Big Breaking : મહાભારતમાં શકુનિ મામાનો રોલ કરનાર અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, ટીવી ઈન્ડસ્ટ્રીમાં વ્યાપી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-06-05 12:09:29

મહાભારત સિરીયલમાં શકુનિ મામાની ભૂમિકા નિભાવનાર ગુફી પેન્ટલનું સોમવાર સવારે નિધન થયું છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ તેમના કોસ્ટાર સુરેન્દ્ર પાલ દ્વારા કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



1980થી બોલિવુડમાં શરૂ કર્યું હતું કરિયર!

ઘણા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુપમા ફેમ એક્ટર નીતેશ પાંડેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું તો એક જ દિવસે વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું હતું. ત્યારે આજે મહાભારતમાં શકુનિ મામાનો રોલ નિભાવનાર ગુફી પેન્ટલનું નિધન થયું છે. તબિયત બગડવાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. 1980થી તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. અનેક સિરીયલો તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. 


મહાભારત સિરીયલથી તેમને મળી પ્રસિદ્ધિ!

રફૂ ચક્કર ફિલ્મથી બોલિવુડ ડેબ્યુથી ગુફીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ મહાભારતમાં રોલ કર્યા બાદ તેમને ઓળખાણ મળી હતી. 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારત સિરીયલમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીયલને ભલે આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ તેમને દર્શકો શકુનિ મામા તરીકે ઓળખે છે. અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.  


ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી