એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર! જાણો કેટલા રુપિયાનો કરાયો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો!


  • Published By :
  • Published Date : 2023-05-01 09:40:57

હંમેશા સમાચારોમાં ભાવ વધારાની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડાની વાત કરવી છે. અનેક રાજ્યોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે એલીપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 171.50 રુપિયા સસ્તો થયો છે. 171.50 રુપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.


કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને બજેટમાં મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ભાવ વધારાની બદલીમાં ભાવ ઘટાડવાના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 171.50 રુપિયાનો ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડા થયા બાદના નવા ભાવ ગેસ કંપનીઓ તરફથી અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઈ મુંબઈમાં કોમર્શિયસ સિલિન્ડરની કિંમત 1808.50 રુપિયાની આસપાસ થઈ હતી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1960.50 રુપિયા થઈ છે. અને ચેન્નઈમાં ગેસ સિલિન્ડર માટે 2021.50 રુપિયા ચૂકવવા પડશે. 


માર્ચ મહિનામાં થયો હતો ભાવ વધારો! 

મહત્વનું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં  આવ્યા છે. થોડા મહિના પહેલા પણ ભાવમાં ઘટાડો થયો હતો. તે વખતે 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા માર્ચ મહિના દરમિયાન ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રુપિયાનો વધારો કર્યો હતો.  



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.