એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ફેરફાર! જાણો કેટલા રુપિયાનો કરાયો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો!


  • Published By :
  • Published Date : 2023-05-01 09:40:57

હંમેશા સમાચારોમાં ભાવ વધારાની વાત કરવામાં આવતી હોય છે. પરંતુ આજે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડાની વાત કરવી છે. અનેક રાજ્યોમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી મેને મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસે એલીપીજી સિલિન્ડરના ભાવમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 171.50 રુપિયા સસ્તો થયો છે. 171.50 રુપિયાનો ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.


કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરાયો ઘટાડો!

મોંઘવારીનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને બજેટમાં મોટો ફટકો પડતો હોય છે. ત્યારે ભાવ વધારાની બદલીમાં ભાવ ઘટાડવાના સમાચાર સામે આવ્યા છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. 171.50 રુપિયાનો ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે. ભાવ ઘટાડા થયા બાદના નવા ભાવ ગેસ કંપનીઓ તરફથી અપલોડ કરવામાં આવ્યા છે. જેને લઈ મુંબઈમાં કોમર્શિયસ સિલિન્ડરની કિંમત 1808.50 રુપિયાની આસપાસ થઈ હતી. કોલકાતામાં ગેસ સિલિન્ડરની કિંમત 1960.50 રુપિયા થઈ છે. અને ચેન્નઈમાં ગેસ સિલિન્ડર માટે 2021.50 રુપિયા ચૂકવવા પડશે. 


માર્ચ મહિનામાં થયો હતો ભાવ વધારો! 

મહત્વનું છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં અનેક વખત ફેરફાર કરવામાં  આવ્યા છે. થોડા મહિના પહેલા પણ ભાવમાં ઘટાડો થયો હતો. તે વખતે 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે પહેલા માર્ચ મહિના દરમિયાન ભાવમાં જંગી વધારો કરવામાં આવ્યો હતો. માર્ચ 2023માં પેટ્રોલિયમ અને ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 350.50 રુપિયાનો વધારો કર્યો હતો.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.