ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી BJPને મોટો ઝટકો? કઈ પાર્ટીને કેટલું મળ્યું છે ફંડ, જાણો


  • Published By :
  • Published Date : 2024-02-15 14:50:40

સુપ્રીમ કોર્ટે ઈલેક્શન બોન્ડને ગેરબંધારણીય જાહેર કરી રદ્દ કર્યા છે. આ કેન્દ્રની મોદી સરકાર માટે મોટો ઝટકો છે. વર્ષ 2018માં નરેન્દ્ર મોદી સરકારે આ યોજના શરૂ કરી હતી. સુપ્રીમ કોર્ટએ એસબીઆઈને વર્ષ 2019થી આ અંગે જાણકારી આપવાનું કહ્યું છે. તે ઉપરાંત ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને પણ રાજકીય પાર્ટીઓને મળેલા તમામ ફંડને જાહેર કરવાનું પણ કહ્યું છે. બિઝનેશ હાઉસથી લઈને અન્ય લોકો પણ પાર્ટીઓને ફંડ આપે છે. આવો જાણીએ કે વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું હતું. 


વર્ષ 2022-23માં કઈ પાર્ટીને કેટલું ફંડ મળ્યું


ભારતીય જનતા પાર્ટી (BJP)ને વર્ષ 2022-23માં કુલ 720 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, તેમાં પણ એવા દાનવીરો અઢળક છે જેમણે 20 હજાર રૂપિયાથી ઓછી રકમનું દાન આપ્યું હોય. BJPને વર્ષ 2021-22ની તુલનામાં 22-23માં 17.1 ટકા વધુ ફંડ મળ્યું છે. કોંગ્રેસને 2022-23માં કુલ 79.9 કરોડનું ફંડ મળ્યું હતું. જે વર્ષ 21-22ની તુલનામાં તેને 16.2 ટકા ઓછું ફંડ મળ્યું હતું. વર્ષ 21-22માં કોંગ્રેસને 95.4 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. વિવિધ રાજકીય પક્ષોએ 2022-23માં જે ફંડ અંગે ચૂંટણી પંચને જાણકારી આપી હતી તે મુજબ બિજેપીને 719.8 કરોડ રૂપિયા મળ્યા હતા. ભગવા પાર્ટીને વર્ષ 2021-22માં 614.5 કરોડ રૂપિયા મળ્યા હતા. પ્રૂડેન્ટ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે બિજેપીને 254.7 કરોડ રૂપિયા આપ્યા હતા. તે સિવાય ઈજીગાર્ટિંગ ઈલેક્ટ્રોરલ ટ્ર્સ્ટે પાર્ટીને 8 લાખ રૂપિયા ફંડ આપ્યું હતું. ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ ફંડ દ્વારા મળનારા ફંડ અંગે જાણકારી આપવી તે પાર્ટી માટે જરૂરી નથી. 


કોંગ્રેસને મળતું ફંડ ઘટ્યું


કોંગ્રેસને વર્ષ 2022-23માં મળેલા ચૂંટણી ફંડમાં લગભગ 15 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. કોંગ્રેસને માત્ર 79.9 કરોડ રૂપિયા મળ્યા હતા. કોંગ્રેસને મળેલું ફંડ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ને મળેલા 154 કરોડના ફંડ કરતા પણ ઓછું હતું. તે ઉપરાંત BRSએ ચૂંટણી બોન્ડ દ્વારા 529 કરોડ રૂપિયા ફંડ તરીકે મળ્યા છે. આમ આદમી પાર્ટીને કુલ 37.1 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. જે 21-22ની તુલનામાં 2.9 ટકા ઓછું છે. વર્ષ 21-22માં આપને 38.2 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. તે જ પ્રકારે CPMને વર્ષ 2022-23માં ફંડમાં 40 ટકા ઘટાડો થયો હતો. તેને માત્ર 10 કરોડ રૂપિયા જેટલું ફંડ મળ્યું હતું. તે જ રીતે 22-23માં પાર્ટીને માત્ર 6 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ રૂપે મળ્યા હતા.   


ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી છે BJP


ઉલ્લેખનિય છે કે ઈલેક્ટ્રોરલ બોન્ડ સ્કિમની સૌથી મોટી લાભાર્થી બિજેપી છે. વર્ષ 2017-2022ના સમયગાળામાં ભાજપને ચૂંટણી ફંડ સ્વરૂપે  5,271.97 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું. આ કુલ ચૂંટણી ફંડના લગભગ 57 ટકા જેટલું થાય છે. આ સમયગાળામાં કોંગ્રેસને 952.29 કરોડનું ફંડ મળ્યું હતું. જે કુલ ફંડનું માત્ર 10 ટકા જ છે. નાણાકિય વર્ષ 2022-23માં બિજેપીને ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા 1300 કરોડ રૂપિયાથી વધુનું ફંડ મળ્યું હતું. આ સમયગાળામાં 171 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું, એટલે કે ભાજપને ઈલેક્ટ્રોરલ બોન્ડથી કોંગ્રેસની તુલનામાં લગભગ સાત ગણું વધુનું ગુપ્ત ફંડ મળ્યું હતુ. વર્ષ 2017-18 અને 18-19માં રાજકીય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા કુલ 2,760.20 કરોડ રૂપિયા મળ્યા હતા જેમાંથી  1,660.89 કરોડ રૂપિયા એટલે કે 60.17% એકલા ભાજપને જ મળ્યું હતું. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.