્યું નિવેદન!

નવા સંસદ ભવનનું ઉદ્ધાટન થાય તે પહેલા વિપક્ષી પાર્ટીઓના આ મામલે નિવેદનો સામે આવી રહ્યા છે. 19 જેટલી પાર્ટીઓ દ્વારા આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ત્યારે આ વાત પર પીએમ મોદીએ વાત કરી હતી તે બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે સંસદ ભવનના નવનિર્મિત સંકુલનું લોકાર્પણએ ગૌરવપૂર્ણ બાબત છે.  સંસદભવનના લોકાર્પણ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વિપક્ષની જાહેરાત નિંદનીય છે. નવા સંસદ ભવનનો વિરોધ દેશની 140 કરોડ ભારતીયઓનું અપમાન સમાન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેઓના દુરંદેશી હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના નવનિર્મિત સંકુલને આગામી 28મેના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે આપણા માટે ગૌરવપૂર્ણ બાબત છે. 


વિપક્ષી પાર્ટીઓ પર ભૂપેન્દ્ર પટેલે સાધ્યું નિશાન! 

વિપક્ષો પાર્ટી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષી પક્ષો દ્વારા કરવામાં આવતો વિરોધએ દેશના મહાન લોકતાંત્રિક મુલ્યો અને સંવિધાનિક માન્યતાઓ પર હુમલો છે. લોકતંત્રમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. લોકોના હૃદયના ધબકારા સમાન છે. અહીં દેશની નીતિઓ ઉપર નિર્ણય થાય છે, જેનાથી લોકોના જીવનમાં બદલાવ આવે છે. પાછલા અનેક વર્ષોમાં વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 

ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી વિપક્ષની માગ!     

મહત્વનું છે કે વિપક્ષી પક્ષ દ્વારા એવી માગ કરવામાં આવી રહી છે કે સંસદ ભવનનું ઉદ્ધાટન રાષ્ટ્રપતિના હસ્તે કરવામાં આવે. વિપક્ષોનું કહેવું છે કે વડાપ્રધાન ઉદ્ધાટન કરશે તો દેશના પહેલા મહિલા આદિવાસી રાષ્ટ્રપતિનું અપમાન થશે, લોકશાહીની આત્મા મરી જશે. તે સિવાય રાહુલ ગાંધીએ કહ્યું કે રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ધાટનની વાત તો દૂર રહી તેમને આમંત્રણ પણ નથી આપ્યું, સંસદ ભવન બંધારણના મૂલ્યોથી બને છે.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.