આવી ગયું છે બિગ બોસ 16, જાણો વધુ વિગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 20:17:02

ટેલિવિઝનનું ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસ લાંબા સમય બાદ દર્શકોનું મનોરંજ કરવા માટે આવી ગયું છે. બિગબોસના 15 સિઝન પૂરા થઈ ચૂક્યા છે, છતાંય બિગ બોસના ફેન્સ નવી સિઝન માટે તલપાપડ થઈ રહ્યા છે. 


ક્યારે શરૂ થશે બિગબોસ સિઝન 16 

બિગબોસની સોળમી સિઝન આજ રાતથી શરૂ થવા જઈ રહી છે. એવામાં તમામ લોકો એ જાણવા આતુર છે કે બિગબોસ 16ની સિઝન ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે. બિગબોસ 16 કલર્સ ચેનલ પર સલમાન ખાન સાથે પ્રીમિયર થવા જઈ રહી છે. આજથી આગામી 3 મહિના આ શો દર્શકોનું મનોરંજન કરાવશે. એવામાં નવા સિઝનમાં શું મજાનું હશે તે જોવાનું રહેશે. બિગબોસની સિઝન 15માં દર્શકોમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા ળ્યા હતા. 


ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે?

સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યું છે કે પ્રોમોમાં વીડિયોને જોઈને ખબર પડી રહી છે કે આ સિઝન ખૂબ ધમાકેદાર રહેવાની છે. પ્રોમોમાં જેવા મળી રહ્યું છે કે ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ સિઝનમાં કંઈક નવું જોવા મળશે. અફવાઓ ચાલી રહી છે કે આ સિઝનમાં કોઈ નિયમ નહીં હોય. 


ક્યારે જોઈ શકાશે બિગબોસ 16?

બિગ બોસ 16 રોજ સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાશે. શનિવાર અએ રવિવારે પણ આ શો રાત્રે સાડા નવ કલાકે જોવા મળશે. બિગબોસ 16 ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર જોઈ શકાશે. અબ્દુ રૉઝિક, સુંબુલ તૌકીર ખાન, નિમ્રિન કૌર, ગૌતમ વિજ જેવા કલાકારો આ બિગબોસની સિઝનમાં જોવા મલશે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.