ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી BJPને મોટો ઝટકો? કઈ પાર્ટીને કેટલું મળ્યું છે ફંડ, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:50:40

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. 


વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું


ભારતીય જનતા પાર્ટી (BJP)ને વર્ષ 2022-23માં કુલ 720 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, તેમાં પણ એવા દાનવીરો અઢળક છે જેમણે 20 હજાર રૂપિયાથી ઓછી રકમનું દાન આપ્યું હોય. BJPને વર્ષ 2021-22ની તુલનામાં 22-23માં 17.1 ટકા વધુ ફંડ મળ્યું છે. કોંગ્રેસને 2022-23માં કુલ 79.9 કરોડનું ફંડ મળ્યું હતું. જે વર્ષ 21-22ની તુલનામાં તેને 16.2 ટકા ઓછું ફંડ મળ્યું હતું. વર્ષ 21-22માં કોંગ્રેસને 95.4 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. વિવિધ રાજકીય પક્ષોએ 2022-23માં જે ફંડ અંગે ચૂંટણી પંચને જાણકારી આપી હતી તે મુજબ બિજેપીને 719.8 કરોડ રૂપિયા મળ્યા હતા. ભગવા પાર્ટીને વર્ષ 2021-22માં 614.5 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્રૂડેન્ટ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે બિજેપીને 254.7 કરોડ રૂપિયા આપ્યા હતા. તે સિવાય ઈજીગાર્ટિંગ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે પાર્ટીને 8 લાખ રૂપિયા ફંડ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ ફંડ દ્વારા મળનારા ફંડ અંગે જાણકારી આપવી તે પાર્ટી માટે જરૂરી નથી. 


કોંગ્રેસને મળતું ફંડ ઘટ્યું


કોંગ્રેસને વર્ષ 2022-23માં મળેલા ચૂંટણી ફંડમાં લગભગ 15 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કોંગ્રેસને માત્ર 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને મળેલું ફંડ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને મળેલા 154 કરોડના ફંડ કરતા પણ ઓછું હતું. તે ઉપરાંત BRSએ ચૂંટણી બોન્ડ દ્વારા 529 કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યા છે. આમ આદમી પાર્ટીને કુલ 37.1 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. જે 21-22ની તુલનામાં 2.9 ટકા ઓછું છે. વર્ષ 21-22માં આપને 38.2 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. તે જ પ્રકારે CPMને વર્ષ 2022-23માં ફંડમાં 40 ટકા ઘટાડો થયો હતો. તેને માત્ર 10 કરોડ રૂપિયા જેટલું ફંડ મળ્યું હતું. તે જ રીતે 22-23માં પાર્ટીને માત્ર 6 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ રૂપે મળ્યા હતા.   


ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી છે BJP


ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી બિજેપી છે. વર્ષ 2017-2022ના સમયગાળામાં ભાજપને ચૂંટણી ફંડ સ્વરૂપે  5,271.97 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ કુલ ચૂંટણી ફંડના લગભગ 57 ટકા જેટલું થાય છે. આ સમયગાળામાં કોંગ્રેસને 952.29 કરોડનું ફંડ મળ્યું હતું. જે કુલ ફંડનું માત્ર 10 ટકા જ છે. નાણાકિય વર્ષ 2022-23માં બિજેપીને ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા 1300 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું હતું. આ સમયગાળામાં 171 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, એટલે કે ભાજપને ઈલેક્ટ્રોરલ બોન્ડથી કોંગ્રેસની તુલનામાં લગભગ સાત ગણું વધુનું ગુપ્ત ફંડ મળ્યું હતુ. વર્ષ 2017-18 અને 18-19માં રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ 2,760.20 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી  1,660.89 કરોડ રૂપિયા એટલે કે 60.17% એકલા ભાજપને જ મળ્યું હતું. 



વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.

સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.