આવી ગયું છે બિગ બોસ 16, જાણો વધુ વિગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 20:17:02

ટેલિવિઝનનું ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસ લાંબા સમય બાદ દર્શકોનું મનોરંજ કરવા માટે આવી ગયું છે. બિગબોસના 15 સિઝન પૂરા થઈ ચૂક્યા છે, છતાંય બિગ બોસના ફેન્સ નવી સિઝન માટે તલપાપડ થઈ રહ્યા છે. 


ક્યારે શરૂ થશે બિગબોસ સિઝન 16 

બિગબોસની સોળમી સિઝન આજ રાતથી શરૂ થવા જઈ રહી છે. એવામાં તમામ લોકો એ જાણવા આતુર છે કે બિગબોસ 16ની સિઝન ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે. બિગબોસ 16 કલર્સ ચેનલ પર સલમાન ખાન સાથે પ્રીમિયર થવા જઈ રહી છે. આજથી આગામી 3 મહિના આ શો દર્શકોનું મનોરંજન કરાવશે. એવામાં નવા સિઝનમાં શું મજાનું હશે તે જોવાનું રહેશે. બિગબોસની સિઝન 15માં દર્શકોમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા ળ્યા હતા. 


ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે?

સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યું છે કે પ્રોમોમાં વીડિયોને જોઈને ખબર પડી રહી છે કે આ સિઝન ખૂબ ધમાકેદાર રહેવાની છે. પ્રોમોમાં જેવા મળી રહ્યું છે કે ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ સિઝનમાં કંઈક નવું જોવા મળશે. અફવાઓ ચાલી રહી છે કે આ સિઝનમાં કોઈ નિયમ નહીં હોય. 


ક્યારે જોઈ શકાશે બિગબોસ 16?

બિગ બોસ 16 રોજ સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાશે. શનિવાર અએ રવિવારે પણ આ શો રાત્રે સાડા નવ કલાકે જોવા મળશે. બિગબોસ 16 ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર જોઈ શકાશે. અબ્દુ રૉઝિક, સુંબુલ તૌકીર ખાન, નિમ્રિન કૌર, ગૌતમ વિજ જેવા કલાકારો આ બિગબોસની સિઝનમાં જોવા મલશે.



જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.