ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી BJPને મોટો ઝટકો? કઈ પાર્ટીને કેટલું મળ્યું છે ફંડ, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:50:40

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. 


વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું


ભારતીય જનતા પાર્ટી (BJP)ને વર્ષ 2022-23માં કુલ 720 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, તેમાં પણ એવા દાનવીરો અઢળક છે જેમણે 20 હજાર રૂપિયાથી ઓછી રકમનું દાન આપ્યું હોય. BJPને વર્ષ 2021-22ની તુલનામાં 22-23માં 17.1 ટકા વધુ ફંડ મળ્યું છે. કોંગ્રેસને 2022-23માં કુલ 79.9 કરોડનું ફંડ મળ્યું હતું. જે વર્ષ 21-22ની તુલનામાં તેને 16.2 ટકા ઓછું ફંડ મળ્યું હતું. વર્ષ 21-22માં કોંગ્રેસને 95.4 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. વિવિધ રાજકીય પક્ષોએ 2022-23માં જે ફંડ અંગે ચૂંટણી પંચને જાણકારી આપી હતી તે મુજબ બિજેપીને 719.8 કરોડ રૂપિયા મળ્યા હતા. ભગવા પાર્ટીને વર્ષ 2021-22માં 614.5 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્રૂડેન્ટ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે બિજેપીને 254.7 કરોડ રૂપિયા આપ્યા હતા. તે સિવાય ઈજીગાર્ટિંગ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે પાર્ટીને 8 લાખ રૂપિયા ફંડ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ ફંડ દ્વારા મળનારા ફંડ અંગે જાણકારી આપવી તે પાર્ટી માટે જરૂરી નથી. 


કોંગ્રેસને મળતું ફંડ ઘટ્યું


કોંગ્રેસને વર્ષ 2022-23માં મળેલા ચૂંટણી ફંડમાં લગભગ 15 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કોંગ્રેસને માત્ર 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને મળેલું ફંડ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને મળેલા 154 કરોડના ફંડ કરતા પણ ઓછું હતું. તે ઉપરાંત BRSએ ચૂંટણી બોન્ડ દ્વારા 529 કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યા છે. આમ આદમી પાર્ટીને કુલ 37.1 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. જે 21-22ની તુલનામાં 2.9 ટકા ઓછું છે. વર્ષ 21-22માં આપને 38.2 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. તે જ પ્રકારે CPMને વર્ષ 2022-23માં ફંડમાં 40 ટકા ઘટાડો થયો હતો. તેને માત્ર 10 કરોડ રૂપિયા જેટલું ફંડ મળ્યું હતું. તે જ રીતે 22-23માં પાર્ટીને માત્ર 6 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ રૂપે મળ્યા હતા.   


ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી છે BJP


ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી બિજેપી છે. વર્ષ 2017-2022ના સમયગાળામાં ભાજપને ચૂંટણી ફંડ સ્વરૂપે  5,271.97 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ કુલ ચૂંટણી ફંડના લગભગ 57 ટકા જેટલું થાય છે. આ સમયગાળામાં કોંગ્રેસને 952.29 કરોડનું ફંડ મળ્યું હતું. જે કુલ ફંડનું માત્ર 10 ટકા જ છે. નાણાકિય વર્ષ 2022-23માં બિજેપીને ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા 1300 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું હતું. આ સમયગાળામાં 171 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, એટલે કે ભાજપને ઈલેક્ટ્રોરલ બોન્ડથી કોંગ્રેસની તુલનામાં લગભગ સાત ગણું વધુનું ગુપ્ત ફંડ મળ્યું હતુ. વર્ષ 2017-18 અને 18-19માં રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ 2,760.20 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી  1,660.89 કરોડ રૂપિયા એટલે કે 60.17% એકલા ભાજપને જ મળ્યું હતું. 



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.