'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' પર લેવાયો મોટો નિર્ણય, OTT પ્લેટફોર્મના કન્ટેન્ટમાં તમાકુની બતાવી પડશે ચેતવણી, નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:15:31

દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુ સેવન આરોગ્ય માટે જીવલેણ સાબિત થતું હોય છે. તમાકુનું સેવન કરવાથી દર વર્ષે અંદાજીત 80 લાખ જેટલા લોકોના મોત થાય છે. 13 લાખથી વધુ મોત ભારતમાં થાય છે. ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતાવણી દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તંબાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


ઓટીટી પર બતાવવી પડશે તમાકુ વિરોધી ચેતવણી

ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સિરિઝ તેમજ ફિલ્મો જોવા માટે ઓટીટીને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તમાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ ઓટીટી પ્લેટફોર્મ ચેતવણીને નહીં માને તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 30 સેકેન્ડનો સ્પોટ તમાકુ વિરોધી જાણકારી આપવા માટે બતાવવું પડશે. જાણકારીમાં તમાકુના સેવનથી થતાં નુકસાન અંગે જાણકારી બતાવવામાં આવશે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી 30 સેકેન્ડની તમાકુ વિરોધી ચેતવણી પ્રદર્શિત કરવી પડશે. 


લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો પ્રયાસ!

મહત્વનું છે તમાકુ સેવનમાં ભારત ટોપ દેશોમાં જોવા મળે છે. લોકોમાં તમાકુ દ્વારા થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો લોકોના મોત તમાકુ સેવનના કારણે થતાં હોય છે. ત્યારે લોકોમાં જાગૃત્તિ લાવવા એક વધારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.