Big Breaking : મહાભારતમાં શકુનિ મામાનો રોલ કરનાર અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા, ટીવી ઈન્ડસ્ટ્રીમાં વ્યાપી શોકની લાગણી


  • Published By :
  • Published Date : 2023-06-05 12:09:29

મહાભારત સિરીયલમાં શકુનિ મામાની ભૂમિકા નિભાવનાર ગુફી પેન્ટલનું સોમવાર સવારે નિધન થયું છે. થોડા દિવસો પહેલા તેમની તબિયત બગડતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ વાતની પુષ્ટિ તેમના કોસ્ટાર સુરેન્દ્ર પાલ દ્વારા કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર આજે સાંજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 



1980થી બોલિવુડમાં શરૂ કર્યું હતું કરિયર!

ઘણા સમયથી બોલિવુડથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અનેક કલાકારોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અનુપમા ફેમ એક્ટર નીતેશ પાંડેનું હાર્ટ એટેકને કારણે મોત થયું હતું તો એક જ દિવસે વૈભવી ઉપાધ્યાયનું નિધન થયું હતું. ત્યારે આજે મહાભારતમાં શકુનિ મામાનો રોલ નિભાવનાર ગુફી પેન્ટલનું નિધન થયું છે. તબિયત બગડવાને કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પહેલા ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને પછી મુંબઈ ખસેડવામાં આવ્યા હતા. 1980થી તેઓ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. અનેક સિરીયલો તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો હતો. 


મહાભારત સિરીયલથી તેમને મળી પ્રસિદ્ધિ!

રફૂ ચક્કર ફિલ્મથી બોલિવુડ ડેબ્યુથી ગુફીએ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ મહાભારતમાં રોલ કર્યા બાદ તેમને ઓળખાણ મળી હતી. 1988માં આવેલી બીઆર ચોપડાની મહાભારત સિરીયલમાં શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ સિરીયલને ભલે આટલા વર્ષો વીતિ ગયા પરંતુ આજે પણ તેમને દર્શકો શકુનિ મામા તરીકે ઓળખે છે. અભિનેતાએ દુનિયાને અલવિદા કહી દીધી છે.  


જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.