'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' પર લેવાયો મોટો નિર્ણય, OTT પ્લેટફોર્મના કન્ટેન્ટમાં તમાકુની બતાવી પડશે ચેતવણી, નિયમો કરાયા જાહેર


  • Published By :
  • Published Date : 2023-05-31 16:15:31

દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તમાકુ સેવન આરોગ્ય માટે જીવલેણ સાબિત થતું હોય છે. તમાકુનું સેવન કરવાથી દર વર્ષે અંદાજીત 80 લાખ જેટલા લોકોના મોત થાય છે. 13 લાખથી વધુ મોત ભારતમાં થાય છે. ત્યારે લોકોમાં આ અંગે જાગૃતિ લાવવા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતાવણી દર્શાવવા સૂચના આપવામાં આવી છે. તંબાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો આ નિયમનું પાલન નહીં કરવામાં આવે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ સૂચના પ્રસારણ મંત્રાલય દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.


ઓટીટી પર બતાવવી પડશે તમાકુ વિરોધી ચેતવણી

ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. સિરિઝ તેમજ ફિલ્મો જોવા માટે ઓટીટીને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ માટે નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. તમાકુ વિરોધી ચેતવણી ઓટીટી પ્લેટફોર્મ પર બતાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ ઓટીટી પ્લેટફોર્મ ચેતવણીને નહીં માને તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. 30 સેકેન્ડનો સ્પોટ તમાકુ વિરોધી જાણકારી આપવા માટે બતાવવું પડશે. જાણકારીમાં તમાકુના સેવનથી થતાં નુકસાન અંગે જાણકારી બતાવવામાં આવશે. નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી 30 સેકેન્ડની તમાકુ વિરોધી ચેતવણી પ્રદર્શિત કરવી પડશે. 


લોકોમાં જાગૃત્તિ લાવવા કરાયો પ્રયાસ!

મહત્વનું છે તમાકુ સેવનમાં ભારત ટોપ દેશોમાં જોવા મળે છે. લોકોમાં તમાકુ દ્વારા થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવા અનેક કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા છે. દર વર્ષે લાખો લોકોના મોત તમાકુ સેવનના કારણે થતાં હોય છે. ત્યારે લોકોમાં જાગૃત્તિ લાવવા એક વધારે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે જ આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.