એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર! જાણો કેટલા રુપિયાનો કરાયો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો!


  • Published By :
  • Published Date : 2023-05-01 09:40:57

હંમેશા સમાચારોમાં ભાવ વધારાની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડાની વાત કરવી છે. અનેક રાજ્યોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે એલીપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 171.50 રુપિયા સસ્તો થયો છે. 171.50 રુપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.


કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને બજેટમાં મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ભાવ વધારાની બદલીમાં ભાવ ઘટાડવાના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 171.50 રુપિયાનો ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડા થયા બાદના નવા ભાવ ગેસ કંપનીઓ તરફથી અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઈ મુંબઈમાં કોમર્શિયસ સિલિન્ડરની કિંમત 1808.50 રુપિયાની આસપાસ થઈ હતી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1960.50 રુપિયા થઈ છે. અને ચેન્નઈમાં ગેસ સિલિન્ડર માટે 2021.50 રુપિયા ચૂકવવા પડશે. 


માર્ચ મહિનામાં થયો હતો ભાવ વધારો! 

મહત્વનું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં  આવ્યા છે. થોડા મહિના પહેલા પણ ભાવમાં ઘટાડો થયો હતો. તે વખતે 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા માર્ચ મહિના દરમિયાન ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રુપિયાનો વધારો કર્યો હતો.  



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.