એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર! જાણો કેટલા રુપિયાનો કરાયો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો!


  • Published By :
  • Published Date : 2023-05-01 09:40:57

હંમેશા સમાચારોમાં ભાવ વધારાની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડાની વાત કરવી છે. અનેક રાજ્યોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે એલીપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 171.50 રુપિયા સસ્તો થયો છે. 171.50 રુપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.


કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને બજેટમાં મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ભાવ વધારાની બદલીમાં ભાવ ઘટાડવાના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 171.50 રુપિયાનો ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડા થયા બાદના નવા ભાવ ગેસ કંપનીઓ તરફથી અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઈ મુંબઈમાં કોમર્શિયસ સિલિન્ડરની કિંમત 1808.50 રુપિયાની આસપાસ થઈ હતી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1960.50 રુપિયા થઈ છે. અને ચેન્નઈમાં ગેસ સિલિન્ડર માટે 2021.50 રુપિયા ચૂકવવા પડશે. 


માર્ચ મહિનામાં થયો હતો ભાવ વધારો! 

મહત્વનું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં  આવ્યા છે. થોડા મહિના પહેલા પણ ભાવમાં ઘટાડો થયો હતો. તે વખતે 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા માર્ચ મહિના દરમિયાન ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રુપિયાનો વધારો કર્યો હતો.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.