આવી ગયું છે બિગ બોસ 16, જાણો વધુ વિગત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 20:17:02

ટેલિવિઝનનું ચર્ચિત અને વિવાદિત રિયાલિટી શૉ બિગ બોસ લાંબા સમય બાદ દર્શકોનું મનોરંજ કરવા માટે આવી ગયું છે. બિગબોસના 15 સિઝન પૂરા થઈ ચૂક્યા છે, છતાંય બિગ બોસના ફેન્સ નવી સિઝન માટે તલપાપડ થઈ રહ્યા છે. 


ક્યારે શરૂ થશે બિગબોસ સિઝન 16 

બિગબોસની સોળમી સિઝન આજ રાતથી શરૂ થવા જઈ રહી છે. એવામાં તમામ લોકો એ જાણવા આતુર છે કે બિગબોસ 16ની સિઝન ક્યારે ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે. બિગબોસ 16 કલર્સ ચેનલ પર સલમાન ખાન સાથે પ્રીમિયર થવા જઈ રહી છે. આજથી આગામી 3 મહિના આ શો દર્શકોનું મનોરંજન કરાવશે. એવામાં નવા સિઝનમાં શું મજાનું હશે તે જોવાનું રહેશે. બિગબોસની સિઝન 15માં દર્શકોમાં અનેક ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા ળ્યા હતા. 


ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે?

સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યું છે કે પ્રોમોમાં વીડિયોને જોઈને ખબર પડી રહી છે કે આ સિઝન ખૂબ ધમાકેદાર રહેવાની છે. પ્રોમોમાં જેવા મળી રહ્યું છે કે ખૂદ બિગબોસ આ સિઝનમાં જોવા મળશે. એવામાં ચર્ચા ચાલી રહી છે કે આ સિઝનમાં કંઈક નવું જોવા મળશે. અફવાઓ ચાલી રહી છે કે આ સિઝનમાં કોઈ નિયમ નહીં હોય. 


ક્યારે જોઈ શકાશે બિગબોસ 16?

બિગ બોસ 16 રોજ સોમવારથી શુક્રવાર રાત્રે 10 વાગ્યે કલર્સ ટીવી પર જોઈ શકાશે. શનિવાર અએ રવિવારે પણ આ શો રાત્રે સાડા નવ કલાકે જોવા મળશે. બિગબોસ 16 ઓટીટી પ્લેટફોર્મ વૂટ પર જોઈ શકાશે. અબ્દુ રૉઝિક, સુંબુલ તૌકીર ખાન, નિમ્રિન કૌર, ગૌતમ વિજ જેવા કલાકારો આ બિગબોસની સિઝનમાં જોવા મલશે.



રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં પોલીસ પર હુમલાની ઘટનામાં વધારો થયો છે. ઓક્ટોબર ૨૦૨૫માં બોટાદના હડદડ ગામે થયેલી હિંસા અને ત્યારબાદ અંબાજીના પાડલીયા ગામે ડિસેમ્બર ૨૦૨૫માં પોલીસ સાથે ઘર્ષણની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત થોડાક સમય અગાઉ , પાટણના ઝીલીયા ગામે , અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે , અમદાવાદના નળ સરોવર ખાતે પણ પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજકોટ રેન્જ IG તરીકે નિર્લિપ્ત રાયની નિમણુંક થતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેમ કે , હવે નિર્લિપ્ત રાય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે , આગામી સમયમાં ૧ લી અને ૨જી એપ્રિલે એક લોકસંપર્ક સભા યોજાશે જેમાં તેઓ પોતે વ્યાજખોરોના ત્રાસથી પીડિતોની રજુઆત સાંભળશે. આ ઉપરાંત , જામનગરમાં રેન્જ IG નિર્લિપ્ત રાયની મુલાકાતના બે જ કલાકની અંદર ૭૨ જેટલા ગેરકાયદેસર બાંધકામો તંત્ર દ્વારા ધ્વસ્ત કરી નાખવામાં આવ્યા છે.